SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ પ્રવચન ક્રમાંક - ૨૮, ગાથા ક્રમાંક - ૨૮, ૨૯ મહત્ત્વનું છે. તમને ડાયાબીટીઝ છે અને તમે ખાઈ શકતા નથી તો શું શું ખાઈ શકાય છે તેનું લીસ્ટ હોય છે અને તેમાં હરિફાઈ થાય. આહારની પ્રબળ વૃત્તિ તે આહાર સંજ્ઞા, ભયની વૃત્તિ તે ભય સંજ્ઞા, પરિગ્રહ સંગ્રહ) કરવાની વૃત્તિ તે પરિગ્રહ સંજ્ઞા, કામવાસનાની વૃત્તિ તે મૈથુન સંજ્ઞા, અભિમાન કરવાની વૃત્તિ તે અભિમાન સંજ્ઞા, છેતરપીંડી કરવાની વૃત્તિ તે માયા સંજ્ઞા, અત્યંત સંગ્રહ કરવાની વૃત્તિ તે લોભ સંજ્ઞા, વગર વિચારે પ્રવૃત્તિ કરવાની વૃત્તિ તે ઓધ સંજ્ઞા, અને લોકો રાજી કેમ રહે, તે રાજી રાખવાની વૃત્તિ એટલે લોક સંજ્ઞા. ક્રોધ કરવાની વૃત્તિ તે ક્રોધ સંજ્ઞા. આ દશ સંજ્ઞાઓ છે. આ સંજ્ઞાઓ આપણે નહિ જીતીએ અને તેના ઉપર નિયમન નહિ આવે ત્યાં સુધી આત્માનો આસ્વાદ આપણે માણી શકીશું નહિ, અથવા આત્માનો અનુભવ થઈ શકશે નહિ. પતંજલીએ યોગશાસ્ત્ર જ્યારે લખ્યું, ત્યારે પહેલું સૂત્ર લખ્યું ‘મથ યોગાનુશાસનHI’ હવે અમે યોગ વિષેની ચર્ચાનો પ્રારંભ કરીએ છીએ. કોઈએ પૂછ્યું કે આટલા બધા શાસ્ત્રો અને ગ્રંથો છે તેમાં નવો ઉમેરો શા માટે? શા માટે યોગની વાત કરવી છે? પતંજલીએ કહ્યું કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ કરવા માટે છે, તેથી ચિત્તમાં ઊઠતી વૃત્તિઓનો નિરોધ કરવા માટે અમે વાત કરવાના છીએ. નિરોધ કરવો એટલે રોકવું, અભાવ કરવો, પુનરાવૃત્તિ ન કરવી, ખાલી કરવું, તેનું ખરી પડવું. યોગની પ્રક્રિયા, ચિત્ત વૃત્તિઓના નિરોધ કરવા માટે છે. એક બાજુ શરીર છે, એક બાજુ આત્મા છે અને એ બે વચ્ચે કડી બનતું તત્ત્વ છે તે મન. મન પુલ છે, મન સંદેશ વાહક છે. શરીરના સંદેશા આત્માને પહોંચાડવા અને આત્માના સંદેશા શરીર પાસે પહોંચાડવાનું કામ મન કરે છે. મન બન્ને પક્ષે કામ કરે છે. શરીરમાં જે થાય છે, તે આત્મા પાસે પહોંચાડે છે. શરીર પર મચ્છર બેઠો તો મન સમાચાર આપે છે કે આ જગ્યાએ મચ્છર બેઠો છે. હાથને ઓર્ડર મળે છે. ત્યાં ઈમરજન્સી છે, પહોંચી જાવ અને હાથ મચ્છર ઉડાડે છે. આત્મામાં જે કંઈ થાય તેની મનમાં અસર થાય છે. એકશન તો પછી લેવાય. અંદર ક્રોધની વૃત્તિ ઊઠે એ પહેલું કામ અને વૃત્તિઓ ઊભી થાય પછી હોઠ દબાય, દાંત પિસાય, મુઠ્ઠીઓ વળાય, આંખ લાલઘૂમ થઈ જાય, હોઠ ફફડવા લાગે અને પછી ઘણું સાહિત્ય વાંચ્યું હોય, કાલિદાસ, ભવભૂતિ કે સુરેશ દલાલને વાંચ્યા હોય, પણ બધા શબ્દો ત્યારે ભૂલી જાય અને જૂનાં શબ્દો યાદ આવે. આપણે તેને કહીએ કે તું તો સાક્ષર છે, સાહિત્યકાર છો. તો તે કહેશે કે સાહેબ ! ક્રોધ આવ્યો એટલે કશું યાદ ન રહે. (જૂના સંસ્કારો ઊભાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy