SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ પ્રવચન ક્રમાંક - ૩૧, ગાથા ક્રમાંક - ૩૪ સંસારમાં અનંતવાર માણી છે. સંસારમાંથી મુક્ત થઈ, હવે આત્માનો અનુભવ કરો. આત્માનો અનુભવ કરવો હોય તો એ ઘટના કેવી રીતે ઘટશે? શું કરવાથી ઘટશે? તે વિચાર કરો. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચાં ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. આત્માનુભવની અદ્ભુત ઘટના છે. આત્મજ્ઞાન શબ્દ બોલીએ ત્યારે બે અર્થ કરવાં. એક વાચા જ્ઞાન અને એક અનુભવ જ્ઞાન. અધ્યાત્મના શાસ્ત્રો વાંચીને આત્મા આવો છે, નિશ્ચયનયથી આવો છે, દ્રવ્યાર્થિકનયથી આવો છે, પર્યાયાર્થિકનયથી અને વ્યવહારનયથી આત્મા આવી છે. આત્મા અજર, અમર, અવિનાશી, અજન્મા, અનાદિ અનંત છે. અનંત ચારિત્રમય, જ્ઞાનમય, દર્શનમય છે. નિત્ય છે-અનિત્ય છે. એક છે, અનેક છે. અસ્તિત્વ, વસ્તુત્વ અને પ્રમેયત્વ એના ધર્મો છે. આ બધી જ વાતો શાસ્ત્રોમાંથી મળશે અને તમે વાંચી શકશો, જાણી શકશો, એ જાણવું તેને જ્ઞાન કહે છે પણ તે વાચા જ્ઞાન. આ શબ્દ જ્ઞાન એ કામ કરે કે આવી પણ વસ્તુઓ જગતમાં છે. પરંતુ તમારામાં કોઈ ફેરફાર થાય નહિ. અંદરમાં કંઈ ઘટે નહિ. તમને કકડીને ભૂખ લાગી હોય અને કોઈ માણસ બોલે આ મોહનથાળ, આસુરતની ઘારી, આ ખંભાતનું હલવાસન, આમ પચાશ કે સો મીઠાઈના નામ બોલી જાય, તો તમને ગુસ્સો આવે કે નહિ? ફક્ત બોલવાથી શું વળે? તેમ આત્માને જાણવો જરૂરી છે, પણ માત્ર જાણવાથી કામ નહિ ચાલે, અનુભવ જોઈશે. અનુભવ અભ્યાસ વગર નહિ થાય, પ્રક્રિયા વગર નહિ થાય, અને ધ્યાન વગર પણ નહિ થાય. હું ફરી વખત તમને કહું છું કે વચનથી આત્મા જણાશે નહિ. જાણ ચારિત્ર તે આત્મા, નિજ સ્વભાવમાં રમતો રે, લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહ વને નહિ ભમતો રે. અપ્રમત જે નિત રહે, નવિ હરખે નવિ શોચે રે, સાધુ સુધા તે આત્મા, શું મૂંડે શું લોચે રે. આવી આત્માની દિવ્ય અને અલૌકિક, અદ્ભુત વાત સાંભળ્યા પછી થાય છે કે હું એવો અનુભવ ક્યારે કરું? પ્રેમીઓને વર્ષોના વિરહ પછી પ્રિય પાત્રને ક્યારે મળું? ક્યારે મળું? એવું થાય છે તેમ આત્મા માટે વિરહ લાગવો જોઈએ. એક વખત અકબર બાદશાહ નમાઝ પઢતા હતા તે જગ્યા સ્પેશીયલ હતી, ત્યાંથી જવાનો ટૂંકો રસ્તો હતો. લાંબા સમય પછી આવતા તાનસેનને મળવા તેની પત્ની તાની, બાદશાહ નમાઝ પઢતો હતો તે ટૂંક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy