SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ગુણની સ્પર્શના હોય. ‘અથવા નિશ્ચયનય ગ્રહે માત્ર શબ્દની માંય’ અંબાલાલભાઈનું વાક્ય છે કે ‘સમયસાર જેવા ગ્રંથો વાંચીને નિશ્ચયનયને કહેવારૂપે ગ્રહણ કરે પણ અંતરમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નથી', ટચ નથી, અનુભવ નથી, એવી અવસ્થા આવી નથી. સાક્ષીભાવની વાત કરે પણ સાક્ષીભાવ નથી. જ્ઞાતા દ્રષ્ટા ભાવની વાત કરે પણ જ્ઞાતા દ્રષ્ટા થયો નથી. વસ્તુ મિથ્યા છે, નાશવંત છે એ વાત કરે, વાત કરીને ઊભો થાય અને સ્લીપર ખોવાઈ જાય તો મઝા જુઓ ! મારા સ્લીપર ક્યાં ગયા ? હમણાં તો કહેતો હતો ને કે આ બધુ નાશવંત છે અને મૂકીને જવાનું છે ? આ તો સ્લીપર ગયા છે, પરંતુ તું તો છો ને ? પરંતુ તેને અંદરમાં કલેશ થાય છે, કારણ કે એને માત્ર શબ્દો ભેગાં કર્યા છે, અનુભવ નથી, તેવી અંતરંગ દશા પ્રાપ્ત થઈ નથી. શબ્દ જ્ઞાન અને દશા એ બેનો તાલમેલ જોઈએ. પ્રેમની વાત કરતાં હોય તો અંદર પ્રેમની અવસ્થા અને બહારમાં પ્રેમની અભિવ્યક્તિ, એ બંનેનો તાલમેલ જોઈએ. વાત ઘણી ઊંચી પણ તાલમેલ નહિ, તેને કહેવાય છે વિસંવાદિતા. વાત કરે નિશ્ચયની, માત્ર શબ્દોમાં પણ અંતરંગમાં તથાપ્રકારની અવસ્થા નથી. પ્રવચન ક્રમાંક - ૨૮, ગાથા ક્રમાંક - ૨૮, ૨૯ ત્રીજી વાત સાથે સાથે...એ શાસ્ત્રો વાંચ્યા પછી મોટું જોખમ ખેડે છે. સમયસાર આદિ શાસ્ત્રો વાંચ્યા પછી શબ્દોમાં નિશ્ચયનયનું વર્ણન કરે છે. જ્યારે વર્ણન કરતો હોય ત્યારે મોઢું એટલું બધું ગંભીર હોય, આંખો ગંભીર હોય, હાથ પગ સ્થિર હોય-એમ લાગે કે આ અંદર ગયો કે શું ? પણ એ અંદર ગયો નથી. આ તો ખરું, પણ તે સર્વ્યવહારનો લોપ કરે છે. સદ્ગુરુ, સત્ત્શાસ્ત્ર, વૈરાગ્ય, સ્વાધ્યાય, ભક્તિ, મંત્રજાપ, પરમાત્માની પૂજા, સાધુ સંતોની સેવા, તીર્થોની યાત્રા આ સવ્યવહાર છે તેનો નિષેધ કરે છે. નિશ્ચયનયની અવસ્થા પ્રાપ્ત થયા પહેલાં, એવી અવસ્થા આવ્યાં પહેલાં, જો વ્યવહાર છોડે તો નિશ્ચયનય પ્રાપ્ત થતો નથી. અને વ્યવહાર પણ રહ્યો નથી. તે અવસ્થા પ્રાપ્ત થતાં વ્યવહાર છૂટી જશે, એને છોડવાની જરૂર નથી. આ તો બંને ખોયું. ‘ન ઈધર કે, ન ઉધર કે !' અને આવું ખોવાનું કામ આ નિશ્ચયનયની વાત કરનારાં કરતાં હોય છે. આ શુષ્ક વાતો જ છે. છેલ્લી વાત, પોતાના જ્ઞાનના કારણે પોતાને જ્ઞાની માન્યા પછી એમ કહે કે હવે અમારે સાધના કરવાની કોઈ જરૂર નથી. કારણ ? અમે જ્ઞાની. અમારે કંઈ રાત્રિ ભોજનનો ત્યાગ કરવો પડે કે કંઈ વિવેક રાખવો પડે નહિ. કોણ ખાય છે ? અમે તો જ્ઞાની છીએ ! કોણ ખાય છે શું? તું ખાય છે. ભોજનમાં માટીનો લોંદો હોય અને બીજી બાજુ બુંદીનો લાડુ હોય તો તું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy