SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ પ્રવચન ક્રમાંક - ૨૬, ગાથા ક્રમાંક - ૨૬ તમારી સંપત્તિ કે તમારો વૈભવ? તમારી આવડત અને કૌશલ્ય કે તમારી બુદ્ધિ ? આ બધામાંથી શું જોઈને તમારા ઉપર નજર પડશે? હજારો માણસો બેઠાં હોય તેમાં સદ્ગુરુની નજર કોના ઉપર પડશે? બહુ પૈસાવાળા ઉપર? બહુ રૂપાળા ઉપર? બહુ શાસ્ત્રો વાંચ્યાં હશે તો નજર પડશે? ઘણું તપ કરતાં હશો તો નજર પડશે? સંસારનો ત્યાગ કર્યો હશે તો નજર પડશે ? બહુ સિદ્ધાંતો કંઠસ્થ કર્યા હશે તો નજર પડશે ? નહિ પડે. સદ્દગુરુના મૂલ્યાંકનમાં આ નથી આવતું. સદ્ગુરુના મૂલ્યાંકનમાં તો એ આવે છે કે જેને અંતરમાં પરમ તત્ત્વની અનુભૂતિ કરવાની તીવ્ર વેદના જાગી છે, એ વેદન જેના હૃદયમાં છે, એના ઉપર નજર પડશે. ફરી સમજી લો, તેઓ શોધી કાઢશે. “જેને લાગી તેને લાગી' “રામબાણ વાગ્યાં હોય તે જાણે, બીજા તો વાતું તાણે.” અંદરમાં જેને ઘા લાગ્યાં હશે, અંતરની વેદના જેને થતી હશે, તીવ્ર તાલાવેલી જેને થઈ હશે, ભલે તે કંગાલ અવસ્થામાં હોય, પહેરવાં પૂરતાં કપડાં ન હોય, એ મુફલીસ જેવો દેખાતો હોય તોપણ સગુરુની નજર તેના ઉપર પડશે, સદ્ગુરુ તેને ઓળખી લેશે, પણ આ જીવ એવો અળવીતરો છે કે સદ્દગુરુની નજર પોતાના ઉપર ન પડે તેમ પોતાની જાતને બચાવી લે છે. કાંઈ સમજાય છે? આપણે શું પરાક્રમ કર્યું? સદ્ગુરુ હાજર હોવા છતાં એમની નજર, એમની દૃષ્ટિ આપણા ઉપર પડે તેવી આપણી કોશિશ નથી. ‘તેઓ આપણાં વખાણ કરે, પ્રશંસા કરે, શેઠ પધારો એમ કહે તો ગમે. તમારા ગામમાં તમારા જેવું કોઈ નથી, તેમ કહે તો ગમે. તમે છો તો વહિવટ થાય છે, તમે છો તો ઉપાશ્રય ચાલે છે, તમે છો તો દુનિયા ચાલે છે.” આવું બધું કહે તો ગમે છે. સરુને તો એ જોવું છે કે અંતરમાં વ્યથા કોને જાગી છે? શાસ્ત્રોએ તો કહ્યું છે કે છ ખંડનો ચક્રવર્તી હોય પણ તેને જો આત્મસ્પર્શ નથી, તો તે જ્ઞાનીની દૃષ્ટિએ ભિખારી છે. વર્તમાનકાળના અબજોપતિ પૂરતી આ વાત નથી. છ ખંડનો માલિક પણ જો સમ્યગદર્શન રહિત હોય તો એને દરિદ્ર જ કહ્યો છે. દરિદ્રમાં દરિદ્ર જો કોઈ હોય અને તેની પાસે આત્મ અનુભવ એટલે સમ્યગદર્શન જો હોય તો જગતનો તે સૌથી મોટો ધનવાન છે. ભગવાન મહાવીરના સમવસરણમાં જે સ્થાન પૂણીયા શ્રાવકનું હતું તેવું સ્થાન સમ્યગ્દષ્ટિ જીવનું પણ છે. શ્રેણિક મહારાજા પૂણીયાની તોલે ન આવે. શ્રેણિક મહારાજા પૂછે છે કે પ્રભુ ! મેં મારા જીવનમાં ઘણી ભૂલો કરી છે, એટલા માટે મારે નરકમાં જવું પડશે. નરકમાં ન જવું પડે તે માટે કોઈ ઉપાય ખરો ? ભગવાન મહાવીર કહે છે કે “એક રસ્તો છે. પૂણીયા શ્રાવકની એક સામાયિક જો વેચાતી લઈ લે તો તારે નરકમાં ન જવું પડે. પુણીયાને કહ્યું કે મારે એક સામાયિક વેચાતી લેવી છે.' પૂણીયાએ પૂછ્યું કે “તમને કોણે મોકલ્યા?” તેણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy