SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૯૫ વટાવી પેલી પાર રહેલું આત્મતત્ત્વ એ વિજ્ઞાનની પકડમાં આવતું નથી. તે એમ કહે છે કે અમારી લેબોરેટરીના ટેસ્ટમાં જે ન આવે, તેને અમે માનવા તૈયાર નથી. અમે ના કહેતાં નથી, પણ તમારો આત્મા લેબોરેટરીમાં આવવો જોઈએ, ત્યાં પ્રત્યક્ષ પૃથક્કરણ અને વિશ્લેષણ થવું જોઈએ. પુદ્ગલની પેલી પાર જે તત્ત્વ રહ્યું છે ત્યાં વિજ્ઞાન જઈ શકતું નથી. વિજ્ઞાન છે અને તેનું મહત્ત્વ પણ છે. આ એ.સી. લાઈટો, પ્લેનમાં ઊડવું, ગાડીઓમાં ફરવું તે બધી સિદ્ધિ વિજ્ઞાનની છે. વિજ્ઞાને આટલું બધું આપ્યું છે. વિજ્ઞાન તમારા સ્થૂળ દુઃખો દૂર કરી શકે, સ્થૂળ પ્રતિકૂળતાઓ દૂર કરી શકે પણ અમૃતની અનુભૂતિ વિજ્ઞાન ન કરાવી શકે. અવિદ્યા એટલે વિજ્ઞાન દ્વારા બાહ્ય દુઃખો દૂર થશે પણ ‘વિદ્યયામૃતમનુતે ।’ પરમ તત્ત્વની અનુભૂતિ, વિદ્યા એટલે કે સમ્યગ્દર્શન દ્વારા જ થશે. અનંતકાળનાં પરિભ્રમણમાં અશુભ અને શુભ વચ્ચે જીવે ઝોલાં ખાધાં છે. એક અવસ્થા એ છે કે શુભ અને અશુભથી પર થઈને શુદ્ધમાં ડૂબકી મારવી. સમજવા કોશિશ કરજો. શુભમાં પણ રહ્યા અને અશુભમાં પણ રહ્યાં, પરંતુ સમગ્રતા શુભાશુભમાં જ રહી. એક પળ કે એક ક્ષણ એવી નથી આવી કે જે ક્ષણે શુભ અને અશુભ બન્ને ચક્રોમાંથી કૂદકો મારી શુદ્ધમાં ડૂબકી મારી હોય. એ ઘટના જીવનમાં નથી ઘટી. એનું કારણ પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્ત થયાં નથી, પણ માત્ર એટલું જ કારણ નથી. આ જગતમાં કોઈ કાળ એવો નથી કે : સદ્ગુરુ ન મળે. ‘‘સદ્ગુરુ થયા તે થયા, હવે થવાના નથી, અત્યારે છે જ નહિ', આવી બિનજરૂરી ચર્ચામાં પડવા જેવું નથી. ‘આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં’ પરમકૃપાળુદેવે આ વાક્ય કહ્યું છે. રસ્તો બંધ થયો નથી. તમે કેમ કહી શકો કે ‘જ્ઞાની થવાનાં જ નથી.’ બસ પરમાર્થનો, સાધનાનો, ભક્તિનો, અંત આવી ગયો ? અરે ! જ્ઞાની છે અને જ્ઞાની થશે. સદ્ગુરુનો યોગ પ્રાપ્ત તો થયો છે, પણ જીવ પોતાની અવળચંડાઈને લીધે દૃષ્ટિથી વિમુખ રહ્યો છે. આ સૃષ્ટિ શબ્દ બહુ મઝાનો છે. દૃષ્ટિ એટલે સદ્ગુરુની નજર. બીજાની નજરે તમે ચડવા કોશિશ કરો છો. કોઈ ગવર્નર, કોઈ વડાપ્રધાન આવવાના હોય, રાષ્ટ્રપતિ આવવાના હોય તો તેની નજરે ચડવા તમે કોશિશ કરો છો. કારણ કે એ મોટો માણસ છે. બસ, તેની નજર પડી જાય અને પાસે આવીને પૂછે કેમ છો ? તો તો અધધધ....થઈ ગયું. રાષ્ટ્રપતિએ પૂછ્યું, કેમ છો ? વાહ ! અને ફોટો પડાવ્યો હોય તો બધાને બતાવે, મઢાવીને રાખે અને દીકરાને કહેતો જાય કે રાષ્ટ્રપતિ મને મળ્યાં હતાં. પરંતુ તેમની પાછળ ખુશામત કેટલી કરેલી તે કહેતો નથી. અહીં સદ્ગુરુની નજર આપણાં ઉપર પડે પણ તે શેનાથી પડશે ? શું જોઈને સદ્ગુરુની નજર આપણા ઉપર પડશે ? તમારું રૂપ ? તમારી સત્તા ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy