SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ પ્રવચન ક્રમાંક - ૨૫, ગાથા ક્રમાંક - ૨૭ મહિનાની કડકડતી ઠંડીમાં તમે ગરમ શાલ ઓઢીને પલંગમાં સૂતા હો અને અચાનક ખખડાટ થાય, આંખ ઊઘડે અને લાઈટ કરો ત્યાં મોટો ભોરીંગ લટકતો દેખાય તો શું કરો? ૐ શાંતિ કહો કે આખા ઘરને અને પાડોશીને પણ બૂમાબૂમ કરી, જગાડીને કહો કે સાપ ઘરમાં ઘૂસ્યો છે, તેને બહાર કાઢો. સાપને જોતાં જો આટલો ભય લાગે છે તો એ સાપ કરતાં, અજ્ઞાનરૂપી સાપ ઘણો ભયંકર છે. તેની બીક લાગવી જોઈએ. આ સાપ તો ઘરમાં રહે છે પણ અજ્ઞાનરૂપી સાપ આત્મામાં રહે છે. એ અજ્ઞાનરૂપી વિષઘરનું વિષ ઉતારવા શાસ્ત્ર મંત્ર છે. શાસ્ત્રરૂપી મંત્રથી અજ્ઞાનરૂપી ઝેર ઊતરી જશે. બીજું પરિણામ, સ્વછંદ એટલે પોતાના છંદે ચાલવાની વૃત્તિ. “તમારે શું કામ છે? અમે ગમે તેવું કરીએ, આ વીસમી સદી છે. અમે બોઘા જેવા નથી. બહુ ડાહ્યા છીએ. અમને ઠીક લાગશે તેમ કરીશું.” આ પોતાના જ છંદે ચાલવાની ટેવથી જે અહિત થયું છે તે તમારા સ્વછંદને શાસ્ત્ર રોકે છે. ઉપમા એવી આપી છે કે સ્વછંદ તાવ છે, મેલેરિયા, ટાઈફોઈડ, ડબલ ન્યુમોનિયા અને ડેબ્યુ કરતાં પણ સ્વચ્છંદ રૂપી તાવ ભયંકર છે. સ્વચ્છેદ રૂપી તાવને દૂર કરવા શાસ્ત્રો લાંઘણ સમાન છે. ત્રીજી વાત, ધર્મરૂપી બગીચો બનાવવો હોય તો પહેલાં પાણીની ગોઠવણ કરવી પડે. બગીચો બનાવી હાથ જોડી ઊભા રહો કે પાણી ક્યાંથી લાવવું? તો મુશ્કેલી થાય. પાણી બગીચાને નવપલ્લવિત અને લીલોછમ રાખે છે. જેમ બગીચામાં માળી છોડને પાણી પાય અને છોડ ખીલે, તેમ ઘર્મરૂપી બગીચાને ખીલવવા માટે શાસ્ત્રો પાણીની ગરજ સારે છે. તમારી પાસે ઘર્મરૂપી બગીચો છે કે નહિ? તે મને ખબર નથી. જેમાં અહિંસાનો છોડ, સત્યનો છોડ, સમતાનો છોડ, અને પ્રેમનો છોડ તથા કરુણાની વેલ હોય, એવો બગીચો સિંચવો હોય તો શાસ્ત્રરૂપી પાણી નિરંતર સિંચવું પડશે, એટલા માટે તો પરમકૃપાળુદેવ કહે છે કે આ સશાસ્ત્રો પરમ ઉપકારી છે. તેનો ઉપકાર ભૂલાય તેવો નથી. અપૂર્વ છે. તેનાથી સાધકે પોતાની યાત્રા નિરંતરપણે કરવાની છે. આ ચાર બાબતો મહત્ત્વની છે. (૧) જ્ઞાન સમ્યગુ મળવું જોઈએ. (૨) આચારસદાચાર હોવો જોઈએ. (૩) વાણી કોઈને પીડાકારી ન જોઈએ. (૪) દૃષ્ટિ પરમાર્થ માર્ગ તરફ રહેવી જોઈએ. આ ચાર મુદ્દાઓ ખ્યાલમાં આવ્યાં? જ્ઞાન, આચાર, વાણી અને દૃષ્ટિ, આમાં બદલવાં જેવું શું છે ? આ ચાર ચાર બદલવા જેવાં છે. જ્ઞાન બદલાય તેનું નામ સમ્યગૂજ્ઞાન. આચાર બદલાય તેનું નામ સદાચાર, વાણી બદલાય તેનું નામ સત્ય, પ્રિય અને મધુર વાણી, અને દૃષ્ટિબદલાય તેનું નામ સમ્યગૃષ્ટિ. આ ચારેને બદલનાર પરિબળ સશાસ્ત્ર છે. શાસ્ત્રો કહેશે, કંદમૂળ ન ખાશો, પર્યુષણ પર્વ છે તો વનસ્પતિનો ત્યાગ કરજો, આટલો ટાઈમ ભક્તિ કરજો. આટલો ટાઈમ ધ્યાન અને શાસ્ત્ર વાંચન કરજો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy