SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ પ્રવચન ક્રમાંક - ૨૪, ગાથા ક્રમાંક - ૨૬, ૨૭ વાર ન લાગે. આ જીવ તો એમ કહે છે કે “આકાશમાં વાદળાં ચડે, વરસાદ થાય પછી હું ખેડવા જાઉં, પછી વાડ કરું, પછી બિયારણ લાવું અને વાવણી કરું.' અરે ! પછી તને ટાઈમ ક્યાંથી મળશે. ગંગાસતીએ કહ્યું છે કે “વીજળીનાં ચમકારે મોતી પરોવો, પાનબાઈ !” વીજળીનાં ચમકારે મોતી પરોવવું એમાં કાંઈ સમજાય છે ? વીજળીના ચમકારે મોતી પરોવવું છે, કેટલી તૈયારી જોઈએ? કેટલી એકાગ્રતા જોઈએ? એવો વિચાર કરે કે આકાશમાં ગડગડાટ થાય, વાદળાં આવે, વીજળીનો ચમકાર થાય પછી દોરો શોધવા જાઉં, પછી સોય શોધવા જાઉં. અરે ભલા માણસ ! વીજળી એટલો સમય નહિ રહે. વીજળીના ચમકારે મોતી પરોવો, આમાં જેમ જાગૃતિ રહે છે, તેમ શ્વાસે શ્વાસે પરમાર્થની પ્રાપ્તિ કરવી છે, એવી જાગૃતિ જીવમાં જોઈએ. તૈયારી કરી રાખો, સદ્ગુરુ આવશે. ‘વો જરુર જાયે” તૈયારી કરેલી હશે, તો કામ થશે. જેમ ઘેર તમે આવવાના હો અને રસોઈ તૈયાર હોય અને તુરત જ પીરસી દે તો કેવું લાગે ? અને ભૂખ્યા હો પછી પૂછો કે કેટલી વાર છે? તો કહેશે કે હજુ ચૂલો જ પેટાવ્યો નથી, તો કેવા ભડકી જાવ? - જીવને એમ થવું જોઈએ કે સતપુરુષ આવ્યાં પહેલાં મારા જીવનરૂપી ખેતરને તૈયાર કરી દઉં. સપુરુષ આવીને ગયા, કેમ ગયા? તો કહે કે ખેતર તૈયાર ન હતું. એટલા માટે અમે કહીએ છીએ કે શાસ્ત્ર તમને તૈયાર કરે છે. શાસ્ત્ર એમ કહે છે કે ધર્મ કરજો. સતકર્મ કરજો, પાપ ન કરશો, હિંસા અને ચોરી ન કરશો, અસત્ય ન બોલશો. આ બધી શાસ્ત્રની આજ્ઞા છે. “ન વર્તવ્યમત: પાપ, વર્તવ્યો ઘર્મસંg: I’ તું પાપ કરીશ નહિ, દુષ્કર્મો કરીશ નહિ. શા માટે? જીવને તૈયાર કરવા માટે. બીજી વાત સમજી લેજો. શાસ્ત્રની વાત આવે ત્યારે તમને યાદ આવે કે ન આવે પણ જ્ઞાનીઓની યાદ આવે છે કે આ શાસ્ત્રો કોણે કહ્યાં? એ કહેનાર વીતરાગ પુરુષ. તો વાયા મીડિયા, એટલે શાસ્ત્રો દ્વારા તમે કોની પાસે પહોંચો છો? આ લાઈવ ચેનલ ! આ મીડિયા ખ્યાલમાં આવ્યો? તમે જ્યારે શાસ્ત્રો વાંચો છો ત્યારે પ્રશ્ન થાય છે કે આ કોણે કહેલાં શાસ્ત્રો છે? આનો કહેનાર કોણ છે? શ્રીમદ્જીએ કહ્યું છે કે, તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું. આ સંકેત કર્યો છે કે શાસ્ત્ર દ્વારા તમે કોની પાસે પહોંચો છો? તમે વીતરાગ પુરુષ પાસે પહોંચો છો, માટે ઉપદેશક ક્યારેય એમ ન કહે કે અમે કહીએ છીએ. ઉપદેશક હંમેશા વીતરાગ પુરુષને આગળ કરે, પોતાની જાતને આગળ ન કરે. કહેનાર તો ચૌદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy