SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૨ ૧ ભય, વ્યગ્રતા, વ્યાકુળતા નથી. બંધન લાગતું નથી. શું એવું કર્યું કે જેનાથી તમે આનંદથી વિહરી શકો છો? તે વખતે ગૌતમ સ્વામી કહે છે, _ रागद्दोसादओ तिव्वा नेहपासा भयंकरा। ते छिंदित्तु जहानायं विहरामि जहक्कम्मं ॥ હે મુનિરાજ, રાગના, દ્વેષના, ગમાના, અણગમાના, સ્નેહ આસક્તિ તથા ધૃણાના, અહં અને મમત્વના મજબૂત બંધનોને જ્ઞાનરૂપી અસ્ત્ર દ્વારા અમે કાપી નાખ્યાં છે, અમે સ્વતંત્ર બન્યા છીએ અને આનંદથી વિહરી રહ્યા છીએ. જેણે વૃત્તિ જીતી તેઓ સ્વતંત્ર થયા છે. જેણે વૃત્તિ જીતી તે જ્ઞાની પણ છે અને વીતરાગ પણ છે. વાતો ગમે તેટલી કરે, પ્રવચનો ગમે તેટલાં આપે, શાસ્ત્રો ગમે તેટલાં વાંચે પણ જ્ઞાની પૂછે છે વૃત્તિઓને જીતી? વૃત્તિઓનો ક્ષય અને નિરાકરણ થયું? નિરોધ થયો? અને જવાબ ના હોય તો ફક્ત ભાર વેંઢાર્યો, જીવનમાં જે કરવાનું હતું તે કરી ન શક્યા. તો “લઘું સ્વરૂપ ન વૃત્તિનું', વૃત્તિનું સ્વરૂપ જાણવું પડશે. અંદર જોજો કે વૃત્તિ કેવી રીતે કામ કરે છે? આપણે એમ કહીએ છીએ કે ના, ના, મારા વખાણ ન કરશો. પણ વખાણ થતાં હોય તો સાંભળવાં ગમે છે. અમે તો તમારા ચરણની ધૂળ છીએ, પામર છીએ, પરંતુ વખાણ ગમે છે તે અંદરની મિઠાશ છે, તે વૃત્તિ છે. ગમે છે, તે ગમવાપણું વૃત્તિની આધીનતા અને સામ્રાજ્ય છે. બહાર જુદી અવસ્થા અને અંદર જુદી અવસ્થા, એ બન્ને વચ્ચે વિષમ અવસ્થા થાય તો જીવનનો આનંદ નહિ આવે, માટે વૃત્તિને જાણી લેવી. વૃત્તિના સ્વરૂપને જે જાણતો નથી, તેનો ખ્યાલ નથી, વૃત્તિઓને જોઈ નથી અને હું વ્રતધારી છું, એવું અભિમાન કરે છે. મારે ચાર મહિનાના ઉપવાસ કરવા છે, બહુ આનંદની વાત છે, પણ પાછું તે એમ કહે કે “અમે જ કરી શકીએ, એમાં તમારું ગજુ નહિ.” તમે કરો, તેમાં ના નહિ, ત્યાં સુધી બરાબર, પણ અમે વ્રતધારી, અમે સંન્યાસી, અમે વિરક્ત છીએ, અમે જંગલમાં રહીએ છીએ. કપડાં પણ પહેરતાં નથી. નગ્ન દિગંબર અવસ્થા છે પણ અંદર વૃત્તિ પડી છે તેનું શું? એ વૃત્તિઓનો નિરોધ કેમ કરવો તે જાણતા નથી અને કદાચ જ્ઞાની પુરુષનો યોગ બને, પરમાર્થ ઉપદેશનો યોગ બને તો પણ પોતાનાં અભિમાનનાં કારણે તે પરમાર્થને ગ્રહણ કરતો નથી. ત્રણ વાતો થઈ, પરમાર્થનું સ્વરૂપ જાણ્યું નથી તે ૧. જાણ્યા વગર વ્રતો ગ્રહણ કર્યા છે અને પાછું તેનું અભિમાન કર્યું છે તે ૨, અને લૌકિકમાન લેવા પરમાર્થને ગ્રહણ કરે નહિ તે ૩. પરમકૃપાળુદેવ માન શબ્દને બહુ યાદ કરે છે. માન, માન. તેનો સીધો અર્થ, તમે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy