SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ પ્રવચન ક્રમાંક - ૨૪, ગાથા ક્રમાંક - ૨૬, ૨૭ શાસ્ત્રના ખાતામાં ઉપદેશ છે. તું શેનો ડાહ્યો થાય છે ? આ સંકેત શાસ્ત્રોએ આપ્યો છે. આ શાસ્ત્રો પરમ ઉપકારી છે. પ્રત્યક્ષ સદ્ગુરુ ન મળે ત્યાં સુધી આ શાસ્ત્રો પરમ આધાર છે. એટલા માટે શાસ્ત્રની ભક્તિ કરવાનું કહ્યું છે. પ્રત્યક્ષ સદ્ગુરુ મળે તેની તો વાત જ ન થાય, પણ નથી મળ્યાં ત્યાં સુધીમાં શાસ્ત્રોનો મોટો આધાર છે. આપણે ત્યાં નિયમ છે કે પુસ્તકને નીચે ન મૂકાય, પગ ન લગાડાય, દોષ લાગે. પુસ્તકને તો માથે મૂકી નચાય. ભગવાન મહાવીર ન હોત, ગણધર ગૌતમ ન હોત અને ૪૫ આગમો ન હોત, જો કુંદકુંદાચાર્યજી ન હોત અને સમયસાર ન હોત, પરમકૃપાળુદેવ ન હોત, અને આત્મસિદ્ધિ ન હોત તો તમે શું કરત ? તમે જાણકારી અને જ્ઞાન ક્યાંથી મેળવત ? આ બધું તેમની પાસેથી મળ્યું. આ સમજ અને જાણકારીનો આધાર શાસ્ત્ર છે. અદૃષ્ટ એટલે ઈન્દ્રિયો અને મનની પેલી પાર રહેલું જે પરમ તત્ત્વ છે, તેને શોધવા જવું હોય તો શાસ્ત્ર રૂપી દિવા સિવાય જડે તેમ નથી. છેલ્લી વાત, ગમે તેટલું શુભ આચરણ કરે, તપ કરે, જપ કરે, ભક્તિ કરે પણ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે જો ન કરે તો એ માથું કાપી પાઘડી બાંધવા જેવું કહેવાય. પોતે બધું કરે પણ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ન કરે તો ફાયદો નથી. શાસ્ત્ર તો પરમ ઉપકારી છે પણ શાસ્ત્રને સમજવામાં ઘણી ભૂલો કરે છે. શું ભૂલ કરે છે ? ન દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન. શાસ્ત્ર ખજાનો છે, શાસ્ત્ર આધાર છે પણ શાસ્ત્રને સમજવામાં જીવ કેવી ભૂલ કરે છે તે હવે સમજીશું. પહેલાં ભૂલ સુધારો પછી સરવાળો કરો, નહિ તો મેળ નહિ મળે. ક્યાંક ભૂલ આવશે. રોજમેળ જોયા જ કરો અને માથું ખંજવાળ્યા કરો. તમારો મેળ નહિ પડે. પહેલાં ભૂલ સુધારવી પડશે. શાસ્ત્રોમાંથી શું સમજવાનું ? શાસ્ત્રો શેના માટે છે ? ‘આ શાસ્ત્ર સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવાં નિર્મળો.' એક વાતમાં બધી વાત આવી ગઈ. દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન. આ અદ્ભુત ગાથા બીજા પ્રવચનમાં ફરી વિચારીશું. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy