SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ પ્રવચન ક્રમાંક - ૨૯, ગાથા ક્રમાંક - ૩૦, ૩૧ જ્ઞાનથી નહિ થાય પણ અનુભવથી થશે. માત્ર શ્રુતજ્ઞાન કે શાસ્ત્રજ્ઞાનથી નહિ થાય. તમે એવો અર્થ ન કરશો કે અમે શાસ્ત્રો વાંચવાની ના પાડીએ છીએ. આપણે આત્મસિદ્ધિ શાસ્ત્ર જ વાંચી રહ્યા છીએ. એ શ્રુતજ્ઞાન છે, એનું વાંચન થઈ રહ્યું છે. એ શ્રુતજ્ઞાનને અનુભવ જ્ઞાનમાં બદલવું જોઈશે. બાસુંદી બનાવવી હોય તો મૂળ તત્ત્વ જે દૂધ છે, તેને કઢવું પડે છે, તેમ જ્ઞાન દૂધ છે અને અનુભવ જ્ઞાન બાસુંદી છે. જ્ઞાનને લૂંટવું પડે. જ્ઞાનને ઘૂંટવાની પ્રક્રિયા શ્રવણ, મનન અને નિદિધ્યાસન. ચોથી પ્રક્રિયા ધ્યાન અને પાંચમી પ્રક્રિયા જીવનનાં હર કામમાં, હર ક્ષણમાં, હર પ્રવૃત્તિમાં સંપૂર્ણ જાગૃતિ. જાગીને જીવો. જ્ઞાન અનુભવમાં પરિવર્તિત થઈ જશે. અનુભવ જ્ઞાનને શ્રુતજ્ઞાન (કાચો માલ-રો મટીરીયલ) જોઈશે. ઈરાન અને અરબસ્તાનના કૂવામાંથી, જમીનમાંથી રગડો નીકળે છે. તેમાંથી પેટ્રોલ, ડીઝલ, ઘાસલેટ છૂટું પડે છે. આ બધું છૂટું પાડવું પડે, પરંતુ નીકળે રગડો. તેમ શાસ્ત્રજ્ઞાન જોઈએ પણ તેમાંથી તત્ત્વો જુદા પાડવા પડે. એ જુદા પાડવાનું કામ સાધનાથી થાય, અને તેમાંથી જે પ્રગટ થાય તે અનુભવ જ્ઞાન. અનુભવ જ્ઞાન મોહ ઉપર અસર કરે અને મોહ શાંત થાય. અંતરદશા પ્રગટ થાય. આ સાચા રસ્તે જવું પડશે. તેથી જ્ઞાની પુરુષોએ કહ્યું કે, “જ્ઞાન પમાય દશાથી.” દશા કેવી રીતે પ્રાપ્ત થશે ? અનુભવ જ્ઞાનથી, અનુભવ જ્ઞાન શું કરશે? મોહ ઉપર અસર કરશે. તેથી મોહ શાંત થશે, મોહનો ઉપશમ થશે. સૂર્યને જોઈને જેમ કમળ ખીલે છે, તેમ ચૈતન્યકમળ ખીલશે. ચૈતન્યકમળને ખીલવવાની આ પ્રક્રિયા છે. અને સાથે સાથે બીજા બધા જ કર્મો અંતર્મુહૂર્તમાં (૪૮ મિનિટની અંદરનો સમય) ખતમ થઈ જશે. ફક્ત ચાર અઘાતિ કર્મો બાકી રહી જશે. જ્ઞાની પુરુષોને કેવળજ્ઞાન થયા પછી પણ તે ભોગવવાં પડે છે. કોઈ આત્માર્થીએ આઠ વર્ષની ઉંમરે સંયમ ગ્રહણ કર્યું, નવ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન થયું અને જ્ઞાન થયા પછી તેઓને કરોડો વર્ષનું આયુષ્ય હોય અને તે જીવન દરમ્યાન, જવું-આવવું વિગેરે ગમનાદિ તથા ઉપદેશ આદિ ક્રિયાઓ તેઓ કરે છતાં તેમને કર્મબંધ થતો નથી. તેમના ઉપર પણ અઘાતિ કર્મોની સત્તા છે. તેમને જીવવું તો પડશે પણ તેમને જીવનનો કંટાળો કે અણગમો નથી. જીવનનું સ્વાગત છે. જીવન તો બક્ષિસ છે. શરીર, બાહ્ય પદાર્થો, બાહ્ય પરિસ્થિતિ, બાહ્ય સંયોગો એ બધું તમે ગમે તેટલું મથશો પણ બદલાવી નહિ શકાય. આ તમારાથી નહીં મટે, કર્મતંત્ર ઉપર તેનો આધાર છે, સામ્રાજ્ય કર્યતંત્રનું છે. શાતાવેદનીય હશે તો શરીર સારું રહેશે. અને શાતાવેદનીય નહિ હોય તો હજાર રૂપિયાની ભસ્મ ખાશો તો પણ શરીર સારું નહિ થાય. આ ચારે ચાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy