SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ પ્રવચન ક્રમાંક - ૩૦, ગાથા ક્રમાંક - ૩૨, ૩૩ કરુણામાંથી આવી છે. તીર્થંકરદેવોને એમ થાય છે કે અમારું જગતમાં શાસન છે, અમારા સમવસરણમાં તમે આવો છો અને પામ્યા વગર જાઓ છો ? એક ઘટના ઘટી હતી. દેવલોકમાં ઈન્દ્ર મહારાજાએ પ્રશંસા કરી કે ભગવાન મહાવીર એ પરમ ધૈર્યનાં સાગર છે, એમને ધ્યાનમાંથી, કાઉસ્સગ્ગમાંથી કોઈ ચલાયમાન ન કરી શકે. સંગમ નામના એક દેવને એમ લાગ્યું કે આ ઈન્દ્ર ગમે તેટલા વખાણ કરે પરંતુ માનવની હેસિયત શું ? એ જરાપણ હલે ચલે નહિ એવું બને ખરું ? હું જઈને પરીક્ષા કરું. એ દેવ ધરતી ઉપર આવ્યો. કથા એવી છે કે તેણે લાગલાગટ છ મહિના સુધી જેટલાં અપાય તેટલાં દુઃખો, કષ્ટો ભગવાન મહાવીરને આપ્યા. સંગમે રાત દિવસ હેરાન કરવામાં બાકી રાખ્યાં નથી. આપણી પરિભાષામાં કહીએ તો રાતદિવસ સુખેથી શ્વાસ લેવા દીધો નથી. સુખેથી બેસવાં, ઊંઘવા કે આહાર લેવા દીધો નથી. કારણ વિના એક રાત્રિમાં ૨૦ ઉપસર્ગો કર્યા. તેનું વર્ણન શાસ્ત્રમાં છે. ધૂળનો વરસાદ વસાવ્યો અને નાક સુધી ધૂળ આવી ગઈ, અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. કીડીઓ એવી તૈયા૨ કરી કે એક બાજુથી પેસે તો બીજી બાજુ નીકળે. ચામડી ચારણી જેવી થઈ ગઈ. મેરૂપર્વતના મજબૂત શિખર ઉપર પડ્યું હોય તો તેના ચૂરેચૂરા કરી નાખે તેવું એક હજાર ભાર વજનવાળું કાલચક્ર પ્રભુના શરીર ઉપર નાખ્યું. તે શરીર ઉપર પડવાથી પ્રભુ ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયા. આવા અનેક ભયંકર કષ્ટો આપ્યા. છ મહિના સુધી તે દેવે કરેલા ઉપસર્ગોને પ્રભુએ સમભાવે સહન કર્યા. પ્રભુને છ મહિના સુધી આહાર ન મળવા દીધો. પ્રભુને છ મહિનાના ઉપવાસ થયા, પણ ભગવાન મહાવીરે વિરોધ કર્યો નહિં. અંતે સંગમ હાર્યો અને થાક્યો. તેણે કબૂલ કર્યું કે જે હેતુ માટે આવ્યો હતો, તેમાં સફળતા ન મળી. ભગવાન મહાવીર તો સાગર જેવાં ગંભીર છે અને મેરૂ પર્વત જેવા અડોલ છે, હિમાલય જેવાં ધૈર્યવાન છે, એમને ધ્યાનમાંથી હું દેવ હોવા છતાં ચલાયમાન કરી શક્યો નહિ, કે ડગાવી શક્યો નહિ. અંતે નિરાશ થઈ પાછો ગયો. સંગમ જ્યારે પાછો વળ્યો ત્યારે ભગવાનની આંખમાં આંસુ આવ્યા. ટીકાકારો કહે છે કે ભગવાન મહાવીરે સંસારનો પરિત્યાગ કર્યો ત્યારે મોટાભાઈ નંદિવર્ધન હાજર હતાં, તેઓ ધ્રુસકે ધ્રુસકે રડે છે કે હે વી૨ ! અમે તારા વગર ક્યાં જઈશું ? કોની સાથે વાત કરીશું ? તારા વગર મહેલો સૂના લાગશે. તું અમને મૂકીને જાય છે ? તે વખતે મિત્રો, સ્વજનો રડે છે, છતાં આશ્ચર્યની વાત છે કે ભગવાનની આંખમાં આંસુ નથી. મોટાભાઈ રડે અને આંખમાં આંસુ ન આવે ? સંગમ નામનો દેવ છ છ મહિના રહ્યો, આટલાં કષ્ટો આપ્યાં, આટલો ત્રાસ ગુજાર્યો છતાં આંસુ ન આવ્યા. પણ જ્યારે સંગમ હારીને જાય છે ત્યારે આંસુ આવ્યાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy