SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૨૫ શું ખાઈશ? માટી અને બુંદી તારે તો બંને સરખાં, બંને પુદ્ગલ છે, બંને જુદા નથી, છતાં તું માટી નહિ ખાય પણ બુંદી જ ખાઈશ. આ જ્ઞાની નથી, આ દંભ છે, આ મિથ્યાચાર છે. પોતાની જાતને જ્ઞાની મનાવવાની ટેવ છે. નિશ્ચયનય શબ્દોમાં ગ્રહણ કર્યો અને સવ્યવહારનો લોપ કર્યો. પોતે સાધન રહિત થયો. આ નિશ્ચયનયની અવસ્થા પ્રાપ્ત થઈ નથી, તેને કારણે તેણે બધું જ ખોયું. આવી અવસ્થામાં જે જીવે છે તેને કહેવાય છે શુષ્કજ્ઞાની. શાસ્ત્રો વાંચજો, ના નથી. આત્મસિદ્ધિ કંઠસ્થ કરજો, ના નથી. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત', ગાજો તેની ના નથી. આત્મા અસંગ છે, સંગ રહિત છે તેમ બોલજો, તેની ના નથી, પણ સાથે અનુભવ પણ કરજો. એકલા બોલવાથી કામ નહિ થાય, અને અનુભવ નહિ થાય તો, બોલેલું માત્ર વાણીમાં રહેશે. માત્ર વાણી તમને નહિ બચાવે. આવી અવસ્થા આવતાં પહેલાં સવ્યવહાર કે સગુરુને છોડશો નહિ. સ્વાધ્યાય ભક્તિને છોડશો નહિ. ભગવાનની મૂર્તિ છોડશો નહિ. તપ, ત્યાગ, વૈરાગ્ય આ બધું છોડશો નહિ. આ બધું છોડશો અને અંદરની અવસ્થા આવી નથી તો ભીતર ગયે નહિ ઔર બહારકા સબ છોડ દિયા. અબ ક્યા હોગા ?' આવી અવસ્થામાં તમે ન મૂકાવ માટે પરમકૃપાળુદેવે આ રેડ સીગ્નલ, લાલબત્તી ધરી છે કે આને જ્ઞાની કહેવાય નહિ. “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે, (આનંદધનજી) કેટલા પ્રકારથી જ્ઞાની પુરુષોએ વાત કરી છે. આવતી કાલે ૩૦મી ગાથામાં થોડું રીપીટેશન છે, પરંતુ જુદી ભૂમિકામાં આ ૩૦મી ગાથામાં વાત કરી છે. ત્યાર પછીની બે ગાથામાં મતાર્થીના લક્ષણો પૂરા થશે ને આત્માર્થીના લક્ષણનો પ્રારંભ થશે. ધન્યવાદ ! ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy