SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૭૭ શાસ્ત્રો આધાર છે. વિષમકાળમાં શાસ્ત્રોની અનિવાર્યતા છે, પણ મતાર્થીઓની શાસ્ત્રોને જોવાની દૃષ્ટિ જુદી છે, તે વાત જ્ઞાની પુરુષોને સ્પષ્ટ કરવી છે. એમ કહ્યું કે ચર્મચક્ષુઓ બધાને છે. દેવોને અવધિજ્ઞાન છે તે ચક્ષુ છે. અને સિદ્ધોને કેવળજ્ઞાન ચક્ષુ છે. તેના દ્વારા તેઓ જુએ છે. આપણી પાસે ચામડાની આંખો છે. પરંતુ સિદ્ધાંતોને જોવાં હોય, અતીન્દ્રિય તત્ત્વને જોવું હોય, આત્મા વિષે માહિતી કે અણસાર મેળવવો હોય તો ક્યાંથી મળશે? તો શાસ્ત્રરૂપી ચક્ષુ દ્વારા મળશે. શાસ્ત્રો સાધક માટે ચક્ષુ છે. શાસ્ત્રથી તે પોતાનો વ્યવહાર નિયંત્રિત કરે છે. એટલા માટે કહ્યું કે “આત્માદિ અસ્તિત્વનાં જેહનિરૂપક શાસ્ત્ર.” આ ગાથા વિચારી ગયાં છીએ. આત્માનાં અસ્તિત્વની વાત જેમાં કહી હોય તે શાસ્ત્રો નિરંતર, મતાંતરનો ત્યાગ કરી વિચારવાં. અથવા સદ્ગુરુએ જે કહ્યાં તે શાસ્ત્રોનું અવગાહન કરવું. શાસ્ત્ર સાધક માટે આંખ છે. સદ્ગુરુ અથવા શાસ્ત્રો પાસેથી માહિતી મળશે. શાસ્ત્ર માટે બીજી વાત કરી છે, शासनात् त्राणशक्तेश्च, बुधैः शास्त्रं निरुच्यते । વનં વનર/ચ, તત્ત્વ નાચેચ રુવિત્ II (જ્ઞાનસાર અષ્ટક ૨૪/૩) આ યશોવિજયજી મહારાજની અભુત ગાથા છે. પંડિતો શાસ્ત્ર શબ્દની વ્યુત્પત્તિ કરતાં કહે છે કે શાસ્ એટલે જે હિત શિખવે ને ત્ર એટલે નિર્દોષ રક્ષણ કરવાની શક્તિ ધરાવે તેનું નામ શાસ્ત્ર. તું ક્રોધ કરીશ નહિ, તું અહંકાર કરીશ નહિ, દુરાચાર સેવીશ નહિ, તું પાપ કરીશ નહિ વિગેરે, હિત શિક્ષા આપીને સંસારથી આત્માનું રક્ષણ કરે છે તેથી તેને કહેવાય છે. શાસ્ત્ર. શાસ્ત્ર એટલે પુસ્તક કે ગ્રંથ નહિ, શાસ્ત્ર એટલે લખેલાં પાનાં નહિ. આ કાર્યકારી પરિબળ છે, અને હિતશિક્ષા આપીને સંસારથી આત્માનું રક્ષણ કરે છે, તેથી દશવૈકાલિકમાં કહ્યું છે કે જ્ઞાની પુરુષ પાસે જઈને શાસ્ત્રોનું શ્રવણ કરે છે કે કલ્યાણ-સંયમ શેમાં છે ? દુષ્કર્મી-પાપ-અસંયમ શામાં છે? એ જાણે છે અને કલ્યાણને આચરે છે ને પાપથી બચે છે, તે કાર્ય શાસ્ત્ર કરે છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે પ્રત્યક્ષ સગુનો યોગ પ્રાપ્ત થાય તો અભુત વાત છે, અપૂર્વ વાત છે, પરંતુ શાસ્ત્રોમાં જે આજ્ઞા કરી છે તેનું પણ પાલન જીવે પહેલાં કરવું જોઈએ, કેમ કે એ રીતે જીવની પૂર્વ તૈયારી થાય છે. અહિંસાથી, સત્યથી, સદાચારથી, નીતિથી, પરોપકારથી, સ્વાધ્યાયથી, શાસ્ત્ર વાંચનથી, તત્ત્વ ચિંતનથી, મંત્રજાપ કરવાથી, નવકાર ગણવાથી, આવી અનેક શાસ્ત્રની આજ્ઞા પાળવાથી જીવ તૈયાર થાય છે. જીવની બરાબર તૈયારી થઈ હોય, અને સદ્ગુરુ આવી જાય તો કામ થઈ જાય. ખેતર ખેડી રાખ્યું હોય, વાડ તૈયાર કરી હોય અને પછી અચાનક વરસાદ આવે તો ખેતરમાં ઊગતાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy