SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૮૧ પ્રવચન ક્રમાંક - ૨૫ ગાથા ક્રમાંક - ૨૦ શાસ્ત્ર સંબંધી ભૂલ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માનેનિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન. (૨૭) અત્યંત ગંભીર, મહત્ત્વની, મૂલ્યવાન અપૂર્વ અને સાંભળવા ન મળે તેવી દુર્લભ વાત છે, આવો ભાવ રાખી, વચમાં કંઈ પણ વિકલ્પ કર્યા વગર શાંત બનીને, જાગૃત રહીને આ જે ગાથા છે, તેને સમજવા પૂરો પ્રયત્ન કરીએ. સમગ્ર ચર્ચા એકી સાથે પૂરી થશે. ટુકડે ટુકડે નહિ થાય. સમગ્રતામાં વસ્તુને સમજી લેવામાં જાગૃત રહેજો. સાધક માટે સશાસ્ત્રો પરમ આધાર છે. “આત્માદિ અસ્તિત્વનાં જેહનિરૂપકશાસ્ત્ર', એટલે જે શાસ્ત્રોમાં આત્માદિ તત્ત્વો જે શરીરથી, મનથી કે બુદ્ધિથી પકડાતા નથી, વિચારથી પકડાતાં નથી, જે બધાથી પેલે પાર છે, એવા અતીન્દ્રિય તત્ત્વનું નિરૂપણ જેમાં કરવામાં આવ્યું હોય તેને અધ્યાત્મ શાસ્ત્ર કહેવાય. શાસ્ત્ર ઘણાં પ્રકારનાં છે. વૈદક શાસ્ત્ર, શૃંગાર શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, વિજ્ઞાન શાસ્ત્ર, ગણિત શાસ્ત્ર, પરંતુ આ અધ્યાત્મનું શાસ્ત્ર છે. અધિ+આત્મા એટલે જેમાં આત્મતત્ત્વ મુખ્ય છે, જેમાં ચેતના મુખ્ય છે, અને કેન્દ્રમાં રાખીને આજુબાજુમાં જે શબ્દની ગૂંથણી થઈ છે અને અતીન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરવાનું જે દ્વાર છે, તે અધ્યાત્મ શાસ્ત્ર છે. પ્રત્યક્ષ સદ્ગુરુ એ જીવંત શાસ્ત્ર છે, તેઓ હાજર હોય તો કોઈ પણ શાસ્ત્રની જરૂર નથી. જો પ્રત્યક્ષ સદ્ગુરુ હાજર ન હોય તો આ શાસ્ત્રોનો નંબર બીજો છે. પ્રત્યક્ષ સદ્ગુરુની ગેરહાજરીમાં આ શાસ્ત્રો સાધક માટે આધારરૂપ બને છે. આ એક વાત થઈ. બીજી વાત, ગમે તે શાસ્ત્રો તમે ન લો. જો તમારી વ્યવહારનયની ભૂમિકા હોય અને તમે નિશ્ચયનયનાં શાસ્ત્રો વાંચો તો વિપરીત પરિણામ આવશે. દ્રવ્યાનુયોગની યોગ્યતા હોય અને ગણિતાનુયોગનું વાંચન કરો તો વિપરીત પરિણામ આવશે. જે ભૂમિકા ઉપર વ્યક્તિ છે ત્યાં તેણે યોગ્ય શાસ્ત્રની જરૂર છે. જે શાસ્ત્ર અને જે ઉપાય સાધકને બતાવવામાં આવે તે પ્રમાણે તેણે કરવું. મેડીકલ સ્ટોરમાં કોઈ દર્દી જઈને કહે કે “આ ગોળીનું પેકીંગ બહુ સારું છે, અને તે આપો.” મેડીકલ સ્ટોરવાળો નહિ આપે. એ પહેલાં પૂછશે કે પ્રીસ્ક્રીપ્શન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy