SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ પ્રવચન ક્રમાંક - ૨૬, ગાથા ક્રમાંક - ૨૬ આપશો તો તમારે અને અમારે મેળ પડશે, નહિ તો મેળ નહિ પડે. સદ્ગુરુ સાથે અહીં મુશ્કેલી પડે છે અને અસદ્ગુરુ સાથે સોદો સહેલાઈથી થઈ શકે છે. અસદ્દગુરુ કહશે કે “ઓહોહો...ગયા જનમમાં તમે કેટલી સાધના કરીને આવ્યા છો, હવે આ જનમમાં મોક્ષ મળશે.” આમ કહેવામાં શું જાય? મર્યા પછી જ્યાં જવાનો હશે ત્યાં જશે. કોણ જોવા જવાનું છે? પ્રત્યક્ષ સગુરુયોગમાં, વર્તે દષ્ટિવિમુખ.” પરસ્પર સાપેક્ષ વસ્તુ છે. સદ્ગુરુની નજર પોતાના ઉપર ન પડવા દે અને પોતે ધરાઈને સદ્ગુરુને ન જુએ. સંત દાદુનું મૃત્યુ થયું. તેનો શિષ્ય રજબ હતો. જેવું દાદુનું મૃત્યુ થયું કે રજબે પોતાની આંખો બંધ કરી દીધી. લોકોને થયું કે મૃત્યુનું દુ:ખ લાગ્યું છે. પરંતુ ૨૪-૪૮ કલાક ગયા, રજબે આંખો ન ખોલી. લોકોએ કહ્યું કે “રજબ ! ગુરુદેવ તો ચલે ગયે, અબ આંખ તો ખોલીએ.” રજબે કહ્યું કે જેને જોવા માટે આ આંખો હતી તે તો ધરતી ઉપર રહ્યાં નહિ, હવે કોને જોવાં આંખો ખોલું?' સગુરુ મળ્યાં હોત અને આવી શ્રદ્ધા થઈ હોત તો તમારું કામ થઈ જાત. આવી શ્રદ્ધા અસદ્દગુરુ પ્રત્યે કરી હશે પણ ગુરુ પ્રત્યે દઢ શ્રદ્ધા કરી નહિ હોય. સદ્દગુરુ પાસે નુકસાન એક જ છે કે માન ખોવું પડે. તમે આશ્રમમાં આવ્યા હો અને અઠવાડિયું તમારી સાથે વાત ન કરું તો તમને થશે કે અહીં રહીને શું કરવું છે? બીજા ગુરુ શોધી લઈશું. અહીં જ થોડી છાપ મારી છે? આ ભૂલ સમજી લો. જીવે ક્યાં ભૂલ કરી છે? મોક્ષ નથી. પંચમકાળ કઠિન છે, જ્ઞાની પુરુષ નથી, સાધના થઈ શકતી નથી, આવો નેગેટીવ એપ્રોચ મૂકી દો. તમે બીજી સાઈડ તો જુઓ. સાતમા ગુણસ્થાન સુધીની યાત્રા થઈ શકે છે, પણ તમે બળ વાપરો તો ને? દર્શનમોહને તો હટાવો, અનંતાનુબંધીનો ક્ષયોપશમ તો કરો. ગ્રંથિભેદ અને અપૂર્વકરણ તો કરો? એક વખત નિર્વિકલ્પ થઈને અંતર્મુહૂર્ત આત્માનો અનુભવ તો કરો. વૃત્તિઓ ઉપર કાબૂ તો મેળવો. તમારે આટલું પણ કરવું નથી, નકારાત્મક અભિગમ જ રાખવો છે. શ્રી પદ્માનંદજી આચાર્ય એમ કહે છે કે “અમે જે આત્માની વાત કરીએ છીએ, તે તમારી વાત છે. બીજાની વાત કરતાં નથી. આત્માનું વર્ણન કર્યું તે તમારું વર્ણન છે. હે જીવ! એક વખત આનંદમાં આવીને, ઉલ્લાસમાં આવીને હું આત્મા છું' એમ તો કહે.” શેરબજારમાં ભાવ વધ્યાં હશે તો નાચ્યાં હશો જ, પરંતુ ગુરુ એમ કહે કે “અમે તારા વૈભવની વાત કરીએ છીએ, આત્માની વાતો કરીએ છીએ. તું સાંભળીને ઉલ્લાસમાં, આનંદમાં તો આવ. તું પ્રસન્ન તો થા. અને એક વખત કહે કે હું આત્મા છું, આત્મા મારો નિજવૈભવ છે.” આ નાનકી કડી યાદ રાખજો. अई कथमपि मृत्वा, आत्मकौतवं हलिसम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy