SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ પ્રવચન ક્રમાંક - ૨૭, ગાથા ક્રમાંક - ૨૭ પ્રવચન ક્રમાંક - ૨૦ ગાથા ક્રમાંક - ૨૦ શાસ્ત્ર સંબંધી ભૂલા પરમકૃપાળુદેવ પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્રની મતાર્થીના લક્ષણો જણાવતી ગાથાઓને નજર સમક્ષ રાખી, સાધકે “જગતમાં જેટલાં સત્ સાધનો છે, સત્ માર્ગ માટે સાધનો છે, એ સાધનોનો સાધક પોતાની ભૂલના કારણે કેવી રીતે દુરુપયોગ કરે છે, તેનું ચિંતન કરવાનું છે. ભૂલ સાધનની નથી, ભૂલ વ્યક્તિની છે. સાધનો તટસ્થ છે, આપણી સામે હાજર છે. સ્વીકાર કરનાર વ્યક્તિની ભૂમિકા કઈ છે? અવસ્થા કઈ છે? અને એની આંતરિક સ્થિતિ કેવી છે, તેના પ્રમાણે તે સાધનનો ઉપયોગ કરશે. મતાર્થી હશે તો સાધન તેનું તે, પણ ઉપયોગ જુદો કરશે. મુમુક્ષુ પણ સાધન તેનું તે, પણ એનો ઉપયોગ જુદો કરશે, આત્માર્થી પણ ઉપયોગ જુદી રીતે કરશે અને સમ્યગ્દષ્ટિ પણ સાધનનો ઉપયોગ જુદી રીતે કરશે. સાધનનો વાંક નથી, પણ સાધનને સમજવું પડશે, જાણવું પડશે કે ક્યાં વિવાદ થાય છે? ક્યાં ભૂલ થાય છે? અને તે ભૂલ કેવી રીતે ટાળવી, તે વિચારવું પડશે. બને છે એવું કે અનંતકાળમાં જે ભૂલ થઈ છે તેની પુનરાવૃત્તિ થાય છે. એની એ ભૂલ વારંવાર કરીએ છીએ. ભૂલ વારંવાર કરવાના પરિણામે તે સ્વભાવગત થઈ ગઈ છે. | પહેલી વાત તો એ કરવી છે કે આ સતુશાસ્ત્રો સાધક માટે અત્યંત અનિવાર્ય છે. શાસ્ત્ર એ અરીસો છે, શાસ્ત્ર એ સાગર છે, સમુદ્ર છે. ઈન્દ્રિયોની પેલી પાર અતીન્દ્રિય સૃષ્ટિનાં જે તત્ત્વો છે, તેનો અણસાર, સંકેત-ખ્યાલ, સૌથી પ્રથમ સન્શાસ્ત્રો આપે છે. સદ્ગુરુ મળ્યાં તેની પહેલાં શાસ્ત્રો મળ્યાં છે. એ ધ્યાન દોરે છે. શાસ્ત્રોનું કામ ઈશારો કરવાનું છે, પણ ઈશારો સમજવો તો જોઈએ ને? ખોટું સમજે તો તેનો દુરુપયોગ પણ થાય. માટે પહેલી વાત એ કરી કે શાસ્ત્રો ત્રણ હેતુ માટે છે. (૧) અતીન્દ્રિય સૃષ્ટિની અને તત્ત્વ વિષેની વિગત સાધકને પ્રાપ્ત કરવી છે. પરમાત્મા તત્ત્વ, દ્રવ્ય, ગુણ, પર્યાય, કર્મ અને કર્મના પ્રકારો, માર્ગણા, ગુણસ્થાનક, વેશ્યા, વ્રતો, અનુષ્ઠાન, કર્મનાં બંધની માહિતી તે ક્યાંથી મેળવશે? એ કંઈ સ્કુલ કે કોલેજમાં નથી આવતું. આ જે બધી વિગત મળે છે તે સશાસ્ત્રોમાંથી મળે છે. સશાસ્ત્રો આપણને એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy