SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આટલા નીચાં વસ્ત્ર પહેરશો તો મોક્ષ મળશે. કોઈ કહે છે કે ચાર આંગળની મુહપત્તિ હશે તો મોક્ષ મળશે અને કોઈ કહે છે કે ત્રણ આંગળની હશે તો મોક્ષ મળશે. આ ત્રણ આંગળ અને ચાર આંગળ, કાળું, પીળું અને ધોળું, એમાં અટવાઈ જવાનું થાય છે. આ કામ મતાર્થીનું છે. દેવ નરક આદિ ગતિનાં ભાંગા (પ્રકાર) તે બધા જુદા જુદા છે. વૈમાનિક દેવો, જ્યોતિષી દેવો, વ્યંતર દેવો, અનુત્તર વિમાન, સર્વાર્થ સિદ્ધનાં દેવો છે. સર્વાર્થસિદ્ધના દેવો સિદ્ધ શીલાથી બાર ગાઉ છેટાં છે. દેવોના વિમાનો રત્નોથી મઢેલાં છે. દેવો છે, દેવીઓ છે. સ્વર્ગમાં મોટાં મોટાં ઉદ્યાનો અને સ્વીમીંગ પુલો છે. દેવ દેવીઓનાં શરીર આવાં સુંદર છે, આ બધું વર્ણન શાસ્ત્રોમાં છે, તેમ નરકગતિનું વર્ણન પણ શાસ્ત્રોમાં છે. પરંતુ આ વર્ણન તે જ શાસ્ત્રો છે તેમ માને છે તે મતાર્થી છે. મૂળ મુદ્દો ભૂલાઈ ગયો. શાસ્ત્રો આત્મજ્ઞાન માટે છે તે ભૂલાઈ ગયું અને આજુબાજુનાં વર્ણનને તેણે વધારે મહત્ત્વ આપ્યું. વિશેષ પરમાર્થ હેતુથી શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે દુષ્કર્મો કરશો, અત્યંત પાપો કરશો, તીવ્ર અશુભ કર્મો કરશો તો નરકગતિમાં જવું પડશે. પશુગતિ-તિર્યંચગતિ અને નરકગતિ બને દુર્ગતિ છે. જો નરકમાં જવું પડે તો ત્યાં ઘણી વેદનાઓ છે. નરકમાં આટલા બધા પરમાધામીઓ છે, આવું સ્થળ છે, તેનાં આટલાં પ્રકારો છે, આ બધું જ વર્ણન શાસ્ત્રમાં છે. બહુ પુણ્ય જો ભેગું કરશો અથવા સતકર્મો કે શુભકર્મો કરશો તો દેવલોકમાં જશો. દેવલોકમાં વિમાનો આવાં હોય, આવું સુખ હોય, આવી આરામદાયક જિંદગી હોય એનું વર્ણન પણ શાસ્ત્રોએ કર્યું છે. તિર્યંચગતિમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય તિર્યંચ સુધીમાં જીવના અનેક પ્રકારો છે. પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિ એકેન્દ્રિય, અળસીયા આદિ બેઈન્દ્રિય, કીડી, માંકણ વગેરે તેઈન્દ્રિય, વિંછી, માખી આદિ ચઉરિન્દ્રિય; માછલા, ગાય, કબૂતર, સાપ, ગરોળી આદિ પંચેન્દ્રિય જીવો ને તે તે ગતિમાં પાપનું ફળ આ રીતે ભોગવવું પડે છે અને સદ્ગતિઓમાં પુણ્યનું ફળ આ રીતે ભોગવાય છે, પરંતુ આ મૂળભૂત હેતુ ન કહેવાય. મૂળભૂત હેતુ તો એ છે કે આત્માનો કર્મમાંથી છૂટકારો કેવી રીતે થાય? તે પરમાત્મા કઈ રીતે બને? તમારે કોની સાથે લેવા દેવા છે? તે કહો. કબીરજી એ કહ્યું કે, “દુલ્હા દુલ્હન કી શાદી હો ગઈ ઔર ફીક્કી પડ ગઈ બરાત”, વહુ વર પરણી ગયા પછી જાનને કોણ જુએ છે? પછી કહે કે તમે પધારો, કામ પૂરું થઈ ગયું. જેને આત્મા અનુભવ્યો, આત્મજ્ઞાન થયું, આત્મબોધ થયો, રાગ દ્વેષથી મુક્ત થઈ ગયો તેનું કામ થઈ ગયું. દહીંમાંથી વલોણું કરી માખણ કાઢ્યું. તો માખણ એ દહીંનો સાર અને અત્તર એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy