SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૧૭ થાય) આવા ૨૪ કલાક ખેલ અંદર ચાલે છે. આપણે ૨૪ કલાક વૃત્તિઓમાં જીવીએ છીએ. પતંજલીએ એમ કહ્યું કે ચિત્તવૃત્તિઓનો વિરોધ કરવા માટે અમે યોગની વાત કરીએ છીએ. તમે કોઈપણ સાધન કરતાં હો, યોગ કરતાં હો, પૂજા, ભક્તિ, સ્વાધ્યાય કે પ્રાણાયામ કરતાં હો પરંતુ એટલું સમજી લેજો કે આ બધું વૃત્તિઓનો વિરોધ કરવા માટે છે. મઝાની વાત તો એ છે કે આપણને આ ખબર નથી કે શું કામ કરીએ છીએ? અને કર્યો જઈએ છીએ? પરિણામ એ આવે છે કે વૃત્તિઓ અકબંધ રહે છે. વૃત્તિઓ બદલાતી નથી કે ઘટતી નથી, છૂટતી નથી. દશ વર્ષની ઉંમરે કોઈએ મંદિર જવાની શરૂઆત કરી હોય અને ૮૦ વર્ષ સુધી મંદિરે જવા છતાં તેનામાં કોઈ પરિવર્તન ન થયું હોય, એનો એ ક્રોધ, એનો એ અહંકાર, એની એ છેરતપીંડી, એની એ માયા, એનો એ લોભ અને એની એ ઈર્ષા. ભાઈ ! તું સીત્તેર વર્ષથી મંદિરે જાય છે પણ તેં શું કર્યું? અનેક જુગ વીત્યાંરે, એને પંથે ચાલતાં, હજુએ ન આવ્યો, મારગડાનો અંત. આ પંથે અનંતકાળ ચાલ્યાં, પણ હજુ અંત આવ્યો નથી. હરિભદ્રસૂરિજી મહારાજે યોગના પાંચ પ્રકાર વર્ણવ્યાં છે, અધ્યાત્મયોગ, ભાવનાયોગ, ધ્યાનયોગ, સમતાયોગ અને વૃત્તિસંક્ષય યોગ.યોગનાં પાંચ પ્રકાર પાડીને કહ્યું કે પહેલાંના ચાર યોગ પાંચમા યોગ માટે છે. પાંચમો યોગ કયો? વૃત્તિ સંક્ષય યોગ. વૃત્તિઓનો સંક્ષય એટલે વૃત્તિઓનો સર્વથા ક્ષય. વૃત્તિ જેને છે તે સંસારી. વૃત્તિ રહિત થયો તે વીતરાગ. વિતરાગ તેને કહેવાય જેનામાં વૃત્તિ ઊઠતી નથી. આપણે વ્યવહારમાં નિવૃત્તિ શબ્દ બોલીએ છીએ. સરકારે નક્કી કર્યું છે કે ૫૮ વર્ષ થાય એટલે તમે નોકરીમાંથી નિવૃત્ત. એ નિવૃત્તિ નથી પણ ઊલટાની ઉપાધિ છે. ઘણાં લોકોને ફફડાટ થાય છે, હવે આ નિવૃત્ત થશે તો આખો દિવસ ઘરમાં રહેશે અને પંચાત કરશે. નિવૃત્તિ એટલે અંદરમાંથી તમામ વૃત્તિઓ ખરી પડે. જ્યાં વૃત્તિ જ નથી અને આત્મા જ છે એ વીતરાગ છે. આપણી પાસે આત્મા છે અને સંસાર પણ છે, તો કરવાનું શું? જેમ કેરીમાંથી રસ અને છોતરા ગોટલાં જુદા પાડીએ તેમ વૃત્તિઓને જુદી પાડવાની છે, વૃત્તિનો વિરોધ કરવાનો છે. શેના દ્વારા નિરોધ થાય? યોગ દ્વારા થાય. યોગ વૃત્તિ નિરોધ કરવાની પ્રક્રિયા છે. મહર્ષિ પતંજલીએ એમ કહ્યું કે તા : સ્વરુપે અવસ્થાનમ' આ મઝાનું સૂત્ર છે. તદા એટલે ત્યારે, જ્યારે વૃત્તિઓનો નિરોધ થાય છે ત્યારે દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં સ્થિર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy