SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૨૩ શબ્દોમાં બોલે છે કે આત્મા અજર, અમર, અવિનાશી છે, જનમતો નથી, મરતો નથી. પરંતુ રસ્તામાં સામે કૂતરું દેખાય તો ભાગે. કેમ ભાગ્યો? તો કહેશે કે કરડી જાય તો? પણ અલ્યા! તું કહે છે કે આત્મા અજર છે, અમર છે, જન્મતો નથી, મરતો નથી, અને પાછો ડરે છે? તો કહે કે એ તો બોલાય. કોઈનું મરણ થયું હોય અને બેસણામાં જાય તો કેવી ડાહી ડાહી વાતો કરે કે ભાઈ ! જગતમાં કોણ કાયમ રહ્યું છે? શરીર મરે છે, પરંતુ આત્મા તો અવિનાશી છે, સાંભળનારને એમ લાગે કે આ તો ઘણો જ્ઞાની લાગે છે. પરંતુ તેને ઘેર કંઈ થાય તો ખબર પડે. લોકો તેને છાનો રાખે તો કહેશે “મને ખબર છે.” “તું બીજાને બોધ આપતો હતો, પરંતુ તારે ઘેર થયું ત્યારે સમજણ ક્યાં ગઈ? તારો નિશ્ચયનય ક્યાં ગયો ?' શાસ્ત્રો કહે છે કે આ સમજણ માત્ર શબ્દની માંય.' સંત જ્ઞાનેશ્વરજીએ એક ઠેકાણે કહ્યું છે, “બોલાયચી ભાત અને બોલાયાચી કઢી, કોણ તૃપ્ત ઝાલા.” અહીં એમ કહેવું છે કે મહેમાન ઘેર આવ્યા, તમે જમવા થાળી આપી, પછી એમ કહો કે લો લાડુ, લો મોહનથાળ, લો દાળ, લો ભાત. પરંતુ ભાણામાં પીરસો નહિ તો ખાય શું? આવું જમીને કોણ તૃપ્ત થયું? આમ માત્ર નિશ્ચયનયથી વાતો કરીને કોણ પોતામાં ઠર્યો ? અને કોણ સ્વરૂપમાં ગયો? કોણ સ્થિર થયો? કોણ નિર્વિકલ્પ અને જ્ઞાતા દ્રષ્ટા થયો? કોણ સાક્ષી થયો? અને કોનો અહંકાર અને કોના વિકારો ગયા? “કુછ નહિ હુઆ.” જગત આખું શબ્દોમાં રમે છે. નિશ્ચયનય સાવ સાચો છે, પરંતુ પારમાર્થિક રીતે તેને સ્વીકારી, જીવનમાં ઉતારવો પડે, જીવનમાં પ્રગટ કરવો પડે. ભગવાન બુદ્ધ ભિક્ષુકને કહેતાં કે પહેલાં તમે મશાનમાં જઈને છ મહિના ધ્યાન કરો. પહેલાં દિવસે જાવ પછી રાત્રે પણ જાવ. તમને કોઈ કહે કે આત્મા અજર છે, અમર છે, સ્મશાનમાં જઈ ધ્યાન કરો, તો શું જવાબ આપો? પરમકૃપાળુદેવે ગાયું કે, એકાકી વિચરતો વળી શ્મશાનમાં, વળી પવર્તમાં વાઘ સિંહ સંયોગ જો. આવી અવસ્થા આવી હોય, સાક્ષાત્કાર થયો હોય તો તત્ત્વ અંદરમાં પ્રગટ થયું કહેવાય. શાસ્ત્રોમાં નિશ્ચયનય-વ્યવહારનય વગેરે નયોથી વર્ણન આવે છે, ભાઈ ! આત્મા અજર અમર અવિનાશી છે. કર્મ રહિત છે, રાગ દ્વેષ રહિત છે, કષાય અને ભાવકર્મોથી રહિત છે, ખરી વાત, પરંતુ એ વર્ણન છે અને એવી અવસ્થા જીવનમાં અનુભવવી તે જુદી વાત છે. શબ્દો જુદી વસ્તુ છે. માત્ર શબ્દથી અનુભવ ન થાય, શાબ્દિક પ્રતીતિ થાય. અનુભવ તેને કહેવાય કે જ્યારે તેનો નિશ્ચય કરે, તેને અંદર ઉતારે. અંતરંગમાં તથારૂપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy