SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા વેદનીય કર્મનું કામ છે. આમ અઘાતી કર્મોનો સંબંધ ભૌતિક અવસ્થા સાથે છે. સકલ પદારથ હૈ જગમાંહી, ભાગ્ય વિના એ પાવત નાહીં. તુલસીદાસજીએ કહ્યું, જગતમાં બધાં પદાર્થો મેળવવાનું સાધન જોઈએ. એ સાધન માટે તુલસીદાસજીએ ભાગ્ય શબ્દ આપ્યો, અને જૈનદર્શનમાં તેને માટે કર્મ શબ્દ આપ્યો. બહારમાં તમને જે કંઈપણ મળે છે તે કર્મની વ્યવસ્થા છે. બીલ ગેઈટ્સ પાસે કરોડોની સંપત્તિ છે, તે પુણ્ય કર્મની વ્યવસ્થા છે. પચાસ અબજમાંથી પચીસ અબજ દાનમાં આપ્યાં, થોડો મોહ ઘટ્યો. દાન આપ્યા પછી મેં દાન આપ્યું એમ અહંકાર થાય તો ફરી મોહ મજબૂત થાય છે. આ મોહનીય કર્મનો ખેલ ! આવો ખેલ અંદર નિરંતર ચાલ્યા કરે છે અને ફરી કર્મ અને ફરી સંસાર ઊભો થાય છે. પરમકૃપાળુદેવે સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે, મોહભાવ ક્ષીણ હોય જો, અથવા હોય પ્રશાંત, તે કહીએ, જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. જો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય અને મોહનીય કર્મ અકબંધ છે તો જ્ઞાન પામે પણ દશા નહિ, અને જો મોહનીય કર્મનો ક્ષય કે ઉપશમ થાય તો દશા પામે. આ જો ન બન્યું તો બાકી બધું ભ્રાંત એટલે ભ્રમણા છે, ભ્રાંતિ છે. અમે જ્ઞાની છીએ, અમે બધા જ્ઞાની છીએ. હવે નાચો, કૂદો, આનંદ કરો. કોણ તમને ના પાડે છે ? પણ તે અવસ્થા નથી. એક કસોટી છે. મોહ પ્રશાંત અથવા ક્ષય થયો હોય તો જ્ઞાની દશા, નહિ તો ભ્રમણા છે. કોઈ તમને એમ કહે કે મારા હજાર શિષ્યો છે, મારો મોટો આશ્રમ છે, સોનાનાં પતરાંથી મઢ્યો છે, મેં આટલાં આટલાં કામો કર્યા છે, ભલે રહ્યું બધું, પરંતુ પહેલાં એ કહો કે તમારો મોહ ઓછો થયો ? વૃત્તિઓ નાબૂદ થઈ ? મોહ શાંત કે ઉપશમ થયો ? એની માત્રા ઘટી ? એ નબળો પડ્યો, તેનું બળ ઓછું થયું ? એની શક્તિ અને તાકાત ઓછી થઈ? ઘણાને સીત્તેર વર્ષે પણ એમ થાય છે કે બીજા કરોડ કમાઈ લઉં, બીજી વાર લગ્ન કરું. ભાઈ, હવે તું જપી જા. તને સીત્તેર વર્ષે પણ આ વિચાર આવે છે ? તારામાં મોહનું જોર છે. મોહ તને ખેંચી જશે. જ્યાં સુધી મોહમાં કંઈ ફેર નહિ પડે, ત્યાં સુધી બાજી સુધરશે નહિ. કોઈની કીડની બગડી હોય અને શરદીની દવા લે તો કંઈ કામ ન થાય. કીડની વધારે બગડશે. દવા કીડની માટે લેવી જોઈએ, તેમ અહીં સાધકને જે કામ કરવાનું છે તે બીજા કર્મો ઉપ૨ ક૨વાનું નથી પણ મોહનીય કર્મ ઉપર કરવાનું છે. મોહ ઉપર જો તમારો કાબૂ ન હોય તો તેનો ક્ષય ન થાય. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે, મોહનીય કંર્મ ઉપર તરવાર પડવી જોઈએ. કામ મોહ ઉપર થવું જોઈએ. કામ માત્ર Jain Education International For Personal & Private Use Only ૩૨૯ www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy