SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૦૭ કેટલાક શાસ્ત્રો તેમની પરંપરામાં આવેલા પુરુષોએ રચ્યાં છે, બહુ જાગૃતિ રાખી છે. બહુ વિવેક રાખ્યો છે. બહુ ચિંતન અને મંથન કર્યું છે, એક પણ શબ્દ આડો અવળો ન જાય, સૂત્ર, અર્થ, વ્યંજન, સ્વર, અનુસ્વાર વગેરેની ક્યાંય ભૂલ ન થાય તેની કાળજી રાખી છે. એ શાસ્ત્રોમાં માત્ર અધ્યાત્મની જ વાત આવે તેવું નહિ બને. વ્યવહારની વાત જ્યારે આવશે ત્યારે જગતનું વર્ણન પણ આવે, ગતિઓનું વર્ણન આવે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચ અને નરકગતિની વાત આવે, ભૂગોળની વાત આવે, દ્વીપ સમુદ્રની પણ વાત આવે, વિશાળ આકાશની અને અલોકાકાશની વાત આવે, અને દ્રવ્યની, ગુણપર્યાયની પણ વાત આવે. આ બધી વાતો શાસ્ત્રોમાં આવે પણ વાંચનાર વ્યક્તિ કેવી છે ? જેના હાથમાં શાસ્ત્રો આવ્યાં તેની આંતરિક અવસ્થા કેવી છે? જો એ મતાર્થી, મતના આગ્રહવાળો હશે તો એમ કહેશે કે શાસ્ત્રોમાં નરકગતિનું વર્ણન આવે છે તથા દેવગતિમાં વૈમાનિક દેવો માટે બાર દેવલોક, નવ રૈવેયક તથા પાંચ અનુત્તરદેવના વિમાનો છે, ત્યાં બાગબગીચાઓ આવાં છે, આ બધા વર્ણનને જ જે શ્રુતજ્ઞાન સમજે તેને કહેવાય છે મતાર્થી. તમારે ઘેર કોઈ આવે અને તમને મળે જ નહિ અને ઘર જુએ, કોઈગરૂમ, કિચન, ઓસરી બધું જોવે, નોંધ કરે, બહુ પરફેક્ટ, સરસ છે તેમ કહે અને તેમના ગામ જઈ તમારા ઘરના જ વખાણ કરે અને તમારી કંઈ વાત જ ન કરે, તેવી રીતે મૂળ આત્માને બાદ કરી, બીજું બધું વર્ણન કર્યા કરે, તે છે મતાર્થી. મૂળ મુદ્દો જ રહી જાય. દેવોનાં આટલાં પ્રકાર અને સ્વર્ગમાં આવો વૈભવ છે, આ બધું વર્ણન જે કર્યું છે તે વર્ણન શાસ્ત્રમાં વિશેષ હેતુપૂર્વક કર્યું છે. જો તમે શુભભાવ કરશો, શુભ પ્રવૃત્તિ કરશો તો પુણ્ય બંધાશે અને પુણ્ય ભોગવવાં માટે જગતમાં જુદા જુદા સ્થાનો છે. જગતમાં બધી વ્યવસ્થા સંપૂર્ણ અને કાયમ માટે છે. જીવ સત્કર્મો અને શુભભાવ કરે છે, તેથી પુણ્ય બંધાય છે અને પુણ્ય ભોગવવાનાં ઘણા સ્થળો છે. અમુક પ્રકારનું પુણ્ય મનુષ્યગતિમાં ભોગવી શકાય, જ્યારે અમુક શ્રેષ્ઠ પુણ્ય ભોગવવાની વ્યવસ્થા દેવલોકમાં છે, તેથી શાસ્ત્રોમાં દેવલોકનું વર્ણન આવે છે. જેણે પોતાના જીવનમાં દુષ્કર્મો કર્યા છે, પાપ અને અશુભભાવો કર્યા છે, તેને ભોગવવાની વ્યવસ્થા પણ જગતમાં છે. અમુક દુઃખો મનુષ્યગતિમાં ભોગવી શકાય છે, અમુક દુઃખો ભોગવવાં નરકગતિમાં પણ જવું પડે છે. મનુષ્યગતિમાં કેટલાંક દુઃખ ભોગવી શકાતાં નથી, પરંતુ દુઃખો ભોગવવા પડે તેવાં પાપો થઈ શકે છે. પશુઓને પણ દુઃખ ઓછું નથી. તેઓ માંદા પડે તો કોણ પાસે બેસનાર છે? કોણ પૂછનાર છે કે તમને કેમ છે? ખાવું હોય કે તરસ લાગી હોય તો કોણ દેનાર છે? આ પાપના પરિણામને ભોગવે છે. મનુષ્ય અને તિર્યંચને પણ પાપ ભોગવવાની અમુક લીમીટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy