SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૦૯ વિશક્તિા’ પુણ્ય ક્ષીણ થયા પછી દેવલોકથી તારે પાછું નીચે આવવું પડશે. ‘પાછા હતા ત્યાં ને ત્યાં આવું સમજાવવા માટે શાસ્ત્રમાં દેવગતિનું વર્ણન છે. ફરી પુણ્ય-પાપ અને ફરી પાછા ગતિઓનાં ચક્કરમાં પડાશે. દેવાદિ ગતિના ભાંગામાં શ્રુતજ્ઞાન સમજે છે, શ્રુતજ્ઞાનનો આટલો જ અર્થ સમજતો હોવાના કારણે, વર્ષો સુધીમાં શાસ્ત્રો વાંચેલ હોવા છતાં, શાસ્ત્રનો નિચોડ, શાસ્ત્રનો અર્થ, શાસ્ત્રનું અમૃત કે માખણ તેના હાથમાં આવતું નથી. “માખણ થા સો વિરલા પાયા, છાશ જગત ભરમાયા.” શાસ્ત્રોમાંથી શું લેવા જેવું છે? શેના માટે શાસ્ત્રો છે? તેનો વિવેક અને બોધ જો હોય તો આ જગતમાં સંપ્રદાયો અને જુદા જુદા મતો માટે લડે છે, તે બધું ન હોત. જે લડાઈ થાય છે તે લડાઈનું મુખ્ય કારણ શાસ્ત્ર જાણવાની અણસમજ, ગેરસમજ છે. શાસ્ત્રો લડવા માટે નથી, લડતાં હો તો શાંત થવા માટે છે. કૃપાળુદેવના ઘણાં બધાં વચનો છે, તે ખરા અર્થમાં નહિ સમજે તો તેમાં પણ ઘણાં મતભેદ થશે. સ્વાધ્યાય કરાવનારા જુદાં જુદાં, તેઓની સમજણ જુદી જુદી, તેમનો આગ્રહ જુદો જુદો, અને કૃપાળુદેવે શું કહ્યું? તેમ કોઈ પૂછશે તો કહેશે કે હું કહું છું તે જ કહ્યું છે. તેમના કહેવાનો અર્થ હું કરું છું તે થાય છે, એટલે નવી પરંપરા, નવા સંપ્રદાયો અને નવું જુથ, નવો વાડો, નવો ગચ્છ અને ગચ્છના ભેદો આ બધું ઊભું થશે. ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકા, મોહ નડિયા કલિકાલ રાજે. (આનંદઘનજી) આ પંચમકાળમાં મોહ નડ્યો છે, એ મોહના કારણે આવો આગ્રહ થાય છે તે એક વાત. બીજી વાત મહત્ત્વની એ કે “માને નિજ મત વેષનો આગ્રહ મુક્તિ નિદાન.” પહેલાં તો એ સમજી લો કે મોક્ષમાં, સિદ્ધ અવસ્થામાં શરીર નથી. તમે હશો પણ શરીર નહિ હોય. મુંઝાશો નહિ, સિદ્ધોને દેહ હોતો નથી. દેહ જ નથી તો કપડાં પહેરવાના નથી. કપડાં પહેરવાનાં જ નથી તો ઝગડા શાના? અહીં ઝગડા થાય છે કે કયા કપડાં પહેરનારને મોક્ષ મળે, અને કેવા રંગના પહેરનારને મોક્ષ મળે, તે નક્કી કરો. દરેક સંપ્રદાયના લોકોનાં કપડાનાં રંગ જુદા જુદા હોય છે. કોઈનો પીળો તો કોઈનો ધોળો અને કોઈનો કાળો. પીળાંવાળાં એમ કહેશે કે ધોળાં પહેરશો તો મોક્ષ નહિ મળે, અને ધોળાં પહેરે છે તેઓ એમ કહેશે કે ધોળાં પહેરશો તો જ મોક્ષ મળશે. આટલો સસ્તો મોક્ષ નથી. લાલ કાઢીને ધોળાં પહેર્યા તો કામ થઈ ગયું તેમ નથી. જુદા જુદા સંપ્રદાયના લોકો એમ કહે છે કે આ પ્રમાણે કપડાં પહેરશો તો મોક્ષ મળશે. જો આવાં કપડાં પહેરો તો મોક્ષ ન મળે આમ વેશના આગ્રહને મોક્ષનું કારણ માને છે પણ તેઓ એમ નથી કહેતાં કે કષાયો કરશો કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy