SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ક્રમાંક - ૨૫, ગાથા ક્રમાંક - ૨૭ શાસ્ત્રો ના પાડે છે. જ્ઞાન થયું છે તો ક્રોધ ગયો ? ઈન્દ્રિયો જીતી ? અહંકાર ગયો ? દયા આવી ? ક્ષમા આવી ? ઉદારતા આવી ? મૃત્યુનો ભય ગયો ? નથી ગયો ને ? તો કહેશો નહિ કે અમને બ્રહ્મજ્ઞાન થયું. ૨૮૮ अक्रोधवैराग्यजितेन्द्रियत्वं क्षमादयासर्वजनप्रियत्वम् । निर्लोभदाता, भयशोकहर्ता, ज्ञानं प्रतिलाभ च दश लक्षणानि ॥ જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેનામાં ક્રોધ ન હોય, લોભ ન હોય, વૈરાગ્ય હોય. ક્ષમા અને કરુણા હોય, જિતેન્દ્રિયત્વ અને જનપ્રિયત્વ હોય, ભાષાનું માધુર્ય હોય, તૃષ્ણા ન હોય, ઉદાર હોય, દાતા હોય, એને મોતનો ભય ન હોય. ઉપરના શ્લોકમાં જણાવેલ દશ લક્ષણો જેનામાં હોય તેને કહેવાય છે જ્ઞાની. શાસ્ત્રો કહે છે કે આ લક્ષણો તારામાં ઘટે છે ? અને જો ન ઘટતા હોય તો મહોરું કાઢી નાખ અને સરળ થઈને કહી દે કે હું જ્ઞાની નથી. હું જ્ઞાની છું તેમ કહેવું સરળ છે, પરંતુ હું જ્ઞાની નથી તેમ કહેવું બહુ મુશ્કેલ છે. મહર્ષિ વ્યાસે કહ્યું કે શાસ્ત્ર દ્વારા જુઓ કે પોતાનું વર્તન અને આચરણ બરાબર છે ? શાસ્ત્રનો સદુપયોગ પણ થઈ શકે છે અને દુરુપયોગ પણ થઈ શકે છે. આત્માર્થી સત્શાસ્ત્રનો સદુપયોગ કરે છે અને મતાર્થી સત્શાસ્ત્રોનો દુરુપયોગ કરે છે. આ તમામ સંપ્રદાયો, આ તમામ ગચ્છો, આ તમામ મતો, માન્યતાઓ, તમામ જુદા જુદા દર્શનો, વાદવિવાદો, આ તમામ ઝગડા તથા ચર્ચા જે કંઈ કરતો હોય તે મતાર્થી શાસ્ત્રને આધાર બનાવી કરે છે, અને પછી કહે છે કે અમે જે કહીએ છીએ તે શાસ્ત્રને આધારે કહીએ છીએ. તેથી બહુ મોટી મુશ્કેલી ઊભી થાય છે, માટે શાસ્ત્ર કોના હાથમાં છે તે મહત્ત્વનું છે. જુઓ, આતંકવાદીના હાથમાં બંદૂક હોય તો શું પરિણામ આવે ? અને સારા પોલીસનાં હાથમાં આવે તો શું પરિણામ આવે ? તે વિચારી લેજો. બંદૂકનું કાર્ય તો એક જ. એક આતંકવાદીનાં હાથમાં છે અને એક D.S.P ના હાથમાં છે. એનો ઉપયોગ બદલાઈ જશે. શાસ્ત્રો જો આત્માર્થીના હાથમાં હશે તો સદુપયોગ કરશે અને મતાર્થીનાં હાથમાં હશે તો દુરુપયોગ ક૨શે. મૂળ ગાથા ઉપર જઈએ. દેવાદિ ગતિભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન. ઝીણામાં ઝીણી વાતની પરમકૃપાળુદેવે નોંધ લઈ ઉલ્લેખ કર્યો છે. ક્યાં ક્યાં અટકાયત થાય છે અને કોણ આપણને રોકનાર છે ? કેટલી નાની નાની વાતમાં આ જીવ અટવાઈ જાય છે, તેનો ખ્યાલ આપે છે. દા.ત. કોઈ કહે છે કે વસ્ત્રો હશે તો મોક્ષ નહિ મળે. કોઈ કહે છે કે ધોળા પહેરશો તો જ મોક્ષ મળશે, પીળા પહેરશો તો નહિ મળે. કોઈ કહે છે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy