SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૮૭ તેમાં કલમ બોળીને ૪૧૫ ગાથાઓ સમયસારની લખી છે. અમૃતચંદ્રાચાર્યજીએ તેના ઉપર ટીકા લખી છે અને કહ્યું છે કે અમે તમારા વૈભવની વાતો કરીએ છીએ. આવાં છે શાસ્ત્રો! હરિભદ્રસૂરિજીએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી. બધાં ગ્રંથો હાજર નથી પણ જેટલાં હાજર છે તેને આખી જિંદગી વાંચશો તો પણ નહિ વંચાય. એક દિવસ હરિભદ્રસૂરિજીનાં મોં પર ગમગીની દેખાણી. સાધુના મોં ઉપર ગમગીની ન હોય, બેચેની હતાશા કે નિરાશા ન હોય. હરિભદ્રસૂરિજી ગમગીન છે એટલે લલ્લિગ નામનો ભક્ત પૂછે છે કે “ગુરુદેવ! આપ આજે કેમ ગમગીન જણાઓ છો ?” મહારાજ કહે છે કે “દિવસે આકાશમાં સૂર્ય હોય છે, તેથી ગ્રંથ રચનાનું કામ દિવસભર ચાલે છે. રાત એમ ને એમ પસાર થાય છે, એના કારણે ગ્રંથ રચનાનું કામ થઈ શકતું નથી. તેણે હરિભદ્રસૂરિ માટે કિંમતી રત્નો ઉપાશ્રયની ભીંત પર ચોંટાડ્યા, તેથી સૂર્ય જેવો પ્રકાશ રાત્રે પણ મળે. દિવસે પણ શાસ્ત્ર રચના અને રાત્રે પણ શાસ્ત્ર રચના. આમ આખા જીવનભર તેમણે શાસ્ત્રોની રચના કરી. બોલો! તેઓએ આપણા ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો છે! પરમકૃપાળુદેવ કહેતાં હતાં કે યોગની આઠ દૃષ્ટિનું વારંવાર વાંચન કરજો. સમયસાર આદિ ગ્રંથોનું વારંવાર વાંચન કરજો. મહર્ષિ વ્યાસે અઢાર પુરાણ-ગ્રંથો લખ્યાં છે. લખતાં જ રહ્યા, લખતાં જ રહ્યા. કથા એવી છે કે કોઈ સ્ટેનો મળે તો ઝડપી લખાય, અને કોઈ એવું લખનાર ન મળ્યું તો ગણપતિ સ્ટેનો બન્યાં. મહર્ષિ વ્યાસે લખ્યું અને ગણપતિજીએ અવતરણ કર્યું. ઘણાં શાસ્ત્રો આ ધરતી ઉપર લખાયાં છે, તેમાં હેમચંદ્રાચાર્યજીએ સાડા ત્રણ કરોડ શ્લોકો લખ્યાં છે. યશોવિજયજી મહારાજે અઢી લાખ શ્લોકો લખ્યાં છે. ભદ્રબાહુ સ્વામી, અમૃતચંદ્ર આચાર્ય, પૂજ્યપાદ સ્વામી, અકલંકમુનિ, વશિષ્ઠજી, શંકરાચાર્ય, વાલ્મીકી, બીજા સંતો, ગણધરો, જ્ઞાનીઓ, આ બધાએ આપણાં ઉપર કૃપા કરી, આપણાં ભલા માટે કેટકેટલાં શાસ્ત્રોની રચના કરી છે! હું શું કહી રહ્યો છું તમને સમજાય છે? આ આપણો વારસો અને વૈભવ છે. તમે ડોકિયું કરો કે તમે ક્યાં ઊભાં છો? હું ક્યાં ઊભો છું? શાસ્ત્ર એ તો દર્પણ છે, એ અરીસો છે. દર્પણ સામે ઊભા રહો એટલે વાળ બરાબર નથી. આ મોઢા ઉપર લાગડ્યું છે તે બરાબર નથી, તેમ ખબર પડે છે. તેવી રીતે શાસ્ત્રો તમને તુરત જ કહેશે કે તમે તમારી જાતને જ્ઞાની માનો છો, દેહાધ્યાસ દૂર થઈ ગયો, તમે પાર પામી ગયા તેમ માનો છો પરંતુ દિલ્હી દૂર છે. જે તમારી ભૂમિકા નથી તે તમે મનાવશો નહિ. અટકી જશો. લોકો તો સરળતાથી કહે છે કે મને બ્રહ્મજ્ઞાન થઈ ગયું. જંગલમાં સાધુઓ મળે છે, તેમને ન થયું અને આને ઘરમાં બેસીને હીંચકા ખાતાં ખાતાં, વાડીલાલનો આઈસ્ક્રીમ ખાતાં ખાતાં થઈ ગયું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy