SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અને ત્રીજો દેહ પ્રત્યે રાગ. તમે ધન છોડશો, સ્ત્રી છોડશો, કદાચ કંઈ ઈમરજન્સી ઊભી થશે તો દેહ પણ છોડશો, પણ મતનો રાગ નહીં છોડો. તમે દસ લાખ રૂપિયા ખીસ્સામાં લઈ જઈ રહ્યા છો. કોઈ આતંકવાદી બુકાની પહેરી મળે અને પૈસા માગે તો તમે ના નહિ પાડો, તમે ભયથી તુરત જ આપી દેશો. આ તમે દાન આપ્યું? ના, દાન નહિ પણ શરીર પર પ્રેમ હતો એટલે ધન આપી દીધું. તમને સ્ત્રી ઉપર પણ રાગ છે, પરંતુ તે સ્ત્રીને અન્યના ઉપર પ્રેમ છે તેમ ખબર પડે તો પછી એ સ્ત્રી ગમે? એનો રાગ પણ છૂટી જાય. પરમકૃપાળુ દેવ કહે છે કે આ ત્રણે ઉપરનો રાગ, જીવે ઘણીવાર છોડ્યો છે પણ મતનો રાગ છોડી શકતો નથી, આને કહેવાય છે મતાગ્રહ, મતનો રાગ, સત્યને બાજુ પર મૂકી દીધું. અરે ! આ ધરતી ઉપર અવતારી પુરુષો આવ્યાં, અનંત તીર્થકરો આવ્યા, અનંત ચોવીસી થઈ અને તે વખતે આપણે બધા હાજર હતાં, તીર્થકરો પાસે પણ આપણે ગયા છીએ પણ જ્યાં જ્યાં આપણે ગયા છીએ, ત્યાં ત્યાં મત અને આગ્રહ લઈને ગયા છીએ ને કહીએ છીએ કે અમે તો આ પ્રમાણે માનીએ છીએ પછી કામ કઈ રીતે થાય? સત્યની પડી નથી પણ મતની પડી છે. જેને મતની પડી છે તે મતાર્થી, અને જેને સત્યની પડી છે તે આત્માર્થી. આત્માર્થીને પચાસ વર્ષથી પોતાનો મત હોય પણ જે ક્ષણે તેને ખબર પડે કે મારો મત ખોટો છે, એ ક્ષણે એ મતનો ત્યાગ કરી દે છે. શાસ્ત્રમાં એક વર્ણન આવે છે કે કોઈ મોટા મુનિ હોય, અનેક શિષ્યોનાં ગુરુ હોય, મોટા આગમધર હોય, સારા પ્રવચનકાર અને વકતા હોય આખી સભા ડોલતી હોય અને લોકો કહે વાહ! અભુત પ્રવચન છે, અને તે વખતે એમનાથી સૂત્ર વિરુદ્ધ કે શાસ્ત્ર વિરુદ્ધ કંઈ પ્રરૂપણા થઈ ગઈ હોય, અને પછી પોતાના ગુરુદેવ પાસે આવે અને ગુરુદેવને સમાચાર મળી ગયા હોય કે ખોટી પ્રરૂપણા થઈ ગઈ છે. ગુરુદેવ તેને પૂછે કે આ પ્રમાણે પ્રરૂપણા કરી હતી? હા, ગુરુદેવ! મારી ભૂલ થઈ ગઈ છે પરંતુ હવે શું થાય? ગુરુદેવ કહે કે ત્યાં પાછા જાવ અને કહો કે મેં સની પ્રરૂપણા કરી નથી, મારી ભૂલ થઈ ગઈ છે, એમ કહેતાં આવો. તો એ કહેશે કે “તમે જે શિક્ષા આપશો તે કરવા હું તૈયાર છું. તમે કહેશો તો ઠંડીમાં ઠરીશ, તાપમાં તપવા તૈયાર છું, મા ખમણને પારણે માસખમણ કરવા તૈયાર છું, મારા રાઈ રાઈ જેવડાં ટુકડાં થાય તો પણ હું ખોટો છું તેમ કહેવા તૈયાર નથી.' કોનો આગ્રહ આવ્યો? આ વાત મારા, તમારા અને સૌના માટે છે. આપણે બધા મત લઈને બેઠા છીએ. તમે બોલતાં નથી પણ રજૂઆત કરો એટલે ખબર પડે કે તમારું જોર ક્યાં છે? તમારું વલણ ક્યાં છે? પરમકૃપાળુદેવે કહ્યું છે કે નિરાગ્રહી બનો, કોઈ જાતનો આગ્રહ નહિ. માને નિજમત', બધાં કરતાં તેને પોતાનું મહત્ત્વ વધારે ગમે છે. એક વખત અહીં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy