SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ૨ પ્રવચન ક્રમાંક - ૨૮, ગાથા ક્રમાંક - ૨૮, ૨૯ અમને માનો. બીજાઓ પૂજે, મહત્ત્વ આપે, સ્વીકારે, મૂલ્ય આપે, વખાણ કરે તે આપણને બહુ ગમે. કહે કે તમારા જેવો સાધક અમે જોયો નથી, તો ઊંચો થઈને કુદવા લાગે. તેને હર્ષ અને ઉલ્લાસ થાય. કેમ? “તો લેવા લૌકિક માન.” જ્ઞાની પુરુષો કહે છે કે વ્રત કરો પણ વૃત્તિઓને તો સમજો. તો આ શિખામણ નહિ ગમે, પણ એમ જો કહે કે ધન્યવાદ ! તમે વ્રત ગ્રહણ કર્યું છે, સ્વીકાર્યું છે, સન્માન આપે, આદર આપે, તે ગમશે, પણ જો એમ પૂછે કે વ્રત તો ગ્રહણ કર્યું પણ વૃત્તિઓ મોળી પડી? તો તે ન ગમે. વૃત્તિઓની ખબર જ નથી, તો ઘા ક્યાં મારે? વ્રત, તપ, જપ, સાધના કરે છે પણ વૃત્તિ રોકાતી નથી. કારણ કે આત્માર્થે કરવાનો લક્ષ નથી. આ બધું જ કરે છે. તે સમગ્ર સાધના પછી વ્રત, તપ, જપ કે સંયમની હોય, ધ્યાનની હોય કે યોગની હોય પણ આ સમગ્ર આત્માર્થે કરવાની છે. આત્માના લક્ષે કરવાની છે. ધર્મિષ્ઠ કહેવરાવા માટે કરવાની નથી, લોકો જાણે અને પોતાનું માન પોષાય તે અર્થે કરવાની નથી. વૃત્તિનું સ્વરૂપ જાણી, વ્રતની સાધના કરે તેને કહેવાય છે સાધક. વૃત્તિનું સ્વરૂપ જાણતો નથી અને કહે છે કે અમે વ્રતધારી છીએ, તેને કહેવાય છે મતાર્થી. અહીં કૃપાળુદેવે ક્રિયાજડનું વર્ણન પૂરું કર્યું. હવે આ ૨૯મી ગાથાથી શુષ્કજ્ઞાનીના વર્ણનનો પ્રારંભ થાય છે. અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય, લોએ સવ્યવહારને, સાધન રહિત થાય. (૨૯). ટીકા અથવા સમયસાર કે યોગવાસિષ્ઠ જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે, કેવી રીતે ગ્રહણ કરે? માત્ર કહેવારૂપે ગ્રહણ કરે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સગુરુ, સતુશાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમ જ પોતાને જ્ઞાની માની સાધન રહિત વર્તે. (૨૯) શાસ્ત્રોમાં જે પ્રતિપાદન થયું છે, તે આ જીવ માત્ર વાંચી જાય છે. પરંતુ તેનો મૂળભૂત આશય સમજતો નથી. એક વખત એવું થયું કે એક ભાઈયોગવશિષ્ઠ વાંચતા હતાં. જગત થયું નથી, જગત છે જ નહિ, બન્યું જ નથી, વિગેરે. તે વખતે તેણે ઉઘરાણી લેવા મુનિમને મોકલ્યો હતો, તે ઉઘરાણી ન પતવાથી પાછો આવ્યો. શેઠે કહ્યું, “તું ઉઘરાણી લીધા વગર જીવતો પાછો કેમ આવ્યો?' મુનીમે કહ્યું, “શેઠજી ! જગત છે જ નહિ તો ઉઘરાણી ક્યાંથી હોય?' જગત છે જ નહિ આવું જે શેઠ બોલે છે તે શુષ્કજ્ઞાન છે. જ્ઞાન આંતરિક અવસ્થા છે. અંદરમાં થતી ઘટના છે. સમયસાર યોગવાસિષ્ઠ વગેરે ગ્રંથો વાંચીને નિશ્ચયને ગ્રહણ કરે. પરંતુ કેવી રીતે? તો સ્પષ્ટતા કરી કે માત્ર શબ્દોમાં, વાણીમાં, પરંતુ વર્તનથી નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy