SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ રાગદ્વેષ કરશો તો મોક્ષ નહિ મળે, દુષ્કર્મો કરશો તો મોક્ષ નહિ મળે. ‘એકાકી વળી વિચરતો સ્મશાનમાં', એવી મસ્તી અને ખુમારી ક્યાં છે? એવો આનંદ ક્યાં છે ? અરે, કડકડતી ઠંડી હોય તો પણ એક વિકલ્પ ન ઊઠે એવી અદ્ભુત અવસ્થા છે, પોતાનો મત મૂકે તો આવી અદ્ભુત અવસ્થા પ્રાપ્ત થાય. આપણે જન્મ્યાં ત્યારે આપણાં મા-બાપ તો હોય જ, આપણાથી વીશ કે પચીશ વર્ષ પહેલાં તેઓ આવ્યાં, તેમણે આપણા માટે ઘણી તૈયારી કરી રાખી. એમનો મત, એમની માન્યતા, એમનો સંપ્રદાય, એમનાં માનેલાં શાસ્ત્રો, સિદ્ધાંતો આ બધું તૈયાર કરી મા-બાપ બેઠાં છે. બાળક આવ્યું, હજુ તેની પાસે કપડાં નથી કે મત માન્યતા નથી, હવે આ ફેક્ટરીમાં ઢાળવાનું કામ મા-બાપ કરશે. આપણે સ્થાનકવાસી છીએ, મુહપત્તિ બાંધવી પડશે. કોઈ કહેશે આપણે દેરાવાસી, સ્થાનકમાં ન જવાય, આ આપણો વારસો. મા-બાપ જો આટલો નિર્ણય કરે કે જે સત્ય છે તે જ બાળક પાસે ૨જુ ક૨વું, પોતાની માન્યતા રજુ ન કરવી. આટલું જો મા-બાપ કરે તો ઘણાં સંપ્રદાયો ઓછાં થઈ જાય. પરંતુ સત્ય તેને સમજાવું જોઈએ. આનંદધનજીએ બહુ મઝાની વાત કરી કે, પ્રવચન ક્રમાંક - ૨૭, ગાથા ક્રમાંક - ૨૭ Jain Education International बम्हनके घर नाती धोती, योगी के घर चेली, कलमा पढ पढ भइ रे तुरकडी, आप ही आप अकेली, अवधू ऐसा ग्यान विचारो. બ્રાહ્મણને ઘેર જન્મ લીધો, પૂછો, શું ધર્મ ? તો ન્હાવું, ધોવું એ ધર્મ અને કડકડતી ઠંડીમાં સવારે કોઈ અડી જાય તો ફરી ન્હાવા જવું પડે. શરદી થાય કે ન્યુમોનિયા થાય તો ભલે થાય, ફરી ન્હાવા તો જવું જ પડે, કેમ ? તો કહેશે કે કોઈ અડી ન જાય તે ધર્મ છે. એક ભૈયાજી રંગુન ગયા, ત્યાં લોટો લઈને ગયેલા. લોટાને બહુ સાચવે, સાફ કરી નાખે, ચોખ્ખો કરે અને પાણી ભરે. એક પણ ડાઘ લોટા પર પડવા ન દે. પછી રંગૂનથી લખનૌ આવ્યાં. કુટુંબીઓ મળ્યાં. પૂછ્યું કે શું કર્યું ? દારૂ પીધો, માંસાહાર કર્યો, આ બધું કર્યું પણ લોટાને બરાબર સાફ રાખ્યો. આપણે પણ લોટા રૂપી શરીરને સાફ રાખીએ છીએ અને અંદર હૃદય જે સાફ રાખવું જોઈએ, તે રાખતાં નથી. તમે બાળકોને તમારા મતમાં અને તમારા ઢાંચામાં ઢાળો છો. તમને થશે કે અમારે કંઈ કહેવું જ નહિ એમને ? સંસ્કાર ન આપવા ? ઘડતર ન કરવું ? એવો પ્રશ્ન થશે. તો મારે એમ જ કહેવું છે કે સત્યની ભૂમિકા ઉપર જે છે તે બાળક પાસે મૂકો. જે વાસ્તવિક નથી તે ન મૂકો. આપણને સૌથી વધારે જો રાગ હોય તો મતનો છે. આમ તો તબક્કા પડે છે. સૌથી વધુ રાગ ધન ઉપર, ધન કરતાં પ્રગાઢ રાગ સ્ત્રી ઉપર હોય અને સ્ત્રીને પુરુષ પ્રત્યે હોય, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy