SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૫૩ રસ્તેથી જવા દોડી. અકબર બાદશાહે સૈનિકને કહ્યું કે તેને ઊભી રાખો, ખબર નથી પડતી કે આ રસ્તેથી ન જવાય. તાની કહે, અત્યારે મને જવા દો. પછી જે શિક્ષા કરવી હોય તે કરજો. મારા પ્રિયતમ-પતિ આવ્યા છે, મારે તેને મળવું છે. એ મળીને પાછી આવી અને બાદશાહને કહે કે હવે જે શિક્ષા કરવી હોય તે કરો. બાદશાહ કહે, “તને ખબર નથી કે દિલ્હીનો બાદશાહ અહીં નમાઝ પઢે છે. તાનીએ જવાબ આપ્યો કે મને પ્રેમ એવો ઉભરાયો કે હું તેમને મળવા દોડી, એમાં વચ્ચે મને આપ ન દેખાયા, પરંતુ ખુદાની બંદગી કરતાં કરતાં હું તમને દેખાણી?” કેવી તાલાવેલી ? કેવી ધગશ તાનીને હતી ! આવી ધગશ આપણે આત્માની પ્રાપ્તિ માટે કરવાની છે. જ્ઞાન બે શબ્દોમાં વર્ણવીશું, વાચાજ્ઞાન અને અનુભવજ્ઞાન. અનુભવજ્ઞાન એટલે સ્પર્શ, અનુભૂતિ. તમે મોહનથાળનો ટુકડો મોંમાં મૂક્યો છે, સ્વાદ માણી રહ્યા છો, કોઈ દોસ્ત પૂછે કે કેવો છે? તો કહો છો કે “હમણાં બોલો નહિ, સ્વાદ માણવા દો', તેવી રીતે જેણે આત્માનો સ્વાદ ધ્યાનમાં માણ્યો, તેને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોનું સુખ પણ ફિક્કુ લાગશે. દેવલોકનાં ઘણા પ્રકાર છે, તેમાં ઊંચામાં ઊંચો દેવલોક અનુત્તર વિમાનનો છે. ત્યાંથી સિદ્ધશિલા ૧ર જોજન છેટી છે, પણ ડાઈરેક્ટ જવાનો રસ્તો નથી, નીચે આવવું પડે. ૩૩ સાગરોપમનાં આયુષ્યમાં સાડા સોળ સાગરોપમ પસાર થાય પછી જ પડખું ફેરવવાનું થાય. કેવું સુખ હશે ! તમે કેટલાં પડખાં ફેરવો છો? દેવોને કેટલો આનંદ, કેટલું સુખ, કેટલી શાંતિ? છતાં દેવો કહે છે કે આ સુખ છે ખરું પણ વિનાશી છે, આત્માના સુખ જેવું નથી. જે સમ્યગૃષ્ટિ છે તે જાણે છે કે આ સુખ ખરું પણ આત્માનું સુખ તો અલૌકિક સુખ છે. જેણે આ સુખ માણ્યું તેને અનુત્તર વિમાનનું સુખ પણ ફિક્કુ લાગે. આપણે તો પાઉંભાજીના સુખમાં કૂદાકૂદ કરી મૂકીએ છીએ, પાણીપુરી રસ્તા ઉપર ખાઈએ છીએ ત્યારે એ પાણીમાં કેટલી વખત હાથ બોળાય, અને કેટલી માખીઓ બેઠી હોય, છતાં ભણેલા ગણેલાં અને શિક્ષિત લોકો ત્યાં ખાતા હોય છે, આવું સુખ પણ તેઓને મીઠું લાગે છે, તેમને ક્યાં ખબર છે કે આત્માનું સુખ કેવું છે? એ સુખ અનુભવ વગર નહિ મળે. અનુભવ રસમેં રોગ ન શોકા, લોકવાદ સબ મેટા, કેવલ અચલ અનાદિ અબાધિત, શિવશંકરકા ભેટા. આવી અનુભવની ઘટના ક્ષણભર માટે ઘટે, તો કાયમ માટે એ જૂના સંસ્કારની પકડમાંથી બહાર નીકળી જાય, અને પછી પ્રચંડ પુરુષાર્થ કરી, સર્વ કર્મોનો ક્ષય કરી, મુક્ત થઈ જાય. એક જ વખત ક્ષણભર માટે અંતર્મુહૂર્ત ટચ થાય ને કામ થઈ જાય. આવો આત્મ અનુભવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy