SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ પ્રવચન ક્રમાંક - ૨૪, ગાથા ક્રમાંક - ૨૬, ૨૭ અણમોલ તક પોતે ખોઈ બેસે છે. સાચાં સદગુરુ મળ્યાં હોય પણ તેની પ્રત્યે લક્ષ ન આપ્યું. સદ્ગુરુને શોધવા એ સો માઈલ છેટો જાય, પણ પાડોશમાં જ હોય છતાં નજર ન નાખે. કારણ કે ત્યાં તેને માન નથી મળતું. જીવમાં એક માનની ભૂખ છે અને બીજી પ્રેમની ભૂખ છે. સદ્દગુરુ પ્રેમનાં સાગરમાં ડૂબાડી દેશે, અને અસદ્ગુરુ માનનાં હળાહળ ઝેરમાં ડૂબાડી દેશે. શેમાં ડૂબવું છે, તે તમે નક્કી કરજો. “પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ. અહીં એક શબ્દ ખૂટતો હતો, અસદ્ગુરુને માને એમ નહિ, તેને સ્વીકારે તેમ નહિ, પણ અસદ્ગુરુને દઢ કરે. આ જીવની અવળાઈ તો જુઓ. પાછો કહેશે કે મોક્ષ મળવો દુર્લભ છે, સદ્ગુરુ અને જ્ઞાની મળવાં દુર્લભ છે. અરે ! સવળો તું થા. બધું તૈયાર છે. સદૂગુરુને દઢ કરવા જોઈએ, તેમનો સ્વીકાર કરવો જોઈએ. સદ્ગુરુનાં ચરણોમાં નમી જવું જોઈએ. પરંતુ આ તો સમર્પણ કરવાને બદલે અસદ્દગુરુને દઢ કરે છે. શેના માટે? “નિજ માનાર્થે', આત્માર્થે નહિ. તેને કોઈ અસદ્ગુરુ કહેશે કે, ભાઈ ! તારા જેવો ધાર્મિક માણસ બીજો કોઈ નથી.” બસ, તેને એમ લાગે છે કે આ જ ખરા ગુરુ છે. તમે એમ ન કહેશો કે અવસર મળ્યો નથી અથવા તક મળી જ નથી. અનંતકાળનાં સંસારમાં અનેકવાર સદ્ગુરુ મળ્યાં છે, પણ ધક્કો મારી તમે નીકળી ગયા છો. ત્યાં “નિજ માનાર્થે મુખ્ય” એટલે જીવે પોતાનું માન પોષવા પ્રયત્ન કર્યો છે. પરમકૃપાળુદેવને આગળ વાત કરતાં પહેલાં એક સૂચના-ચેતવણી આપવા જેવું લાગ્યું. આ તક વારંવાર ખોઈ નાખો છો, તેના માટે જાગૃતિ આપવા જેવું લાગ્યું તેથી આ ગાથા કહી. ગાથાનું સ્વરૂપ શું બન્યું? પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં', યોગ થયો, પ્રાપ્તિ થઈ, સંયોગ થયો, સંબંધ થયો પણ દૃષ્ટિ વિમુખ થઈ. દૃષ્ટિ બહુ મઝાનો શબ્દ છે. તેના બે અર્થ છે. એક તો તેમની સામે નજર જવી અને બીજો અર્થ છે, તેમનાં હૃદયમાં આપણો પ્રવેશ થવો. મહાભારતમાં મહર્ષિ વ્યાસે કહ્યું કે ધર્મનું તત્ત્વ શાસ્ત્રમાં નથી, સ્મૃતિઓમાં નથી, વાદ વિવાદમાં નથી, શબ્દોમાં નથી. ધર્મચતત્ત્વવિદિત પુછાયા', ધર્મનું તત્ત્વ જ્ઞાની પુરુષના હૃદયમાં છે, અને ત્યાં પહોંચવાનો રસ્તો માન, સત્તા, પૈસો કે બુદ્ધિ નથી પણ ત્યાં પહોંચવાનો રસ્તો પ્રેમ છે. પ્રેમની વાટે સદ્ગુરુનાં હૃદયમાં પહોંચી જવાશે. સદ્ગુરુ પ્રેમને મૂલ્ય આપે છે. બીજાને મૂલ્ય આપતાં નથી. આવું પ્રેમનું મૂલ્ય જેને આપતાં આવડતું નથી તે વિમુખ દષ્ટિ કરીને અસગુરુને દઢ કરે છે. આમ થતું હોવાથી આ જીવે વારંવાર અવસર ખોયો છે. દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન. (૨૭) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy