SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૨૭ નિમિત્ત, જ્ઞાન, ક્રિયા, ગુણસ્થાન, વેશ્યા, બંધ, મોક્ષ, ન જાણે તેવું તો ન જ બને. બધું જાણે, કારણ કે તે નવપૂર્વ ભણ્યો છે. પરમકૃપાળુદેવના વચનામૃતો બે, ચાર, પાંચ વખત વાંચ્યા હોય તો તેને અધધ થઈ જાય છે. બધા શાસ્ત્રો અમે પી ગયા છીએ. અમને ઘણો અભ્યાસ છે. નવપૂર્વ ભણ્યો હોય, તેને તમે અજ્ઞાની કઈ રીતે કહી શકો? પરંતુ જ્ઞાની તેને અજ્ઞાની કહે છે. આપણે તેને અજ્ઞાની ન કહી શકીએ, પણ છે તો અજ્ઞાની જ. નવ પૂર્વમાં આ ગુણ, આ પર્યાય, આ અસ્તિત્વ, આ નાસ્તિત્વ, આ પ્રમેયત્વ, પ્રદેશત્વ, અગુરુલઘુત્વ, બાહ્યદશા, અંતરંગ દશા, ચારિત્ર આ બધા શબ્દો નહિ આવ્યા હોય ? બધા જ શબ્દો આવ્યા છે. તે ઢગલાબંધ જ્ઞાન પામ્યો છે. નવ પૂર્વ ઓછાં નથી. કલ્પસૂત્રમાં આવે છે કે ઈન્દ્ર મહારાજના ઐરાવણ હાથીનાં પ્રમાણમાં શાહીનો ઢગલો કરો, અને એટલી શાહીથી જે લખાય તે એક પૂર્વ કહેવાય. બે હાથી પ્રમાણ શાહીથી જે લખાય તે બે પૂર્વ કહેવાય. એમ નવપૂર્વ ગણવા. જ્ઞાન પામવું તેમાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનો સંબંધ છે. જ્ઞાનાવરણીય કર્મનો જો ક્ષયોપશમ હોય તો મોટો વૈજ્ઞાનિક થાય, મોટો કળાકાર થાય, પંડિત થાય, વક્તા થાય, શાસ્ત્રોને કંઠસ્થ કરે, શાસ્ત્રો ધારણ કરે, “સબ શાસ્ત્ર કે નય ધારી લીયે”, આવું જ્ઞાન તે પ્રાપ્ત કરે છે, પરંતુ અપૂર્વ જ્ઞાન પામતો નથી. હાઈ આઈ. ક્યુ. લેવલવાળા મોટા મોટા એજીનિયરો હોય, વકીલો કોર્ટમાં કાળો ડગલો પહેરી ઊભા હોય, અને દલીલો કરતાં હોય તો ભલભલાનાં છક્કા છૂટી જાય છે કે તેને શું ન્યાય આપવો? ન્યાયાધીશ પણ મૂંઝાઈ જાય છે, આવાં જબરાં વકીલો હોય. ડૉક્ટરો, કવિઓ, સાહિત્યકારો, વક્તાઓ, આર્કીટેક્ટ તમે તેમને ઓછા ગણો છો? આવાનું પણ જ્ઞાન તીવ્ર હોય છે. આવી જ રીતે શાસ્ત્રોનું જ્ઞાન હોય, મોટો વિદ્વાન હોય, મોટો મહંત હોય, હજારો શિષ્યોનો ગુરુ પણ હોય, અને હજારોની સભામાં ઉપદેશ પણ આપતો હોય, એ જ્ઞાન પામ્યો છે પણ દશા નહિ. જ્ઞાન જુદી વસ્તુ છે અને દશા જુદી વસ્તુ છે. જ્ઞાનનો સંબંધ જ્ઞાનાવરણીય કર્મના લયોપશમ સાથે અને દશાનો સંબંધ મોહનીય કર્મના ઉપશમ આદિ સાથે છે. મોહનીય કર્મમાં ક્ષય કે ઉપશમન થાય ત્યાં સુધી જ્ઞાનની માત્રા તમારામાં નવ પૂર્વ જેટલી હોય તોપણ દશા ન બદલાય. દશા બદલવાનું કામ જ્ઞાનનું નથી પણ દશા બદલવાનું કામ મોહના ક્ષય, ઉપશમ ઉપર આધાર રાખે છે. ઝાડના મૂળને પાણી પાશો. એ પાણી ડાળીઓને મળશે, પાંદડાઓ, ફૂલો અને પચાસ ફૂટ ઉપર નાની કૂંપળ હોય તો તેને પણ પાણી મળશે. મૂળને પાણી પાશો તો આખું વૃક્ષ લીલુંછમ. મૂળને ખોદી બહાર કાઢશો તો આખું વૃક્ષ પડી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy