SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ પ્રવચન ક્રમાંક - ૨૭, ગાથા ક્રમાંક - ૨૭ હદ છે. જે મનુષ્ય કે પશુગતિમાં ભોગવી ન શકાય તેવા તીવ્ર પાપો ભોગવવા માટે જે સ્થળ છે તે નરક. આવી બધી વ્યવસ્થા જગતમાં છે અને તેનું વર્ણન શાસ્ત્રમાં આવે છે. નરકના વર્ણનમાં પહેલી નારકી, બીજી નારકી તેમ સાત નારકીઓ અને તેનો વિસ્તાર, તેનો અંધકાર, ત્યાં પરમાધામી દેવો કેવું દુઃખ આપે છે, તેનું પણ વર્ણન છે. પરંતુ આ બધા વર્ણન પૂરતો જે શાસ્ત્રનો અર્થ સમજતો હોય તો તે મતાર્થી છે. આ બધું વર્ણન તો આજુબાજુનું છે, પરંતુ મુખ્ય વર્ણન જે કરવું છે, તે સ્વરૂપનું વર્ણન છે. ધારોકે, તમે જમવા બેઠાં હો અને એક પછી એક વાનગી થાળીમાં પીરસાતી જાય. તમે જોયા કરો, આ શાક, આ દાળ, આ પાપડ, આ ફરસાણ અને જો મૂળ મુદ્દો મીઠાઈ પીરસવામાં ન આવે તો ભોજન અધૂરું છે, તેમ લાગે. શાસ્ત્રોમાં જે વિવિધ વર્ણનો કરવામાં આવ્યાં છે તે મૂળ આત્માની આજુબાજુનાં છે. મૂળ આત્માને જ મહત્ત્વ ન આપે અને આટલો જ શાસ્ત્રોનો અર્થ કરતો હોય તો આવો અર્થ કરનાર જીવ મતાર્થી છે. મોટા ભાગના વિવાદો આમાંથી થાય છે. આ પૃથ્વી થાળી જેવી ગોળ છે કે દડા જેવી ગોળ છે ? આપણે કહીએ કે થાળી જેવી છે તો તુરત જ કહેશે કે વૈજ્ઞાનિકો ના પાડે છે, અને વર્ષો પછી પણ એમ જ કહેશે કે હજુ નક્કી થયું નથી. ક્યારે નક્કી થશે ? શાસ્ત્રો આટલા માટે નથી. બીજી વાત, શાસ્ત્રો માત્ર પાઠ કરવા માટે પણ નથી. કોઈ પૂછે કે કેટલાં ગુણસ્થાનકો છે ? તો તે મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપરાય, ઉપશાંત મોહ, ક્ષીણમોહ, આમ ફટાફટ બોલી જાય. આ બધા વર્ણનો માત્ર કંઠસ્થ કે પાઠ કરવાં માટે નથી. શાસ્ત્રોમાંથી તો એક આત્માને શોધવાનો છે. આત્માની શોધ સિવાય બાકી બધું માને અને સ્વીકારે અને તેને જ શાસ્ત્રજ્ઞાન-શ્રુતજ્ઞાન માને એવા જીવોને કૃપાળુદેવ મતાર્થી કહે છે. દેવગતિ, નારકી આદિ ગતિનાં ભાંગા અને તેનું સ્વરૂપ કોઈ વિશેષ પ્રકારનાં હેતુથી કહ્યું છે, આ હેતુને જાણ્યો નથી. કયો હેતુ ? આ એટલા માટે વર્ણન કર્યું છે કે જો તું અશુભપાપ કરીશ તો તારે ભોગવવું પડશે, માટે તું રોકાઈ જા, તું અટકી જા, આવાં આવાં પરિણામ તારે ભોગવવાં પડશે. આ વર્ણન સાંભળી તને મૂંઝવણ થતી હોય, ભય લાગતો હોય તો ભાઈ ! ભલો થઈને આ જીવનમાં તું અશુભ કર્મો નહિ કરતો, તેમ સમજાવવા માટે શાસ્ત્રોમાં આ બધું વર્ણન છે. શાસ્ત્રોને એમ કહેવું છે કે સત્કર્મો કરશો તો પુણ્ય બંધાશે અને કરોડો વર્ષ ભૌતિક સુખ ભોગવશો પણ જો આત્મસાધના નહિ થાય, ધ્યાન કે તપ નહિ થાય, તો અનુભૂતિ નહિ થાય. ગુણસ્થાનકે ચડી નહિ શકાય. ઉપશમ શ્રેણી નહિ મંડાય. ક્ષપક શ્રેણી નહિ મંડાય. તને પુણ્ય મળશે, દેવલોક મળશે પણ ‘ક્ષીને પુણ્યે મર્ત્યો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy