SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ પ્રવચન ક્રમાંક - ૨૯, ગાથા ક્રમાંક - ૩૦, ૩૧ જવાનું. મોહ સંસારનું મૂળ છે. મોહને પાણી પાશો તો સંસાર લીલોછમ, મોહને ઉખેડી નાખશો તો મોક્ષ મળશે. કામ ડાળીઓ અને પાંદડા ઉપર કરવાનું નથી પરંતુ કામ મૂળ ઉપર કરવાનું છે. મોહ તે જ મૂળ છે. સંસારનું મૂળ મોહ છે. અનંતકાળમાં તમે ઘણું બધું કર્યું છે, પરંતુ મોહ અકબંધ અને અકબંધ જ રહ્યો છે. ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં સિદ્ધર્ષિગણિએ અલંકારિક ભાષામાં કહ્યું છે કે તમે મંદિરમાં જાવ, તીર્થયાત્રા કરવા જાવ, પૂજા કરો, પાઠ કરો, દાન કરો, અનુષ્ઠાન કરો, શીલ પાળો, બ્રહ્મચર્ય પાળો, સામાયિક અને પ્રતિક્રમણ કરો, છૂટ છે, ના નથી પણ એક બાબત છે કે, કોઈ જીવંત જ્ઞાની પુરુષ પાસે જશો ત્યારે જ મોહ ખતમ થશે. મોહ કહે છે, તમારાં વ્રત, તપ, જપ મને ખતમ નહિ કરે પણ આ જીવતો જ્ઞાની પુરુષ મને ખતમ કરશે. સદ્દગુરુ આવ્યા કે અમારું ઉઠમણું, જવું જ પડશે. નથી આવ્યાં ત્યાં સુધી અમારા બેસણાં રહેશે. માટે કહ્યું કે જ્ઞાન પામશે પણ દશા નહિ. દશાનો સંબંધ આંતરિક અવસ્થા, આંતરિક વિકાસ, આંતરિક પરિવર્તન અને અંદરમાં રૂપાંતરણ એ બધાં સાથે છે, અને એ કામ ચૈતન્યમાં થાય છે. એ ક્યારે થાય? જ્યારે મોહનો ક્ષય અથવા ઉપશમ થાય ત્યારે. જો મોહ એમને એમ રહ્યો તો આંતરિક પરિવર્તન નહિ થાય. એક વાત સમજી લેજો, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મની સ્થિતિ ઘણી મોટી છે. શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે ક્ષપકશ્રેણીમાં દશમાં ગુણસ્થાને મોહનીયકર્મનો ક્ષય થયા પછી અંતર્મુહૂર્તમાં, અડતાલીસ મિનિટની અંદર જ આનો ફેંસલો થાય છે. આ શાસ્ત્રની વાત સમજવા કોશિશ કરજો. જેવો મોહ ગયો કે આ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય જે બળવાન કર્મો છે, શક્તિશાળી અને સમર્થ છે, છતાં ૪૮ મિનિટથી વધારે રહી શકતાં નથી. કારણ? મોહ ગયો, તેનો ક્ષય થયો. હવે કોઈ ડીસ્ટર્બ કે મુશ્કેલી કરનાર નથી, અને નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય આ ચાર કર્મો તમે જ્ઞાની હો કે અજ્ઞાની. બધાને ભોગવવાં જ પડે છે, ભોગવ્યે જ છૂટકો થાય! બાકીના ત્રણ ઘાતી કર્મો મોહ જાય તો જ જાય. તો આધાર કોના ઉપર રહ્યો? મોહ ઉપર, એ રીંગ લીડર, ગેંગનો આગેવાન, આતંકવાદીઓના નેતા જેવો છે. જ્યાં સુધી એ મજબૂત છે, ત્યાં સુધી કોઈને ઊની આંચ આવતી નથી. અઘાતી કર્મોનો સંબંધ ભૌતિક અવસ્થા સાથે છે. કર્મોને ભોગવવા શરીર જોઈએ. શરીર તે નામકર્મની રચના. શરીર નિરોગી જોઈએ અને દુઃખ ન જોઈએ તે શાતાવેદનીય કર્મનું કામ. તબિયત તંદુરસ્ત રહે, સારી રીતે ખાઈ શકાય, ચાલી શકાય, તે પણ શાતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy