SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા હિતકારી વાણી ગ્રહણ કરતાં નથી. પોતે મુમુક્ષુ છે, જીજ્ઞાસુ છે, ધાર્મિક છે એવું માન મેળવવા માટે સદ્ગુરુને છોડી અસદ્ગુરુ પાસે જાય છે. પુનરાવૃત્તિ કરીએ, સદ્ગુરુ મળ્યાં, યોગ પણ થયો અને વાણી પણ સાંભળી પણ અવળી રીતે ગ્રહણ કર્યું અને પોતાનું હિત થાય તેવાં શબ્દો લીધાં નહિ અને પોતે મુમુક્ષુ છે, જિજ્ઞાસુ છે, ધાર્મિક છે, એવું માન મેળવવા માટે અસદ્ગુરુને દૃઢ કરે છે. બહુ સ્પષ્ટ વાત છે. ગાથાના ચાર ભાગ કરી જોઈએ. ‘પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં’, ભૂલ કંઈ કરે છે ? (૧) વર્તે દૃષ્ટિ વિમુખ (૨) વળી તે શું કરે છે ? તો અસદ્ગુરુને દૃઢ કરે છે. (૩) શેના માટે કરે છે ? શું મેળવવું છે ? તો એને મોક્ષ મેળવવો નથી; પરમાર્થ, ધર્મ કે આત્મા મેળવવો નથી. પણ ‘નિજ માનાર્થે મુખ્ય', આ જીવ જ્યાં ગયો ત્યાં પોતાનું માન અથવા અભિમાન પોષવાની વાત કરે છે. અભિમાનના ઘણાં પ્રકાર છે. કોઈએ કહ્યું કે ઈશ્વરનાં જેમ અનંત સ્વરૂપ છે તેમ અહંકારનાં પણ અનંત સ્વરૂપ છે, અહંકારને ઓળખવો ઘણો મુશ્કેલ છે. બે હાથ જોડીને ચાલતો હોય, અને કહેશે કે અમે તો બહુ નમ્ર છીએ, સૌને નમીએ છીએ, આ પણ અહંકારનો પ્રકાર છે. જીવ પોતાનો અહંકાર મજબૂત કરવા માંગે છે. જીવ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં મુમુક્ષુ બન્યો નહિ, વિચારક કે ચિંતક બન્યો નહિ. સાધક કે ઉપાસક બન્યો નહિ, ભક્ત બન્યો નહિ, જ્યાં ગયો ત્યાં પોતાનું માન જ પોપ્યું. આ બધાનો ઉપયોગ નિજ માનાર્થે કર્યો. સદ્ગુરુ તેનું માન ન પોષે તેથી ત્યાં ન જાય, પરંતુ પોતાનો અહંકાર પુષ્ટ થાય તેવું પાત્ર આ જીવ શોધી કાઢે છે, અને એ પાત્ર છે અસદ્ગુરુ. જ્યાં જાય ત્યાં પોતાનું માન મુખ્યપણે મેળવવા પ્રયત્ન કરે છે. અસદ્ગુરુ પ્રત્યે પોતાને શ્રદ્ધા અને ભક્તિ છે, તેવું બતાવી, ત્યાં સ્થાન મેળવે છે અને પોતાના માટે મોક્ષના દરવાજા પોતે જ બંધ કરી દે છે. પંચમકાળમાં મોક્ષ ન મળે તે ચર્ચા બંધ કરો. આગળ વર્ણન આવશે. શાસ્ત્રમાં કહ્યું છે કે આ કળિકાળમાં જીવાત્મા જો પુરુષાર્થ કરે તો સાતમા ગુણસ્થાનક સુધી જઈ શકે છે. આટલી વાત તો જ્ઞાનીએ કહી છે. તમે પણ યાત્રા કરી શકો. ચોથે, પાંચમે, છટ્ટે અને સાતમે સુધી જઈ શકો. આ કાળમાં ધ્યાન ન થાય, આત્મ અનુભૂતિ ન થાય તેવી વાતો બંધ કરી તું પહેલે તો આવ. પહેલાં ગુણસ્થાનકે ચાર દૃષ્ટિ ખૂલે છે. મિત્રા, તારા, બલા અને દીપ્રા. યોગની આઠ દૃષ્ટિ છે. પરમકૃપાળુદેવે ભલામણ કરી છે કે યોગની આઠ દૃષ્ટિઓનો અભ્યાસ વારંવા૨ ક૨વા જેવો છે, એ થર્મોમીટર છે. તમે કઈ ભૂમિકા ઉપર છો, તે બતાવી શકશે. જીવને વ્હાલામાં વ્હાલું માન છે. તમે આ નાનકડું વાક્ય વાંચ્યું જ હશે. ‘જગતમાં જો માન ન હોત તો, અહીં જ મોક્ષ હોત.' બધું મૂકાશે પણ માન નહિ મૂકાય. તમે જો માન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy