SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૭૩ કે તું મને માન, હું તને માનું કે ન માનું. આ જીવ માનનો, પ્રશંસાનો ભૂખ્યો છે. તે એમ કહેશે કે “અમે આ ગુરુમહારાજ પાસે ગયા તો “આવ’ એમ પણ ન કહ્યું, અને બીજા ગુરુમહારાજ પાસે ગયા તો બારણા સુધી મૂકવા આવ્યા, તે કેટલા વ્યવહાર કુશળ છે. અમને પહેલાંએ ન બોલાવ્યાં.” એટલે વાંધો. જીવ તારે શું જોઈએ છે? પ્રેમ, સાક્ષાત્કાર અને અનુભવ જોઈએ છે કે નહિ? જો માન સિવાય કંઈ જોઈતું નથી, માન મળે તો મેળ પડે, અને માન ન મળે ત્યાં મેળ ન પડે એવું હોય તો પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ થવા છતાં તે પોતાનું માન મુખ્ય ગણે છે. આ માનને પોષણ કરવાની વૃત્તિ હલાહલ ઝેર છે. સદ્દગુરુ પાસે માન નહિ મળે પણ પ્રેમ અને કરુણા મળશે. સદ્ગુરુ પાસે બોધ મળશે. અહીં માન નહિ મળે પણ અતીન્દ્રિય સૃષ્ટિનો રણકાર મળશે. અસગુરુ માન આપશે, સગુરુ જ્ઞાન આપશે. અસગુરુ અહમ્ પોષશે, સદ્ગુરુ પ્રેમ આપશે. અસગુરુ પ્રશંસા કરશે, સગુરુ કરુણા કરશે. પસંદ કરી લો. કરુણા અને પ્રેમ જોઈએ છે? જ્ઞાન અને સમજણ જોઈએ છે? શાસ્ત્રનો બોધ જોઈએ છે? અતીન્દ્રિય સૃષ્ટિનો રણકાર જોઈએ છે? સંકેત જોઈએ છે? પરમાર્થનો ઝણકાર જોઈતો હોય તો સદ્ગુરુ પાસે જાવ, ભલે માન ન પોષાય. શું કરવું છે? તે નક્કી કરો. નરસિંહ મહેતાએ તો બહુ સરળ વાત કરી કે, સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. તેમણે આટલી જ વાત કરી. “સકળ લોકમાં સહુને વંદે.' આ હાથ ન જોડે પણ માથું ઊંચું રાખે. માન પોષાવાની વૃત્તિને કારણે આ જીવે પ્રત્યક્ષ સગુનો યોગ ખોયો, મોક્ષ પણ ખોયો અને આત્મા પણ ખોયો, આત્મ અનુભૂતિ અને આત્મદર્શન પણ ખોયું, આત્મ સાક્ષાત્કાર પણ ખોયો. પ્રત્યક્ષ સગુરુનો યોગ ક્યારેક મળે તો દુરાગ્રહ આદિ છેદન કરનારી એમની જે વાણી છે તે અસરકારક છે. તમે છોડવા તૈયાર હો તો, તમારો આગ્રહ છોડાવશે. તમારી માન્યતાઓ, દુરાગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ અને સાંપ્રદાયિક આગ્રહ છોડાવીને કુવામાંથી બહાર લાવશે. સદ્દગુરુ જીવને બહાર લાવવા કુવામાં પ્રેમરૂપી દોરડું નાખે છે, પરંતુ આ કહે છે, ના અમે માનને જ પકડીશું, તમારા પ્રેમને નહિ પકડીએ. સદ્ગુરુની દુરાગ્રહ મતાગ્રહછેદકવાણી સાંભળી અનુકૂળ થઈ ચાલવાને બદલે અવળી રીતે ચાલે છે, અર્થાત્ હિતકારી વાણીને તે ગ્રહણ કરતો નથી. પોતે ખરેખરો દઢ મુમુક્ષુ છે, એવું માન તેને પોષવું છે. આવું માન સદ્ગુરુ પાસે પોષાતું નથી. એ તો કહેશે મારે આત્માની કે પરમાર્થની વાત કરવી નથી, પણ માન પોષો તેની વાત કરવી છે. એ તો અસરુની સમીપ જઈ, પોતાના માનને પોષી, દુરાગ્રહ દઢ કરી, હાથમાં આવેલી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy