SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ પ્રવચન ક્રમાંક - ૨૪, ગાથા ક્રમાંક - ૨૬, ૨૭ બોર્ડ મારેલું કે પરવાનગી સિવાય અંદર આવવું નહિ. હું પાછો વળી ગયો.” સદ્દગુરુનો યોગ તો થયો, તેઓ પાસે આવ્યા, બરડે હાથ ફેરવ્યો ને કહ્યું કે “ચાલ ! આ પરમાર્થ માર્ગની વાત તે લક્ષમાં લે.” “સાહેબ! એ મારાથી નહિ થાય. કેમકે મારો આ જ મત છે. તમે કયા વેશમાં છો? ક્યા સંપ્રદાયમાં છો? કઈ માન્યતામાં છો? તમારા વાળ કેવાં છે? તમે કેવા કપડાં પહેરો છો ? ધોળા, કાળા કે પીળા ? તમારા કપાળમાં ચાંદલો કેવો છે? મારે પીળા કપડાંવાળા જોઈએ, ધોળા કપડાં ન ચાલે.' તક તો અનેક વખત મળી. એ વાત ભૂલી જાવ કે સદ્ગુરુ મળતાં નથી. સદ્દગુરુનો યોગ પ્રત્યક્ષ થાય છે, પરંતુ તેમની હાજરીમાં એ વિમુખ દૃષ્ટિ રાખી વર્તે છે. વાંક સગુનો નથી. વાંક આ જીવનો છે. તેમની સન્મુખ દૃષ્ટિ પણ ન કરે, સામે નજર પણ ન નાખે. ભગવાન મહાવીર લુહારનાં કારખાનામાં ધ્યાનમાં ઊભાં છે. એ લુહાર છ મહિનાથી માંદો હતો. તેને સારું થયું પછી એક દિવસ ધંધાની શરૂઆત કરવા કારખાનામાં આવ્યો છે, ત્યાં ભગવાન ધ્યાનમાં ઊભા હતાં, અને તેણે જેવા ભગવાનને જોયાં કે હાથમાં હથોડો લીધો અને કહે કે આજે મારો પહેલો મંગળ દિવસ છે, ધંધાની શરૂઆત કરવી છે અને આનાં અપશુકન થયા. ચૌદ ભુવનનો ધણી આંગણે ઊભો છે અને એ માણસને અપશુકન લાગ્યા. એકલો લુહાર આવી ભૂલ કરે છે તેમ નહિ, આપણે પણ આવી ભૂલ કરી રહ્યા છીએ. આને કહેવાય “વર્તે દૃષ્ટિ વિમુખ’, જ્યાં સુધી દૃષ્ટિ વિમુખ હશે, ત્યાં સુધી ટ્યુનીંગ નહિ થાય, સંબંધ નહિ થાય, મિલન નહિ થાય, સંકેત નહિ મળે, તન્મયતા નહિ થાય. સદ્ગુરુ મળવા અને તેમને ઓળખવા બંને કામ અગત્યનાં છે. ગુરુને ઓળખીને તેમના પ્રત્યે બહુમાન જાગવું અગત્યનું છે. બહુમાન થયા પછી પ્રેમ પ્રગટ થવો જોઈએ. પ્રેમ થાય તો ટ્યુનીંગ થાય. ટ્યુનીંગ થાય તો સમર્પણ થાય અને સમર્પણ થાય તો આજ્ઞાપાલન થાય. સમર્પણ વગર આજ્ઞાપાલન ન થાય. પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ થયો પણ શું આડું આવ્યું? પરમકૃપાળુદેવ કહે છે, પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ, અસદ્ગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. “અસગુરુને દઢ કરે” એ પછી વાત કરીએ પણ પોતાના માન, અભિમાન અને અહંકારને આગળ કરે છે. પોતે સંઘમાં આગેવાન છે. પોતે કર્મકાંડ કરે છે, પોતે વિશેષ પ્રકારની આરાધના કરે છે, પોતે સિદ્ધાંતોને જાણે છે, એમ પોતાનું માન, પોતાનો અહંકાર પોષવા માટે આગળ આવવું છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે આ જીવ જ્યાં ગયો ત્યાં તેણે પોતાનું માન પોષવાનું કામ કર્યું છે. માન એટલે અભિમાન, અને માનનો સીધો ને સરળ અર્થ એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy