SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ३४४ પ્રવચન ક્રમાંક - ૩૦, ગાથા ક્રમાંક - ૩૨, ૩૩ આવીએ, કાગડાઓ આકાશમાં ઊડતાં ઊડતાં જાય, હરદ્વારમાં ગંગા સ્નાન કરી પાછા આવે ત્યારે બગલાં થઈને પાછા આવે છે? સ્નાન કરીને મેલ નીકળી ગયો? કાશીએ જાય તોપણ કાગડા તો કાળાં જ રહેવાના. જેના જેવાં ઢળ્યાં હોય ઢાળાં, તે કોઈ દિ બદલે નહિ રે લોલ. ઢાળા બદલાવવાં પડશે. ટેવ અને આદત બદલવી પડશે. વર્તન, અભિગમ, એપ્રોચ અને બીજા સાથેનો વ્યવહાર પણ બદલવો પડશે. બીજા તમને કહેશે કે સાંભળવા જાવ છો પણ શું સાંભળી આવ્યા? સાસુમા સાંભળવા આવતાં હોય અને ઘેર જઈ છનછન છનછન કરતાં હોય તો વહુ કહેશે, સાસુજી! તમે શા માટે જાઓ છો? અમે નથી જતાં તે શું ખોટાં? આવી હદે ન પહોંચશો. પ્રકૃતિ બદલવી પડશે. પ્રકૃતિનું આંતર નિરીક્ષણ કરવું તે ખરું નિરીક્ષણ છે. બારીકાઈથી જુઓ, કષાય પાતળા પડ્યાં? મેલ ઓછો થયો? પોતાના દોષો જોવા જોઈએ. તમે ડૉક્ટર પાસે જાવ. દર્દનું નિદાન કરાવી, ચાર દિવસની દવા લઈ આવો. ચાર દિવસ દવા લઈને જોવો છો ને કે દર્દ ઓછું થયું? તેમાં સુધારો થયો? સુધારો ન થાય તો બીજા ડૉક્ટર પાસે જાવ. સાધના કરો ત્યારે પણ જોવું જોઈએ કે કંઈ દોષો ઓછાં થયાં ? સાધના કરો તો પોતાના દોષો ઘટવા જ જોઈએ. પાંચમી વાત – પોતે સ્વછંદે વર્તે છે - હું બહુ ધીરે ધીરે કહી રહ્યો છું. હું તમારી અંદર ઊતરે તેમ ઈચ્છું છું. બહુ જોરદાર વરસાદ પડે તો ખેડૂતો કહેશે, આ પાણી નહિ ટકે. વરસાદ ધીરે ધીરે વરસે તો પાણી જમીનમાં ઊતરે. મારે જોરથી વરસાદ વરસાવવો નથી. મારે જમીનને એટલે તમને પલાળવા છે, હૈયું પલાળવું છે, ભીતર પલાળવું છે. સ્વછંદે વર્તે તો ગાઢ કર્મનો બંધ કરી સંસારમાં રઝળે. વળી જો તેને સંસારમાં ભોગોની આસક્તિ હોય તો તે મોક્ષાર્થી થઈ શકે નહિ. તમારે બેમાંથી એકને તો પસંદ કરવું જ પડશે. કાં તો ભોગને પસંદ કરો અથવા વૈરાગ્ય પસંદ કરો, પરમાર્થને પસંદ કરો અથવા માયાને પસંદ કરો, જ્ઞાનને અથવા મોહને પસંદ કરો, સદ્ગુરુને અથવા સંસારને પસંદ કરો, અને જે પસંદગી કરી હોય તેવો વ્યવહાર જીવનમાં જોડવો પડશે. જે સંસારમાં રાજી રહે, જેને સંસાર દુઃખરૂપ લાગે નહીં, તે જીવ મોક્ષાર્થી થઈ શકે નહિ. તમને સંસાર મીઠો મધ જેવો લાગે છે. મીરાંબાઈએ તો કહ્યું છે કે, “સાકર શેરડીનો સ્વાદ તજીને, કડવો લીમડો ઘોળ મારે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા રે.” મહત્ત્વની વાત તો એ છે કે ધર્મ ક્રિયા કરે, જ્ઞાનની વાતો કરે, વૈરાગ્યનો ઉપદેશ સાંભળે, અને છતાં તેના હૃદયમાં આસક્તિ હોય, મમત્વ હોય, અહંકાર હોય, સ્વછંદ હોય એવો જીવ આત્મસાધના કરી શકે નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy