SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ પ્રવચન ક્રમાંક - ૨૮, ગાથા ક્રમાંક - ૨૮, ૨૯ થાય છે. દ્રષ્ટા એટલે જોનારો આત્મા, ત્યારે પોતાનાં સ્વરૂપમાં રમણતા કરે છે. શું કરવું છે આપણે? ઠરવું છે, ચૈતન્યમાં ઠરવું છે. માટે આનંદધનજીએ કહ્યું કે, નિજ ઘરમેં હૈ પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવો, પ્રત્યક્ષ રીતે લખી તુમ ઐસી, ગહીએ આપ સ્વભાવો. ચેતન શુદ્ધાતમકુ ધ્યાઓ. આ પદમાં શુદ્ધ આત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે. કૃપાળુદેવે પણ કહ્યું કે “વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમક્તિ.” વૃત્તિ જે બહાર જાય છે તે પોતાના સ્વભાવમાં પાછી ફરે તે સમક્તિ છે. કોઈ બાઈ રિસાઈને ઘર બહાર જતી રહે ત્યારે પાંચ દસ માણસો તેને સમજાવે છે કે આવું તે ચાલે? આપણે જીવવું છે, સંસાર ચલાવવો છે, ચાલો હવે પાછા વળો. એમ સમજાવીને બાઈને પાછી લાવે, તેમ સંતો કહે છે કે આ વૃત્તિ બહાર ગઈ છે, માયામાં ગઈ છે, વાસનાઓ કે વિકારમાં ગઈ છે, ક્રોધ અને માનમાં ગઈ છે, તે વૃત્તિઓને સમજાવીને ઘેર લઈ જવાની છે. તમે પૂછો કે સાધના શું કરવાની? સાધના એ કરવાની કે બહાર જતી વૃત્તિઓને સમજાવી, પાછી વાળીને, પોતાના ઘરમાં ઠેરવવાની. તમારા ઘરની તમને ખબર હોવી જોઈએ. આત્મા એ પોતાનું ઘર, એટલે આત્મામાં વૃત્તિ ઠેરવવાની. વૃત્તિ રહિત અવસ્થા એ આપણું લક્ષ, એ આપણું ધ્યેય. ભક્તિ અને સ્વાધ્યાય કરીને શું કરવાનું છે? વૃત્તિઓને દૂર કરવાની છે. જ્યાં વૃત્તિઓ છે ત્યાં સંસાર છે, અને જ્યાં વૃત્તિઓ નથી ત્યાં મોક્ષ છે, ત્યાં આનંદ છે. આપણને મોક્ષ જોઈતો હોય તો આ ક્રમથી યાત્રા કરવી પડશે. એ વૃત્તિઓને ઓળખવાની, પારખવાની, જાણવાની, સમજવાની અને ક્યારે ઊઠે છે? શું કરવાથી ઊઠે છે? તેનો અભ્યાસ કરવો. બહારમાં ગમે તેવું જીવન જીવતાં હોઈએ, લોકો આપણને ધાર્મિક કહેતાં હોય, પરંતુ આપણને બરાબર આપણી ખબર છે કે આપણી અંદર શું છે? બહારથી તો પ્રેમથી વાતો કરીએ છીએ પણ અંદર બીજા પ્રત્યે દ્વેષ હોય. આ બન્ને ખેલ કરતાં આપણને આવડે છે. બહાર પ્રેમ બતાવવો અને અંદર દ્વેષ રાખવામાં આપણે નિષ્ણાત છીએ. અંદર અને બહારનાં જીવનમાં તાલમેલ તેને કહેવાય છે સંવાદિતતા. અંદરમાં ક્રોધ હોય અને બહારથી મધુર ભાષામાં વાત કરીએ તે વિસંવાદિતતા છે, એ માયા છે, છલ છે, એ પ્રપંચ છે. - પરમકૃપાળુદેવને અહીં એક વાત કરવી છે કે વ્રતોનું પાલન કરવાનું છે, સાધના કરવાની છે, પણ જ્યારે તમે સાધના કરો ત્યારે વિચાર કરજો કે આ વ્રતો ફક્ત વ્રત કરવા માટે નથી, આ વ્રતો જાહેરાત કે દેખાવ કરવા માટે નથી. વ્રતો જ્યારે કરીએ છીએ ત્યારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy