SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૪૧ ન હોય તો ઘણાં લોકો આશ્રમમાં રહેવા જાય છે. આવતી કાલે આશ્રમમાં પણ બળાપો થશે તો ક્યાં જશે? વૈરાગ્ય આંતરિક અવસ્થા છે. આંતરિક વૈરાગ્ય એટલે અંતરમાંથી આસક્તિ છૂટી જવી. એ ઘટના જ્યારે ઘટે ત્યારે જગતના પદાર્થો, જગતના બનાવો, જગતની પરિસ્થિતિ એના ઉપર છાપ ન પાડે. એનું મન વ્યગ્ર અને વ્યાકુળ ન બને. જગત છે, જગતમાં સંયોગો જુદાં જુદાં હોય, અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, ઠીક અઠીક હોય, માન, અપમાન પણ એમાં હોય, તે વખતે તેના મન ઉપર અસર ન થાય, મન ડહોળાઈ ન જાય, એનું મન વલોવાઈ ન જાય કારણકે તેને અંતર વૈરાગ્ય છે, આસક્તિ નથી. ત્રીજી વાત :- ‘આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી.’ સરળપણું કોને કહેવાય ? આપણે ઘણી વખત કહીએ છીએ કે આ માણસ બિચારો બહુ સરળ છેએટલે તેનો ઉપલો માળ ખાલી છે, તેને ગમ પડતી નથી, આવી સરળતા નહિ. પરંતુ તીવ્ર બુદ્ધિશાળી હોય, હોંશિયાર, જાણકા૨, તમામ પ્રકારનો બુદ્ધિનો વૈભવ જેનામાં હોય, અને આવો હોવા છતાં બીજામાં રહેલા સદ્ગુણોને નમ્રતાપૂર્વક ગ્રહણ કરવાની જેની તૈયારી છે તેને કહેવાય છે સરળતા. બીજાને ન છેતરવા, કપટ ન કરવું, માયા ન કરવી, દંભ અને આડંબર ન કરવો, દેખાવ ન કરવો, હોય તેથી વધારે ગાવું નહિ-આ બધા સાધનો તો કરવાનાં જ, પણ ખરી વાત તો એ કે બીજામાં સદ્ગુણો હોય તે સદ્ગુણોને ગ્રહણ કરવાની પોતામાં તૈયારી હોય. બીજાને જાણે, સમજે, બીજાને ધન્યવાદ આપે, તેને હાથ જોડે, તેના ગુણાનુવાદ કરે, તેની પ્રશંસા કરે, તેનો સંગ કરે, તેના આશીર્વાદ મેળવવા તૈયાર હોય તેને કહેવાય છે સરળતા. ગમે તેટલો લાભ થતો હોય પરંતુ જો તેમાં કપટ કરવું પડતું હોય તો લાભ છોડવા માટે જેની તૈયારી છે, તેને કહેવાય છે સરળતા. લાખો રૂપિયા મળતાં હોય તો કહેશે કે થોડું ખોટું તો કરવું પડે, થોડું જુઠું તો બોલવું પડે એ સરળતા નથી. માંદો ન હોય અને સીક લીવ મૂકે. રજા મંજૂર થઈ, રજા ભોગવી લીધી પણ યાદ રાખજો, ભવિષ્યમાં કમ્પલસરી ૨જા ભોગવવી પડશે. કપટ કર્યું ને ? આવું કપટ જે જીવનમાં કરતો નથી, માયા કરતો નથી અને બીજામાં રહેલાં સદ્ગુણોને ગ્રહણ કરવા જે તૈયાર છે, આવી અવસ્થા જેના જીવનમાં છે તેને કહેવાય છે સરળ. આવી સરળતા જેના જીવનમાં નથી તે સાધના કરી શકશે નહિ. શાસ્ત્રને એમ કહેવું છે કે સરળતા જીવનમાં નહીં હોય તો મોક્ષ નહીં મળે. કેટલાક લોકો તો એવા હોય છે કે આખા દિવસમાં કોઈને ન છેતરે તો ચેન ન પડે કે આજ કોઈને છેતર્યા નહિ. આજનો દિવસ નકામો ગયો. એ વિચારતો નથી કે જીવનમાં સરળતા આવશે અને માયા કંપટ જશે તો ધર્મ થશે. નરસિંહ મહેતાએ પણ ગાયું છે કે -મોહ માયા વ્યાપે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy