SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ પ્રવચન ક્રમાંક - ૨૬, ગાથા ક્રમાંક - ૨૬ પરંતુ મોક્ષ મળે તેવું આયોજન-પ્લાનીંગ કરતો નથી. “વર્તે દષ્ટિવિમુખ', કેમ એમ? ત્રીજું કારણ, સદ્ગુરુ જ્યારે મળે છે ત્યારે સદ્ગુરુની વાણી મતાગ્રહ, કદાગ્રહ અને દુરાગ્રહને દૂર કરે છે, મત, માન્યતા અને વિકારોને દૂર કરે છે, પરંતુ દુરાગ્રહ છેદક તેમની વાણી સાંભળવા આની તૈયારી નથી. એને તો પોતાનો મત પોષવો છે. લોકો કહે કે જ્ઞાની પુરુષ પાસે જાવ, તે જાય. જ્ઞાનીને કહે કે અમે સાંભળવા આવ્યા છીએ અને તેનું પ્રવચન ચાલુ થાય, બે કલાક પૂરા થાય પછી કહે કે મારે તમને પૂછવું છે કે હું બરાબર છું? I am Absolutely right તમે સીક્કો (સ્ટેમ્પ) મારી આપો. રાષ્ટ્રપતિ સીક્કો મારી આપે, સગુરુ નહીં. જીવને શિયાળની વાણી સાંભળવી ગમે છે પણ જીવનો આગ્રહ મટે, અજ્ઞાન માટે, મિથ્યાત્વ મટે, મત અને માન્યતા મટે એવી સિંહની ગર્જના જેવી, દુરાગ્રહછેદક જ્ઞાનીની વાણી સાંભળી નહીં ગમે. આ જીવની કમનસીબી એવી છે કે પોતે જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં પોતાના આગ્રહો અને દુરાગ્રહો લઈને ગયો. સત્યનો આગ્રહ હોય તો તો ઠીક છે, તેનું સમાધાન થઈ શકે પણ તે દુરાગ્રહ લઈને ગયો. સદ્ગુરુની વાણી સાંભળી, તેનાથી અવળો ચાલે તેને કહેવાય છે વર્તે દૃષ્ટિ વિમુખ.” સદ્ગુરુ મળ્યાં, તેમણે પરમાર્થની વાત પણ કરી, સત્ય તરફ આંગળી પણ ચીંધી, અતીન્દ્રિય સૃષ્ટિનો અણસાર પણ આપ્યો, આટલું બધું કર્યું પરંતુ એ દુરાગ્રહ છેડવા તૈયાર ન થયો. જેનાથી પોતાનું હિત થાય તેવા પ્રકારની વાણી તે ગ્રહણ કરવા તૈયાર થઈ ન શક્યો. ભૂલ સમજાઈ? તમે મરસિયા ગાશો નહિ કે આ પંચમકાળ છે, જ્ઞાની પુરુષો ક્યાં છે? સદ્ગુરુ ક્યાં છે? શાસ્ત્રો ક્યાં છે? આજુબાજુમાં ગમે તે થતું હશે પણ ધરતી સદ્દગુરુ વગરની હોતી નથી, સતી વગરની હોતી નથી. જ્ઞાની પુરુષ કે સંતપુરુષ વગરની ધરતી ક્યારેય હોતી નથી. પુરાણની કથા છે કે આ ધરતીનો ભાર શેષનાગ ઉપર છે. એ શેષનાગને કોઈએ પૂછ્યું કે “અહીં જુગારી લોકો છે, દારૂડિયા છે, ચોરી, દુરાચાર અને હિંસા કરનારા છે. છેતરનારા અને હજારોને પીડા આપનારા પણ છે, તો તમે શા માટે આવા ખરાબ લોકો માટે ધરતીનો ભાર વેંઢારો છો? શેષનાગે કહ્યું કે એ બધા માટે વેંઢારતો નથી. આ બધા વચ્ચે ધરતી ઉપર કોઈ કોઈ જ્ઞાની પુરુષો, સંત પુરુષો પણ છે, કોઈ સતી છે અને કોઈ દિવ્ય પુરુષો પણ છે, એમના માટે આ બધાનો ભાર વેંઢારું છું. - સદ્ગુરુ પ્રત્યક્ષ હાજર હોય, એમની વાણીનો યોગ મળે, પરંતુ જો તમે તમારા આગ્રહને મહત્ત્વ આપશો તો તમને સદ્ગુરુ કરતાં આગ્રહનું મહત્ત્વ વધારે છે. તમે કોને મહત્ત્વ આપ્યું? સગુરુને કે તમારા આગ્રહને? સદ્ગુરુ તમારો આગ્રહ છેદે છે, તે વખતે તમે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy