SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ પ્રવચન ક્રમાંક - ૩૦, ગાથા ક્રમાંક - ૩૨, ૩૩ એટલે તમને સ્ટેબીલીટી આપે એવાં, તમે વિચાર કરી શકો, તમે ચિંતન, મનન અને અવલોકન કરી શકો તેવાં. તમે ઘેરથી ઝગડો કરીને પ્રવચનમાં જાવ પછી ત્યાં પ્રવચન સાંભળવાનો અવકાશ મળે ? મનમાં શાંતિ ન હોય તો પ્રવચન કેવું જાય ? એક વાત સમજી લો. તમે જ્યારે ક્રોધ કરો છો, અહંકાર કરો છો, માયા-કપટ કે લોભ કષાય કરો છો ત્યારે તમે તમારી શક્તિ ખોઈ બેસો છો. પરમકૃપાળુદેવે એક સિદ્ધાંત આપ્યો છે, ‘એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. આ શાંતભાવ મહત્ત્વનો શબ્દ છે. કષાયો પાતળાં પડે તો શાંત અવસ્થા આવે અને ક્ષય થાય તો વીતરાગતા આવે. વીતરાગતા આવતાં પહેલાં સાધકને ઘણી બધી અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે. કારખાનામાં પણ માલ તૈયાર થતાં પહેલાં માલને ઘણી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. સાધક ઘણી અવસ્થાઓ પાર કરે પછી જ વીતરાગ બને છે. જેને ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયો પાતળાં પડ્યા નથી, તેને ઘણી જાગૃતિપૂર્વક કામ કરવું પડે છે. જેને દૂધ ન પચતું હોય તેને ડૉક્ટર સલાહ આપે છે કે દૂધમાં પાણી નાખી, ગરમ કરી પછી પીવો, તો તમને દૂધ પચશે, તેમ જો તમે કષાયોને પાતળા કરો તો ધર્મ પચશે. કષાય પાતળાં થાય તો તેમાં જોર, સામર્થ્ય અને શક્તિ નહિ રહે. તમને ભાન ભૂલાવી દે તેવી અવસ્થા નહિ થાય, અને સૌથી મોટો લાભ એ કે જો તમારું મન અશાંત ન બને તો તમારા મનને અવકાશ મળશે. તેને માનસિક નિવૃત્તિ કહે છે. અહંકાર હોય તો તમને શાંતિ ન મળે. કોઈને ત્યાં લગ્ન હોય અને તમને કંકોત્રી ન મોકલી તો તરત જ અહંકાર-માન સળવળશે. કાંઈ વાંધો નહિ, બતાવી દઈશું એમને, આ અશાંતિ. અંદર કષાયો હોય તો શાંતિ કેમ રહે ? ક્રોધ, માન-અહંકાર થાય ત્યારે તે આપણાં મનને ડહોળી નાખે છે. ચિત્તને વ્યગ્ર અને વ્યાકુળ કરે છે. આપણને અંદરથી અશાંત બનાવે છે. અશાંત હશો ત્યાં સુધી શાસ્ત્રોનું વિધિપૂર્વક શ્રવણ નહીં કરી શકો, અને તત્ત્વ શ્રવણ પછી મનન નહિ કરી શકો. અને તત્ત્વનું મનન કર્યા વગર તત્ત્વને જીવનમાં વણી નહીં શકો. (૧) જેના કષાયો પાતળા પડ્યા નથી (૨) જેને અંતરમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, અહીં અંતર શબ્દ મૂક્યો છે. અંતરવૈરાગ્ય કોને કહેવાય ? માબાપ કહેતાં હોય છે કે આ છોકરાને ભણાવી ગણાવી મોટો કર્યો, અમેરિકા મોકલ્યો અને લગ્ન કર્યા એટલે ઊડી ગયો, બળ્યો આ સંસાર ! આને વૈરાગ્ય ન કહેશો, આ બળાપો અને અજંપો છે. આ મૂંઝવણ અને નિરાશા છે, પણ વૈરાગ્ય નથી. વૈરાગ્ય જુદી વસ્તુ છે. ઘરમાં માન સન્માન જળવાતું ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy