SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કરી શકશે નહિ. બીજી વાત - જેને અંતર વૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, અંદરથી વૈરાગ્ય આવ્યો નથી તે પણ આત્માર્થની સાધના કરી શકશે નહિ. જેને વૈરાગ્ય હોય તેના જીવનમાં આનંદ હોય, આસ્વાદ હોય, આહૂલાદ હોય, એક પ્રકારની મસ્તી તેના જીવનમાં હોય, કારણ? તેને સમજાઈ ગયું છે જગતનાં પદાર્થો અનિત્ય અને નાશવંત છે. જીસ ઘર અંદર આઈ ચડા હૈ, સો ઘર નાહિ તેરા, ઐસે ઐસે ઘર બહોત બનાયે, રાહ ચલણ જયું ડેરા. જે ઘરમાં આવીને ચડ્યાં છો, તે ઝૂપડું હોય કે દસ બેડરૂમનો ફલેટ હોય, તું ખુશ ખુશ થતો હોય તો પણ ભલે, જે ઘરમાં તું આવી ચડ્યો છે તે ઘર તારું નથી, કારણ કે સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં આવાં ઘર ઘણાં મળ્યાં. વ્હાલાં રે વ્હાલાં શું કરો રે, વ્હાલાં વળાવીને વળશે, હાલાં તે વનનાં લાકડાં, તે તો સાથે જ બળશે. એક રે દિવસ એવો આવશે. (ઉદયરત્ન મ.) આ કંઈ નિરાશાની વાત નથી, આ વાત સત્ય છે. તે સમજીને જેના અંદરથી આસક્તિ ચાલી ગઈ છે, તેને કહેવાય છે અંતર વૈરાગ્ય. ત્રીજી વાત - આત્મામાં ગુણ ગ્રહણ કરવાની સરળતા જેમનામાં નથી તે આત્માર્થની સાધના કરી શકશે નહિ. ચોથી વાત - સત્ય અને અસત્ય સમજવા અપક્ષપાત દૃષ્ટિ જેની નથી, તે મતાર્થી છે. ક્રિયાજડની વાત કરી તે મતાર્થી, શુષ્કજ્ઞાનીની વાત કરી તે પણ મતાર્થી અને છેલ્લે સમીંગ અપમાં નિષ્કર્ષમાં આ ચાર બાબતો બતાવી એ જેનામાં છે તે મતાર્થી, આવો જીવ દુર્ભાગી એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મોક્ષમાર્ગને પામવા ભાગ્યશાળી નથી. એવો આ દુર્ભાગી જીવ છે, કમનસીબ જીવ છે. અને છેલ્લે છેલ્લે શાસ્ત્રોનું એમ કહેવું છે કે ધાર્મિક ક્રિયા કરતો હોય, પણ ધાર્મિક ક્રિયા કરતાં પોતાની જે પ્રકૃતિ છે તે બદલાઈ છે કે નથી બદલાતી એ જોતો ન હોય તો તે આત્માર્થી જીવ કહેવાય નહિ. ધાર્મિક ક્રિયા કરતો હોય, ભગવાનની કે પરમકૃપાળુદેવની મૂર્તિ સામે જોતો હોય, પૂજા પાઠ કરતો હોય, આત્મસિદ્ધિ પારાયણ કરતો હોય, શાસ્ત્રો વાંચતો હોય, બહુ આનંદી વાત.પરંતુ આવી ધાર્મિક ક્રિયા કરતો હોવા છતાં પોતાની ટેવો, પોતાની આદત, પોતાના સંસ્કાર બદલતો ન હોય તો પરિણામ મીંડુ! મેં ઘણી વખત કહ્યું છે કે “કાશીએ જાય તો પણ કાગડાં કાળાં.” મુંબઈથી અનેક કાગડાઓનો સંઘ કાશીએ જતો હોય, કે ચાલો આપણે હરદ્વાર ગંગામાં સ્નાન કરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy