SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ૨ પ્રવચન ક્રમાંક - ૩૨, ગાથા ક્રમાંક - ૩૫ આવ્યાં?' બાબાએ કહ્યું, “હું તો આવેલ પણ તેં મને લાકડી મારી કાઢી મૂક્યો.” સદ્ગુરુ આવે છે પણ તમે ઓળખતાં નથી. બૂમો પાડશો જ નહિ કે “તેઓ નથી મળતા.” પોકાર, ઝંખના, તાલાવેલી, તીવ્રતા હશે તો જરૂર આવશે. એમને બોલાવવા નહિ પડે. આ જગતમાં એક જ પાત્ર એવું છે કે જે તમારી આમંત્રણ પત્રિકાની રાહ જોતું નથી, અને આવીને હાજર થાય છે. ક્યારે ? તમારા સાડા ત્રણ કરોડ રોમમાંથી સગુરુ, પુરુષ એવો ધ્વનિ ઊઠશે ત્યારે. મીરાં, કબીર, નરસિંહ અને ચંદનબાળાને એવો ધ્વનિ ઊઠ્યો હતો, ચંદનબાળાને આંગણે ભગવાન મહાવીર જાતે આવ્યા હતા, ચંદનબાળા ભગવાન મહાવીર પાસે ગઈ નથી. એક મઝાની વાત એ છે કે અંબડ નામનો રાજવી રાજગૃહી જઈ રહ્યો છે, તેણે ભગવાન મહાવીરને પૂછ્યું કે “આપને રાજગૃહી કંઈ કામ છે?' ભગવાન મહાવીરે કહ્યું, “સુલતાને ધર્મલાભ કહેજો, એટલું કામ કરજો.” રાજગૃહીમાં ભગવાન મહાવીરનાં ઘણાં ભક્તો હતાં, શ્રેણિક મહારાજા, શાલિભદ્રજી, ધન્નાજી વિ. ઘણાં કરોડપતિ તેમનાં ભક્તો હતાં, છતાં સુલતાને ધર્મલાભ કહ્યો. સુલતાનાં અંતરમાં પોકાર ઊઠ્યો અને જ્યારે અંબડ સુલસા પાસે ગયો અને કહ્યું કે, “બહેન ! ભગવાન મહાવીરે ધર્મલાભ કીધાં છે.' સાંભળતાની સાથે જ તેની બંગડીઓ તૂટી જાય છે, કંચુકી છૂટી જાય છે, રોમરોમમાં આનંદ પ્રગટે છે. એને એમ થયું કે “આ ચૌદ બ્રહ્માંડના ધણી, જેમનાં ચરણોમાં ચોસઠ ઈન્દ્રો અને કરોડો દેવો ઝૂકે છે, વળી આ રાજગૃહીમાં હજારો ભક્તો છે, તેમને નહીં પણ શ્રેણિક મહારાજાના સારથીની હું સામાન્ય પત્ની, એવી મને તેઓએ-ભગવાને ધર્મલાભ કહેવડાવ્યાં.” જે દિવસે રોમરોમમાંથી પોકાર ઊઠશે, તે દિવસે સદ્ગુરુ સામે આવીને ઊભા રહેશે. એટલે કહ્યું કે, “પ્રત્યક્ષ સરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર.” આ ઘટના ઘટી છે અને તેનું વર્ણન કરેલ છે. સદ્ગ પ્રાપ્ત થશે? નહિ થાય? મુશ્કેલ છે, દુર્લભ છે, કાળ એવો છે, કોને ખબર કોણ હશે? કેમ ઓળખાણ કરવી? અરે ! આ બધી ચર્ચા છોડો. આમ કરવાથી નહિ મળે. પ્રાપ્તિ થઈ શકે છે, મળી શકે છે, પ્રત્યક્ષ સદ્ગની પ્રાપ્તિ અનુગ્રહથી થાય છે. કોનો અનુગ્રહ? પરમાત્માનો અનુગ્રહ. પરમાત્મા જ્યારે કૃપા કરે, પરમાત્માનો જ્યારે અનુગ્રહ થાય ત્યારે સદગુરુને મોકલી આપે. તમે એમ માનો છો ને કે “પરમાત્માનો અનુગ્રહ થાય ત્યારે દીકરો મળે, પૈસા મળે.” આમાં ક્યાંથી મેળ પડે? ભગવાનને આવું કામ સોંપશો નહિ. ભગવાનનો અનુગ્રહ થાય ત્યારે સદ્ગુરુમળે. પરમાત્માએ એમ કહ્યું કે મને મળવાની ડાયરેક્ટ, હોટ લાઈન નથી. મને મળવું જ હોય તો સદ્ગુરુ દ્વારા મળી શકાય. સદ્ગુરુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy