SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૭૯ ભુવનનો ધણી છે, વીતરાગ પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્મા, મોહમુક્ત પરમાત્મા છે. એમને આગળ કરજો, એમનો પુરસ્કાર કરજો. પોતાની જાતને આગળ ન કરશો, પોતાની જાતને ગૌણ કરજો, ભૂંસી નાખજો, અને કહેજો કે આ વીતરાગ પરમાત્માએ કહ્યું છે. શાસ્ત્રને જે આગળ કરે છે તેને વીતરાગ પુરુષ સાથે સંબંધ થાય છે, તેમનું જોડાણ થાય છે અને વીતરાગ પુરુષને જે આગળ કરે છે તેને ભક્તિની પ્રાપ્તિ થાય છે. આ ભક્તિને આવવાનો રસ્તો તે શાસ્ત્ર છે. વીતરાગ પુરુષ પ્રત્યે પ્રેમ પ્રગટ થાય અને તે પ્રેમ ભક્તિમાં પરિણમે, તેના માટે શાસ્ત્રો અત્યંત ઉપકારી છે. બીજી મહત્ત્વની વાત શાસ્ત્રોને કહેવી છે કે તમને જે પ્રત્યક્ષ દેખાય છે કે આ ખુરશી છે, ટી.વી. છે, માણસો છે વિગેરે. ઘરમાં જાવતો બધી વસ્તુઓ આંખોથી દેખાય, ઈન્દ્રિયોથી ખબર પડે તે પ્રત્યક્ષ છે. પણ ઈન્દ્રિયોની પેલી પાર જે છે, તે અનુભવ ગોચર છે. અનુભવ ગોચર વસ્તુ , જાણવો એહીરે ઈલાજ, કહન સુનનકો કછુ નહિ પ્યારે, આનંદધન મહારાજ, નિશાની કહા બતાઉં! જે નજરે દેખાય તે તમે આંખો વડે જોઈ શકશો, આંખથી ન દેખાય તેવું ઝીણું લેબોરેટરીમાં જોઈ શકશો. વિજ્ઞાન તમને સામગ્રી આપશે, પરંતુ જે ઈન્દ્રિયોથી પર છે, એવું અતીન્દ્રિય આત્મતત્ત્વ તમે શેનાથી જોશો? તમને શેનાથી સંકેત અને માહિતી મળશે? એ અદષ્ટમાં પ્રવેશ કરવાનું દ્વાર સશાસ્ત્ર છે. માટે કહ્યું કે જે જોયું નથી તેને જોવા જાય, અને તેની પાસે શાસ્ત્રરૂપી દિવો ન હોય તો હાથમાં કંઈ જ ન આવે, અને પરમાર્થ તત્ત્વનો નિશ્ચય થઈ શકે નહિ. ફરી આ વાતને સમજી લઈએ, અદૃષ્ટ એટલે ઈન્દ્રિયોની પેલી પાર રહેલ આત્મા. આપણે આત્મા જોયો છે? કેટલાં વર્ષોથી આત્માની વાત થાય છે. તમે પહેલાં નાનપણમાં ઉપાશ્રયમાં ગયા હશો, અને સાધુ મહારાજે કહ્યું પણ હશે કે ભાઈ ! આત્માનું કલ્યાણ કરો. આત્મા શું? કોનો આત્મા ? કેવો આત્મા? આત્માનું ચિત્ર સ્પષ્ટ થયું નથી, એને જોયો નથી, જાણ્યો નથી. હજુ ગડબડ છે. પરંતુ આત્મા નામનો શબ્દ તમારા કાન ઉપર આવ્યો, તેને લાવવાનો યશ શાસ્ત્રોને મળે છે. “આત્મા છે. કર્મ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. નિશ્ચય-વ્યવહાર, નિમિત્ત-ઉપાદાન છે. લેગ્યા છે. આઠ કર્મો છે, તેની ૧૪૮ પ્રકૃતિઓ છે.” આ બધું તમને કોણે કહ્યું? શાસ્ત્રો વાંચીને તમે કહેવા લાગ્યાં. આ કાંઈ તમારી મૂડી નથી. આ મૂડી તો શાસ્ત્રોની છે. બેંકમાં કોઈનાં ખાતામાં લાખો રૂપિયા હોય તો તેમાં તમારે શું લેવા દેવા? ખાતું કોઈનું અને પૈસા તમારા કેવી રીતે કહેવાય? આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy