SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૭૫ ટીકા દેવ-નરકાદિ ગતિના ‘ભાંગા' આદિનાં સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થ હેતુથી કહ્યાં છે, તે હેતુને જાણ્યો નથી, અને તે ભંગજાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પોતાના મતનો, વેષનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને છે. (૨૭) - વારંવાર હું ધ્યાન દોરું છું, તમે ગેરસમજ ન કરશો. તીર્થંકરદેવોના અતિશયો સાચો છે. સમવસરણનું જે વર્ણન કર્યું છે તે સાચું છે, પરંતુ તીર્થંકરદેવો તો વીતરાગદશામાં છે. એમની વીતરાગ દશા તરફ ધ્યાન દોરવું છે. તીર્થંકર દેવની સ્તુતિ, વર્ણન બે પ્રકારથી કરવામાં આવે છે. એક નિશ્ચય સ્તુતિ, અને એક વ્યવહાર સ્તુતિ. તમારું શરીર આવું છે, તમારી ઊંચાઈ આવી છે, પુણ્ય આવું છે, તમારો જન્મ થાય એટલે ૬૪ ઈન્દ્રો આવીને મેરૂ પર્વત ઉપર લઈ જઈ અભિષેક કરે છે, કરોડો દેવતાઓ નૃત્ય કરે છે. એ વર્ણન સાચું છે પણ તે વ્યવહાર વર્ણન છે. નિશ્ચયનય કહે છે કે અમારા તીર્થંકર પરમાત્મા તો જિતમોહ અને જિતરાગ છે, જિતષ છે, જિતકષાય અને જિતેન્દ્રિય છે. અમારું ધ્યાન તે તરફ જાય છે. એમનામાંથી પ્રાપ્ત કરવા જેવું જો કંઈ હોય તો વીતરાગતા છે, એમનું સમવસરણ નહિ, રિદ્ધિ કે સિદ્ધિ નહિ, સોનાના કમળ ઉપર ચાલે છે તે નહિ. દુંદુભિ નાદ થાય છે, અશોકવૃક્ષની રચના થાય છે, પુષ્પવૃષ્ટિ થાય છે, એ ભલે થાય. પરંતુ આપ વીતરાગ છો, તે અમને ગમે છે. તે પ્રભુ ! આપ વીતરાગ છો. એક અંશ પણ આપને રાગ નથી. ચોસઠ ઈન્દ્રો માથું ઝૂકાવે છે, છતાં કોઈને કહેવા ગયાં નથી કે ચોસઠ ઈદ્રો આવ્યાં હતાં. આપણે તો છાપામાં છપાવીએ કે રાષ્ટ્રપતિ આવેલાં, અને અમે હાથમાં હાથ મિલાવ્યો. હે પ્રભુ ! તમારી વીતરાગતા અદ્ભુત છે, તમે મોહ, રાગ અને દ્વેષને જીત્યાં તે અદ્ભુત છે. બાહ્ય વૈભવ તો માયાવી જાદુગરને પણ હોય, પરંતુ વીતરાગતા તમારા પુરુષાર્થ વગર ન હોય. હે પરમાત્મા ! અમે તમારા ચરણોમાં, તમારી વીતરાગ દશા હોવાને કારણે વંદન કરીએ છીએ. આ નિશ્ચય સ્તુતિ થઈ. સમયસારજીમાં તથા અધ્યાત્મસારમાં કહ્યું છે કે નગરાદિનું વર્ણન કરવાથી રાજાનું વર્ણન થતું નથી. નગરનું વર્ણન તે નગરનું વર્ણન છે, અને શૌર્ય, ગાંભીર્ય, ધર્યાદિ ગુણોનું વર્ણન તે રાજાનું વર્ણન છે. બહારના દેખાવથી અંદરના સ્વભાવનું વર્ણન ન થાય. આ વાત જેમ તીર્થંકર પરમાત્મા વિષે છે, તેમ સશાસ્ત્રો વિષે પણ છે. સશાસ્ત્રો અનિવાર્ય છે, સાધક માટે આધાર છે. વીર વિજયજી મહારાજે કહ્યું કે, વિષમકાળ જિનબિંબ જિનાગમ, ભવિણકુ આધારા, જિગંદા તેરી અખિયનમેં અવિકારા. હે પ્રભુ! આ વિષમકાળમાં બે જ આધાર છે એક જિનબિંબ અને બીજું જિન આગમ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy