SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ પ્રવચન ક્રમાંક - ૨૪, ગાથા ક્રમાંક - ૨૬, ૨૭ તમારું પ્રતીક (તમારી મૂર્તિ) અને તમારા કહેલાં શાસ્ત્રો, સિદ્ધાંતો એ આધાર છે. - સશાસ્ત્ર એ આધાર છે. સતુ શાસ્ત્રોમાં જાતજાતનાં વર્ણનો આવે. ભૂગોળનું વર્ણન, સમુદ્રનું વર્ણન, પર્વતોનું, નારકીઓનું, દેવોનું વર્ણન આવે, જુદા જુદા ભાંગાઓનું વર્ણન આવે. પરંતુ સાધકે તેમાંથી શું લેવા જેવું છે? આવો વિવેક સાધક પાસે જોઈએ. એક ઠેકાણે પરમકૃપાળુદેવે કહ્યું છે, વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસમૂળ, ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. પરમકૃપાળુદેવની કહેવાની એક ખૂબી છે. વચન એ જ અમૃત, તીર્થકરની વાણી એ જ અમૃત. વચનામૃત-તો કોનું વચન? વીતરાગનું વચન. એ કેવું છે? તો અમૃત જેવું. વચનામૃત વીતરાગનાં-એ કેવા છે? એ પરમશાંતરસનું મૂળ છે. જગતમાં ઘણાં રસ છે. સૌથી ઉત્તમ રસ પરમ શાંત રસ છે. પરમાત્માનાં વચન, વીતરાગનાં વચન પરમ શાંત રસનાં મૂળ છે અને તે ઔષધ પણ છે, તે રોગ મટાડે છે. કયો રોગ? ભવનો રોગ. વારે વારે જનમવું અને વારે વારે મરવું તેને કહેવાય છે ભવરોગ. ભવ એટલે થવું. વારે વારે થવું. શંકરાચાર્યજીએ કહ્યું છે. 'पुनरपि जननं, पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनम्, पुनरपि, पुनरपि।' ફરી જનમવું, ફરી મરવું અને ફરી ફરી માતાના ગર્ભમાં જવું. ભવ એટલે થવું, જનમવું, કર્મ જ્યાં લઈ જાય ત્યાં જન્મ લેવો. વારંવાર જનમવું અને મરવું, આ ભવરોગ મોટામાં મોટો રોગ છે અને તે અનંતકાળથી છે. આ રોગ દૂર કરવાનું ઔષધ તે વીતરાગ પરમાત્માના વચનો છે. વચનામૃત વીતરાગનાંપરમ શાંતરસમૂળ.” શાંતિ, પરમ શાંતિ જોઈએ છેને? વીતરાગ પરમાત્માનું એકાદ વચન તમે લઈને બેસજો. પરમ શાંતિ મળશે. કોઈએ ગુસ્સો કર્યો, કોઈએ ગાળ આપી, કોઈએ અપમાન કર્યું, તો પરમાત્મા એક વચનમાં કહે છે કે તેણે ભલે ગાળ આપી કે ગુસ્સો કર્યો, માન ન આપ્યું, પણ હે જીવ! તું મુંઝાઈશ નહિ, અકળાઈશ નહિ, તેમાં કશું તાજું બગડતું નથી. આ વચનથી તને શાંતિ મળશે. ડૉક્ટર ઈજેકશન આપશે તેમાં શાંતિ નહિ મળે. મેડિકલ સ્ટોરમાં એવી કોઈ ગોળીઓ નથી કે તમે એક ગોળી ગળી જાવ અને તમને શાંતિ મળે. જો આ ભવરોગનું ઔષધ લેશો તો મોટું કામ થઈ જશે. સંસાર તે રોગ, જનમવું અને મરવું તે રોગ, પણ વીતરાગના વચન તે રોગનું ઔષધ છે. પણ સાહેબ! એક વાત કરવા દો, એ ઔષધ ખરું, અમૃત ખરું, પરંતુ કાયર માટે નહિ. કાયરને એ પ્રતિકૂળ છે, કેમકે તે વચનો સ્વીકારવા તૈયાર નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy