SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ પ્રવચન ક્રમાંક - ૨૬, ગાથા ક્રમાંક - ૨૬ નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તે અધ્યાતમ લહીએ રે, જે કિરિયા કરી ચઉ ગતિ સાધે તે ન અધ્યાતમ કહીએ રે, શ્રી શ્રેયાંસજિન અંતરજામી, આતમરામી નામી રે. જે ક્રિયા કરવાનાં પરિણામે, જે પ્રવૃત્તિ કરવાનાં પરિણામે સંસારમાં જ રહેવાનું થાય, સંસારમાં જ પરિભ્રમણ થાય, તે યથાર્થ પરિણામ નથી. અહીં એટલા માટે કહેવું છે કે શુભ અને અશુભ બંને વચ્ચે એ ઝોલાં ખાય છે, પરંતુ કુદકો મારી એ શુદ્ધમાં ગયો નથી, ઢળ્યો નથી. ભૂલ આપણી ક્યાં થાય છે? તે આપણે સમજવાનું છે, આપણે કેટલી બધી સાધનાઓ કરીએ છીએ ! વ્રત અને તપ કરીએ છીએ, શાસ્ત્ર વાંચન, સ્વાધ્યાય કરીએ છીએ, ઘણું બધું કરીએ છીએ પરંતુ ઘણું બધું કરવા છતાં પરિણામ શું આવ્યું? “નિજ સ્વરૂપ જે કિરિયા સાધે', એ પરિણામ લાવવું છે. અશુભમાં ગયા, શુભમાં પણ ગયા, પણ એક વાત બાકી રહી ગઈ. પોતાનું જે નિજ સ્વરૂપ, અસલ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, વાસ્તવિક સ્વરૂપ છે તેનો ટચ થયો નથી. નિજ સ્વરૂપના અનુભવને, સ્પર્શને શાસ્ત્રીય પરિભાષામાં સમ્યગદર્શન કહેછે. સમ્યગદર્શન એટલે આત્માનો સ્પર્શ, આત્માનો અનુભવ અથવા આત્માની-સ્વરૂપની અનુભૂતિ. સ્વસ્વરૂપનો રણકાર અંદરથી આવે એ સમ્યગ્દર્શન છે. સમ્યગ્રદર્શનની અનુભૂતિ થઈ નથી એટલે આપણે શુભ અશુભમાં જ રહ્યા છીએ, એટલે એ પલટો જે ખાધો નથી, જે પરિવર્તન આવ્યું નથી, જે કુદકો મારી શક્યાં નથી, જે પરિવર્તન લાવી, શુભને વટાવી શુદ્ધમાં જવું જોઈએ એ ઘટના ઘટી નથી, તેનું એક કારણ સદગુરુનો યોગ પ્રાપ્ત થયો નથી. બહુ મઝાની વાત છે. ઘટના તમારામાં ઘટશે, પરિવર્તન તમારામાં આવશે, આત્મદર્શન તમને થશે, આત્મસાક્ષાત્કાર તમને થશે પણ જ્યારે થશે ત્યારે બહારમાં પ્રત્યક્ષ સદ્ગુરુની હાજરી અનિવાર્ય હશે, અને શાસ્ત્રો તો એમ કહે છે કે સદ્ગુરુ કંઈ કરતાં નથી, માત્ર હાજર હોય છે. અનુભૂતિ વખતે એક પરમતત્ત્વની હાજરી અનિવાર્ય છે, માટે તમામ ધર્મો, તમામ શાસ્ત્રો અને તમામ સિદ્ધાંતોમાં સૌથી મહત્ત્વ જો કોઈનું હોય તો પુરુષનું છે, જ્ઞાની પુરુષનું છે. જ્ઞાની પુરુષ તે સદ્ગુરુ. ઈન્દ્રિયો દ્વારા જે દેખાય છે તેને વિજ્ઞાન સ્પષ્ટ કરી આપે છે. વિજ્ઞાનની ક્ષમતા છે, વિજ્ઞાને કેટલું બધું પૃથક્કરણ કર્યું છે ! છેક અણુઓનું પણ વિભાજન કર્યું. ઈલોક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, એની પ્રદક્ષિણા, વિદ્યુત શક્તિ, ઉર્જા અને તેનું સામર્થ્ય, આમાં વિજ્ઞાને કંઈ ઓછું પૃથક્કરણ કર્યું નથી. વિજ્ઞાન સમગ્રપણે પુગલ ઉપર કામ કરે છે. (વિજ્ઞાન આત્મા ઉપર કામ કરી શકતું નથી.) એટમબોમ્બ હોય કે અણુબોમ્બ કે પછી હાઈડ્રોજન બોમ્બ જે કંઈપણ હોય, એનર્જી કે વિદ્યુત હોય, બધું જ કામ પુદ્ગલ ઉપર છે. પુદ્ગલને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy