SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૦૫ બીજી સૃષ્ટિમાં લઈ જાય છે. આપણી સૃષ્ટિ એક ભૌતિક સૃષ્ટિ છે અને શાસ્ત્ર અતીન્દ્રિય, અભૌતિક સૃષ્ટિમાં લઈ જવાનું કામ કરે છે. શાસ્ત્રોની મર્યાદા છે, એ અનુભવ નહિ કરાવી શકે. પણ અનુભવ જેનો કરવો છે તેનો અણસાર આપે છે. અનુભવ તમારે કરવો પડશે, પરંતુ જે એક પાત્ર સગુરુ છે, તેમની હાજરીમાં અનુભવ થશે. પણ અનુભવ કરતાં પહેલાં તેનો અણસાર તેનું ચિત્ર આપણને પ્રાપ્ત થવું જોઈએ, અને એ શાસ્ત્રમાંથી પ્રાપ્ત થાય છે. (૨) બીજી વાત, વ્યક્તિએ પોતાના જીવનમાં કેવું કેવું રૂપાંતર કરવાનું છે. કેવું પરિવર્તન અને કેવી ક્રાંતિ જીવનમાં કરવાની છે, કેવું જીવન જીવવાનું છે, તેનો ખ્યાલ શાસ્ત્રમાંથી મળશે. શાસ્ત્ર વિના તમે તેવું જીવન જીવવાની અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરશો? (૩) ત્રીજી વાત, પોતે ખરેખર અંદરથી કેવો છે? પોતાની ભૂમિકા કેવી છે? તે જોવા માટે શાસ્ત્ર દર્પણની ગરજ સારે છે. શાસ્ત્ર આપણને બતાવે છે કે તમારી અવસ્થા આવી છે. તમે પોતે તમને ગમે તે માનતાં હો અને કહેનારા પણ તમને ગમે તે કહેતાં હોય પણ શાસ્ત્રો તમે જેવા છો તેવા બતાવશે કે તમારી વર્તમાન અવસ્થા આવી છે. ગુણસ્થાનક અને દૃષ્ટિઓ ઉપરથી પણ ખ્યાલ આવે, માર્ગણાસ્થાન ઉપરથી ખ્યાલ આવે. અંદર જે ભાવો ઊઠે છે તેના ઉપરથી ખ્યાલ આવે કે આ શુભભાવ છે, આ અશુભ ભાવ છે કે શુદ્ધ ભાવ છે. આ વ્રતો છે, આ વૃત્તિઓ છે. આ બધો ખ્યાલ શાસ્ત્રો આપણને આપે છે. મોટો આધાર તો ખ્યાલ લેનાર કેવી રીતે ખ્યાલ લે છે, તેના ઉપર છે. શાસ્ત્રોની એવી કોઈ અવસ્થા નથી કે તમે ખોટો ખ્યાલ કરતાં હો તો તમને રોકે. શાસ્ત્રો તો તમારી બહિરંગ અવસ્થા, અંતરંગ અવસ્થા, પરમાત્મ અવસ્થા, ભવાભિનંદી, પુદ્ગલાનંદી, આત્માનંદી અને બ્રહ્માનંદી જે અવસ્થા હોય તેનું સ્પષ્ટ ચિત્ર આપે છે. તમે તમને પુદ્ગલાનંદી હોવા છતાં બ્રહ્માનંદી માની બેસો તો શાસ્ત્રો ઠપકો નહિ આપી શકે. શાસ્ત્રોને જે કહેવું છે, સમજાવવું છે તે એક જીવંત વ્યક્તિ જ તમને હાજર રહીનેકહી શકશે, અને તે નમ્રતાપૂર્વક સાંભળવાની તમારી તૈયારી પણ જોઈએ. માન જાય તો તમારી તૈયારી થઈ શકે. માન જાય, સદ્ગુરુ મળે પછી અનુભવની પ્રક્રિયામાં ઢળી શકાય. ગુરુ દરવાજા સુધી મૂકવા આવે છે, પછી તો તમારે એકલાએ જવાનું છે. શાસ્ત્રને સમજવામાં ઘણી ભૂલો થાય છે. જગતમાં જેટલાં ધર્મો છે તે બધાંને પોતપોતાનાં શાસ્ત્રો છે. અનેક શાસ્ત્રો છે. મુસ્લીમ પરંપરામાં કુરાન, ક્રિશ્ચયનનું બાઈબલ, હિંદુની પરંપરામાં વેદ, શીખોને ગ્રંથ સાહેબ, જૈનોની પરંપરામાં આગમ શાસ્ત્રો છે. દરેક ધર્મોનાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy