SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ પ્રવચન ક્રમાંક - ૨૭, ગાથા ક્રમાંક - ૨૭ પ્રવચનમાં કહ્યું કે પ્રિયદર્શના ભગવાન મહાવીરની એકની એક દીકરી. જમાલી સાથે તેના લગ્ન થયા. ઉપદેશ સાંભળી જમાલી મુનિ બન્યા અને પ્રિયદર્શના સાધ્વી બની. જમાલીના ૫૦૦ શિષ્ય થયાં અને પ્રિયદર્શનાને હજાર શિષ્યા થઈ. જમાલીને એક આગ્રહ થયો. વાત સાદી હતી, બિમાર હતા, તાવ આવ્યો હતો. તેમણે શિષ્યને કહ્યું કે સંથારો કરો, અને શિષ્ય સંથારો કરી રહ્યા છે. તેમણે શિષ્યને પૂછ્યું, સંથારો થયો ? શિષ્યે કહ્યું કે થયો. હવે જમાલી ત્યાં ગયા. સંથારો થતો હતો, એક કપડું પાથરવાનું બાકી હતું. જમાલીએ કહ્યું કે હજુ તમે પૂરું કર્યું નથી તો કેમ કહ્યું કે થયું ? શિષ્યે કહ્યું કે ‘કરવા માંડ્યું એટલે કર્યું કહેવાય’ જમાલી કહે ‘જ્યારે પૂરું થાય ત્યારે કર્યું એમ કહેવાય. કરવા શરૂ કર્યું એટલે કર્યું તેમ ન કહેવાય.’ આ દર્શનમોહે માથું કાઢ્યું. ભગવાન મહાવીરના મતે વ્યવહારનયથી એ વાત સાચી છે. અને જમાલી કહે કે મારી વાત સાચી છે. જમાલીના કેટલાક શિષ્યો તેમના પક્ષમાં, અને નવાઈની વાત તો એ છે કે સાધ્વી પ્રિયદર્શનાશ્રીજી પણ તેમના પક્ષમાં. ‘પતિદેવો ભવ.’ પ્રિયદર્શના કહે છે કે જમાલી સાચાં છે. જમાઈરાજ અને દીકરી ભગવાન સામે પડ્યા. ભગવાન વીતરાગ હતાં. જમાલી અને પ્રિયદર્શનાને ભગવાન મહાવીર કરતાં પોતાનો મત વ્હાલો હતો. મતના આગ્રહનાં કારણે આપણે ઘણું ખોયું છે, વારંવાર ખોયું છે. આને કહેવાય મતનો રાગ. ‘નિજમતનો આગ્રહ અને વેશનો આગ્રહ.' શરીર અને આત્મા બન્નેને લેવાદેવા નહિ. શરીર જુદું અને આત્મા જુદો, તો શરીર પરનું કપડું આત્માથી જુદું નહિ ? છે જુદું, પણ આના વગર મોક્ષ નહિ મળે એમ માને. બુદ્ધની પરંપરામાં જાવ તો તુરત જ કહેશે કે બધી વાત રહેવા દો, પીળા કપડાં વગર નહિ ચાલે. બુદ્ધે કહ્યું કે ન કહ્યું તે ખબર નથી, અને સંન્યાસીને પૂછો તો કહેશે ભગવા કપડાં વગર નહિ ચાલે. શ્વેતાંબર કહશે કે ધોળા કપડાં વગર નહિ ચાલે. દિગંબર કહેશે, કપડાં જ માથાફોડ છે, એ ઉપાધિને કાઢી નાખો. આ જે અટવાયા તે ધોળાં, પીળાં, ભગવા વચ્ચે અટવાયા. આ વેશનો આગ્રહ, અને આ આગ્રહ, ‘મુક્તિ નિદાન’ એટલે આ જ મુક્તિનું કારણ છે, એમ જે માને તેને પરમકૃપાળુદેવ મતાર્થી કહે છે. ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Ra Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy