SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા શાસ્ત્રોને જાણનાર જે હોય, તેણે પોતે પોતાનું જ્ઞાન ડહોળ્યા સિવાય શાસ્ત્રમાં જેમ કહ્યું છે તેમ આચાર પાળવાં, અને શાસ્ત્રો પર દૃષ્ટિ રાખવી એટલે પરમાર્થ માર્ગ ભણી દૃષ્ટિ રાખવી. આમ કરનારને પરમપદની પ્રાપ્તિ થાય છે. આમ કરવું મહત્ત્વનું છે, પણ કમનસીબે આ શાસ્ત્ર મતાર્થીના હાથમાં આવે તો હિતના બદલે તેનાથી તે પોતાનું અહિત કરે છે. હવે મૂળ વાત પર આવીએ છીએ. દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન. (૨૭) શાસ્ત્રોનું વિભાજન ચાર ભાગમાં કર્યું છે. દ્રવ્યાનુયોગ, કથાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ. પહેલી વાત :- શાસ્ત્રમાં તમામ પ્રકારની વાતો હોય. ભૂગોળનું અને લોકનું વર્ણન હોય, સંસારનું વર્ણન હોય, અલગ અલગ જીવોનું વર્ણન હોય, જીવની યોનિનું વર્ણન હોય, દેવગતિ, નરકગતિ, પશુગતિ અને મનુષ્યની ગતિનું વર્ણન હોય, જન્મ લેવાનાં કેટલાં સ્થળ છે, તેનું વર્ણન હોય. વર્ણન તો ઘણાં છે, પરંતુ એમાં અગત્યનું અને મૌલિક શું છે? તે સાધકોને શોધતા આવડવું જોઈએ. નહિ તો શાસ્ત્ર ઉપયોગી ન થાય. ક્યાં ભૂલ થાય છે? આ ચારે ચાર ગતિઓ, દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, નરકગતિ તેમાં જીવોનું કેટલું આયુષ્ય? કેવી સ્થિતિ? આ વૈમાનિક દેવો, જ્યોતિષી અને વ્યંતરદેવો. આ અનુત્તર વિમાન, તેની વિશાળતા આટલી અને આયુષ્ય આટલું, તે વર્ણન હોય છે. દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન’, આ બધી ગતિ તથા તેના ભાંગા તે શ્રુતજ્ઞાન છે, એમ સમજે છે. આ બધું શાસ્ત્ર જ્ઞાન સાચું છે, પરંતુ તેમાંથી બોધ શું લેવો? તે જાણતા નથી. શાસ્ત્રો કહે છે, આ જંબુદ્વીપ છે, તે થાળી જેવો ગોળ છે. તેનો વ્યાસ એક લાખ જોજનનો છે. તેની ફરતે બે લાખ યોજનાનો બંગડી જેવા આકારવાળો લવણસમુદ્ર છે. તેની ફરતે ચાર લાખ યોજનનો ઘાતકી ખંડ છે. આ રીતે એક દ્વીપ, એક સમુદ્ર એમ બમણા વિસ્તારવાળા દ્વીપ સમુદ્રો છે. છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્ય યોજનનો (અર્ધા રાજ પ્રમાણનો) છે. ઘણાં લોકો તો આમાં અટવાય છે. આ બધું વાંચે છે અને પછી કહે છે કે મગજમાં નથી બેસતું. કૃપાળુદેવને કોઈએ પૂછ્યું કે લવણ સમુદ્ર આટલો મોટો છે તે વાત સાચી છે? એમણે એમ કહ્યું કે તારે શું કામ છે? શાસ્ત્રોમાં ભૂગોળનું વર્ણન છે પરંતુ શાસ્ત્રો માત્ર આટલા માટે નથી. શાસ્ત્રો ખોટાં નથી. જમણવાર હોય ત્યાં બે-ત્રણ શાક, કચુંબર, પુરી બધું હોય પણ મૂળ માલ મીઠાઈ એટલે લાડવા કે શીરો ન હોય તો કેવું લાગે? શાસ્ત્રોમાં બધાં જ વર્ણનો છે. પરંતુ મૂળ માલ આત્મા છે. આ આત્મારૂપી મૂળ માલને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy