SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૩૯ कृतापराधेऽपि जने, कृपामंथरतारयोः । ફષબાષ્પાર્તયોર્મવ્ર, શ્રીવીરબિનનેત્રયો: II (શ્રી હેમચંદ્રાચાર્યજી) ભગવાન મહાવીરની આંખ અશ્રુભીની થઈ ગઈ. એમને એવો ભાવ આવ્યો કે આ સંગમ મારી પાસે છ છ મહિના રહ્યો, ન સમ્યગ્દર્શન પામ્યો, ન બોધિ બીજ પામ્યો કે ન માર્ગાનુસારી બન્યો, ન આત્માર્થી થયો. મારી પાસે રહીને પોતાનો અનંત સંસાર વધારીને ગયો. આવા કરુણાભાવથી ભગવાનની આખમાં આંસુ આવ્યા. તીર્થંકરદેવને જ્ઞાની પુરુષોને ઓળખો. હાથ તો જોડીએ છીએ પણ તેમની કરુણા કેવી હશે તે વિચારો. અમે હાજર છીએ અને માર્ગ હાજર છે, છતાં આ જીવો પામતાં નથી, મોહમાંથી મુક્ત થતાં નથી, એવી કરુણા જ્ઞાની પુરુષના હૃદયમાં થાય છે. અહીં એક શબ્દ વાપર્યો છે. એ શબ્દ ખેદમાંથી આવ્યો છે. માણસ ભાગ્યહીન છે. એ દુર્ભાગ્ય છે. અંબાલાલભાઈ તેમની ટીકામાં કહે છે જેને ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાય પાતાળા પડ્યાં નથી તે મોક્ષ મેળવવા દુર્ભાગી છે. કષાયોનો સંપૂર્ણ ક્ષય તો ક્ષપક શ્રેણીમાં દશમા ગુણસ્થાનના અંતે થાય છે. બારમા ગુણસ્થાને એક કષાય રહ્યો નથી. કોઈને આંગણે એક કૂતરું આવ્યું, તેને ભાઈએ રોટલાનો ટુકડો નાખ્યો. બસ પછી તેની બેઠક ચાલુ થઈ ગઈ. બીજે દિવસે અને ત્રીજે દિવસે પણ આપો, એમ પંદર દિવસ આપો તો કૂતરું એમ માનશે કે મને સીક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી મળી ગઈ છે. અને કૂતરાને માલિક હટ કહેશે તો માનશે કે મને પ્રેમમાં કહે છે. ઓલો માણસ વધારે ગુસ્સે થાય તો ઊભો થાય, થોડું ચાલે, અને પછી પાછું વળી જુએ કે માલિક આવે છે ? થોડી વાર દૂર જઈ અને કલાક પછી પાછો આવી આંગણે બેસી જાય. પંદર દિવસમાં પરમેનન્ટ થઈ જાય. તે આંગણું છોડવા તૈયાર નથી, તો અનંતકાળના કષાયો આપણને કેમ છોડે ? Jain Education International કષાયો આપણાં વગર રહી શકતાં નથી, અને આપણે કષાયો વગર રહી શકતાં નથી. સંપૂર્ણ ક્ષય તો ક્ષપક શ્રેણીમાં થાય, પરંતુ પહેલાં કષાયો પાતળાં પડે તો અંદરમાં એક પ્રકારની શાંતિ થાય, વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થાય. તમે અંદર જોશો તો ખ્યાલ આવશે કે તમે જ્યારે ક્રોધમાં હશો ત્યારે તમારી અવસ્થા જુદી હશે અને પછી તમારી અવસ્થા જુદી હશે. મને લાગે છે તમારાથી ક્રોધ થઈ જતો હશે અને પછી થાય કે આ ક્રોધ કર્યો ન હોત તો સારું હતું. ખોટી ઉતાવળ કરી, પરંતુ આ પછીનું ડહાપણ શું કામનું ? શાસ્ત્રોને એમ કહેવું છે, કષાયો ઓછાં થયા હોય, ક્રોધ પાતળો પડ્યો હોય, અહંકાર, માયા અને લોભ પાતળાં પડ્યાં હોય તેવી અવસ્થા જોઈએ. પાતળા એટલે જોર વગરનાં, શક્તિ વગરનાં, સામર્થ્ય વગરનાં અને તમને બેભાન ન કરી મૂકે તેવાં. પાતળાં For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy